Last Updated:
May 5, 2025

Click here to submit your article
પ્રકરણ ૧
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૩૩

અને ભગવાનને નિર્દોષ સમજવાથી મોક્ષ થઇ રહ્યો છે, ને દોષ ટાળવાનો અભ્‍યાસ કરે તો ટળી જાય, નીકર દેહ રહે ત્‍યાં સુધી દુ:ખ રહે. ને દોષ જણાય છે તે સર્વે તત્‍વના દોષ છે. ૨૩૩ read more
0 Views : 78

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૩૪

અને વ્‍યવહાર છે તે દેહે કરીને કરવો ને મને કરીને જુદા પડવું, ને મન માંહિ ભળવા આવે તો જ્ઞાને કરીને ત્‍યાગ કરવો ૨૩૪. read more
0 Views : 79

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૩પ

કાંતો અષ્‍ટાંગ યોગ ને કાંતો રોગ, તે વિના અંતરનો મેલ જાય નહિ, તે ઉપર એક ભકતનું દ્ષ્‍ટાંત દિધું, જે રોગ આવી ગયો તે પછી સારું થયું. ૨૩૫ read more
0 Views : 97

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૩૬

એક ભકતે પ્રશ્ન પુછયું : જે ‘શૂળીએ ચડાવ્‍યો હોય તો પણ કેમ સમજે તો સંકલ્‍પ ન થાય, જે ભગવાન મુકાવે તો ઠીક, એવી શી સમજણ છે ?’ તેનો ઉત્તર કર્યો: જે એ તો ભગવાનને સર્વકર્તા જાણે : જે ભગવાન વિના બીજા કોઇનું કર્યું થાતું નથી, એમ સમજે તેને સંકલ્‍પ ન થાય ને ધીરજ રહે. ને એમ ન સમજે તે તો થોડાકમાં અકળાઇ જાય ને ધીરજ રહે નહિ. આ લોકમાં મહારાજને પણ વગર વાંકે દુ:ખ આવતાં, તે આ લોક જ એવો છે તેનું રુપ જાણી રાખવું. ૨૩૬ read more
0 Views : 81

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૩૭

અને આટલી વાત તો સો જન્‍મે પણ ન સમજાય, માટે આ વાત સહુ રાખજો, ને બે સારા સાધુ ને ત્રણ સારા હરિભકતની સાથે જીવ બાંધવો તો સત્‍સંગમાંથી ન પડાય ને કદાપિ કામ, લોભ થોડા ઘણાં રહી ગયા હશે તો ફીકર નથી. તે મહારાજે વચનામૃતમાં કહ્યું છે : જે ‘કદાપિ કામ લોભનો સંકલ્‍પ નહિ હોય પણ ભગવાનના ભકતમાં જીવ ન બંધાણો તો શું થયું ? એવાને અભાવે અસુર થાશે.’ માટે સમજવાની વાત તો સારા ભગવાનના ભકતમાં જીવ બાંધવો એટલું જ કરવાનું છે. ને ઝાઝી વાતનું ડોળ કરીએ તેનું તો એ પ્રયોજન છે, જે આ પ્રથા ચલાવવી છે ને નિયમ પળાવવાં એ સારુ કરવી પડે છે. ૨૩૭ read more
0 Views : 101

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૩૮

નિત્‍યે લાખ રુપિયા લાવે ને સત્‍સંગનું ઘસાતું બોલતો હોય તો તે મને ન ગમે, ને સૂતો સૂતો ખાય પણ ભગવાનના ભકતનું સારું બોલતો હોય તો તેની ચાકરી હું કરાવું એવો મારો સ્‍વભાવ છે. ૨૩૮ read more
0 Views : 97

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૩૯

જો મોટા પુરુષ મળે તો તેનો સંગ કરવો નીકર ઊતરતાનો સંગ તો કરવો જ નહિ. ૨૩૯ read more
0 Views : 85

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૪૦

અને માયાનું બહુ બળ છે, તે માયા તો વૈરાગ્‍ય ને પણ ખાઇ જાય ને આત્‍મનિષ્‍ઠાને પણ ચાવી જાય કેમજે પૃથ્‍વીના જીવ તે પૃથ્‍વીમાં ચોટે. ૨૪૦ read more
0 Views : 82
Powered By Indic IME