Last Updated:
May 5, 2025

Click here to submit your article
પ્રકરણ ૧
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૪૧

જેમ કુસંગી ને સત્‍સંગીમાં ભેદ છે, તેમ સાધારણમાં ને એકાંતિકમાં ભેદ છે. ને નવ યોગેશ્વર હતા તેમાં એકે વાત કરી તે આઠ ઝાંખા પડી ગયા, પછી તે સર્વે મળીને એકને મારવા તૈયાર થયા તેમ એ તો એવી વાત છે. ને જે એકાંતિક હોય તે તો નિષ્કામ હોય, તે એક ભગવાનનું નિરુપણ કર્યા કરે ને બીજો સકામ હોય તે ભગવાન પાસે માગ્‍યા કરે. ૨૪૧ read more
0 Views : 79

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૪ર

ભગવાન અને સાધુનું મહાત્‍મ્‍ય જેમ છે તેમ ઓળખાતું નથી, તે કોઇને બે આના, કોઇને ચાર આના ને કોઇને આઠ આના, પણ જેવું છે એવું જણાતું નથી. ને સાંખ્‍ય તો મુદલ નથી, ને સાંખ્‍ય વિના કસર ટળે નહિ. ૨૪૨ read more
0 Views : 84

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૪૩

કેટલાકને ભગવાનનું ને સાધુના સંબંધનું સુખ આવતું હોય, તે કેની પેઠે ને કેમ સમજે તો સુખ આવે ? એ પ્રશ્નનો ઉત્તર કર્યો : જે એ તો સાધુતા શીખે તો આવે, ને તે વિના તો દોષ પીડે તેથી સુખ ન આવે. પછી પૂછયું : જે કેટલાકને સુખ સ્‍વપ્નમાં આવતું હોય તે કેમ આવે ? તેનો ઉત્તર જે એનો તો નિરધાર નહિ, કેમજે સ્‍વપ્નમાં તો ભગવાન દેખાય ને બીજું પણ દેખાય, ને જ્ઞાને કરીને થાય એ જ સાચું છે. ૨૪૩ read more
0 Views : 98

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૪૪

અને જેમ છે એમ કહેવાય નહિ, ને કહીએ તો અર્ધી સભા ઉઠી જાય, પણ શાસ્ત્રમાં કહ્યા છે એવા ખરે ખરા સાધુ મળેને તે  કહે તેમ કરે, તો કોટિ જન્‍મે કસર ટળવાની કોય તે આજ ટાળી નાખે ને બ્રહ્મરુપ કરી મૂકે. એ તો ‘ગોકુલ ગામકો પિંડો હે ન્‍યારો’ અને આ તો જીભ ઝાલીને બોલીએ છીએ એમ બોલ્‍યા. ૨૪૪ read more
0 Views : 77

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૪પ

અને ભગવાન જેવું તો કોઇ પદાર્થ નથી તે આપણને મળ્‍યા છે, ને જેણે દાંત આપયા તે ચાવવાનું નહિ આપે ? ને આપણા કપાળમાં કાંઇ રોટલા નહિ લખ્‍યા હોય ? ને આપણે કાંઇ પ્રભુ વેંચી ખાધા છે ? માટે ભગવાન ભૂખ્‍યા ઉઠાડે પણ ભૂખ્‍યા સુવાડે નહિ. ગમે તેવી રીતે પણ ખાવા આપે છે, ને પ્રભુ ભજાય તે સારુ ગરીબ રાખ્‍યા છે. કદાપિ પૃથ્‍વીનું રાજ આપયું હોત તો નરકમાં પડી ચુકયા હોત, માટે આપણને આપયું નથી. ને આ દેહ તો પત્રાવળાને ઠેકાણે, તેમાં લાડવા જમી લેવા, તે શુ ? જે આ દેહે ભગવાનને મળી ચુકયા પછી દેહને ગમે તેમ થાઓને ! ‘દાસના દુશ્‍મન હરિ કદી હોય નહિ, જેમ કરશે તેમ સુખ થાશે.’ ને અમને તો હેત આવે છે તે વાત કરીએ છીએ, જે સ્‍વામિનારાયણ નામનો મંત્ર બહુ બળિયો છે, માટે ભજન કર્યા કરવું. ૨૪૫ read more
0 Views : 78

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૪૬

આ વાતોના કરનારા દુર્લભ છે. મનુષ્ય દેહ દુર્લભ છે ને દેહે સાજું રહેવું તે પણ દુર્લભ છે, એ ત્રણ વાત દુર્લભ છે તે માટે ભજન કરી લેજો. ૨૪૬ read more
0 Views : 74

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૪૭

દત્તાત્રેય બે જીવનું કલ્‍યાણ કર્યું, કપિલે એક જીવનું કલ્‍યાણ કર્યું ને ઋષભદેવે સો જીવનું કલ્‍યાણ કર્યું, ને આજ સાધુ કહે : કે ‘અમે દૈવી જીવનું કલ્‍યાણ કરીએ, પણ આસુરીનું કલ્‍યાણ અમારાથી ન થાય.’ ત્‍યારે ભગવાન કહે: ‘આસુરીનું કલ્‍યાણ અમે કરશું’ તે મુંઝોસૂરુ, માનભા, જોબનપગી ને તખોપગી એ તો પાપના પર્વત કહેવાય, એને તો ભગવાન સત્‍સંગ કરાવે, પણ એ સાધુથી વળે નહી. ૨૪૭ read more
0 Views : 79

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૪૮

અને દશ હજાર સૂર્યનું તેજ સુદર્શન ચક્રમાં છે, તેનો દીવા જેટલો પ્રકાશ થાય એટલું ઘાટું માયાનું તમ છે, તેનો છાંટો જીવમાં નાખ્‍યો છે એ સુષુપ્‍તિ અવસ્‍થા છે, તેને ટાળવા સારુ મહારાજનો અવતાર છે. ૨૪૮ read more
0 Views : 85
Powered By Indic IME