Last Updated:
May 5, 2025

Click here to submit your article
પ્રકરણ ૧
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨રપ

કૃપાનંદ સ્‍વામી આદિક મોટા મોટા સાધુના જેટલું આપણામાં બળ નહિ, માટે મોટાની બરોબર સાધન કરવાનો વાદ મૂકીને અગિયાર નિયમ પાળવા, એટલે તેમના જેવા બળિયા થવાશે, શાથી જે આ સત્‍સંગમાં ઉપાસનાં, ધર્મ આદિક સર્વ છે, કાંઇ બાકી નથી. ૨૨૫ read more
0 Views : 91

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨ર૬

ભગવાનની મૂર્તિ, ભગવાનનું ધામ, ભગવાનના પાર્ષદ ને જીવ એ ચાર અવિનાશી છે. બાકી નાશવંત છે. તેમાં જીવ છે તે બદ્ધ છે. જેમ કોઇને બેડીમાં નાખે છે તે નીકળાઇ નહિ. તેમ જીવને પ્રકૃતિરુપ સ્ત્રી ને પુરુષ એ બેડી છે, તે કોઇ રીતે તૂટે તેવી નથી. તે તો જ્ઞાનથી તૂટે છે. નીકર દેહે કરીને ત્‍યાગ કરે પણ તૂટતી નથી. તે ઉપર પાવૈયાનું તથા બળદનું દ્ષ્‍ટાંત દીધું , જે એને દેહે કરીને ત્‍યાગ છે પણ વાસના ટળે નહિ. ૨૨૬ read more
0 Views : 82

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨ર૭

અને કોટિ સાધન કરે પણ આમ વાતો કરવી ને સાંભળવી તેની બરોબર થાય નહિ, ને બીજાથી તો આટલી પ્રવૃત્તિમાં વાતું થાય નહિ. ૨૨૭ read more
0 Views : 84

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨ર૮

આ જીવને માયાથી નિર્લેપપણું બે પ્રકારથી છે. એક જ્ઞાને કરીને અને બીજું ભગવાનની આજ્ઞાથી. બાકી તો નિયમે કરીને છે. પણ દેશકાળે તેનો ભંગ થાય તો ગ્‍લાનિ પામી જાય. ૨૨૮ read more
0 Views : 85

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨ર૯

અને જ્ઞાને કરીને સ્‍થ્‍િાતિ કરવી તે દેખવા કરતાં પણ અધિક છે. પર્વતભાઇ, કૃપાનંદ સ્‍વામી, મુકતાનંદ સ્‍વામી એમને સમાધિ નહોતી, ને મૂર્તિ દેખતા પણ ખરા. ને પર્વતભાઇ હમણાં આપણે સમજીએ છીએ તેમ સમજતા. માટે બ્રહ્મરુપ માનીને ભગવાન માંહી રહ્યા છે એમ માનવું એ જ્ઞાનની સ્‍થ્‍િાતિ છે. તે અધિક છે, ને તેમાં વિઘ્‍ન નથી. ને તે વિના તો સચ્‍ચિદાનંદ સ્‍વામી સમાધીવાળાને પણ દુ:ખ આવતાં. માટે પ્રેમી ન થાવું ને જ્ઞાની થાવું ને પોતાની સમજણને ચુપાવી રાખવી, કૃપાનંદ સ્‍વામીની પેઠે. ૨૨૯ read more
0 Views : 82

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૩૦

અને પડછાયાને પહોંચાય નહિ. તેમ વિષય તથા સાધનને પણ પહોંચાય નહિ. ને તેનો પાર આવે તેમ નથી, માટે જ્ઞાન થાય ત્‍યારે સુખ થાય છે. ૨૩૦ read more
0 Views : 74

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૩૧

અને આપણે ભગવાનના છઇએ પણ માયાના નથી એમ માનવું, ને આ વાતું તો અનંત સંશયને છેદી નાખે એવી ભગવાન પુરુષોત્તમની છે. ૨૩૧ read more
0 Views : 76

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૩ર

દેહને પોતાનું રુપ માને તો તેમાં બધાંય દુ:ખ રહ્યાં છે. ને દેહને ન માને તો તેમાં દુ:ખ નહિ. ને શાસ્ત્રમાં બહુ પ્રકારના શબ્‍દ છે તે સાંભળીને ભ્રમી જવાય છે, ને માથું ફરી જાય છે ને બ્રહ્મરુપ મટીને દેહરુપ મનાઇ જવાય છે. ને શાસ્ત્રમાં તો બધાય શબ્‍દ સરખા હોય નહિ, બે આમ હોય ને બે આમ હોય પણ એકધારા હોય નહિ. ને જ્ઞાન થયું છે તે કેનું નામ ? જે શાસ્ત્ર સાંભળીને તથા કોઇની વાતે કરીને અંગ ફરી જાય નહિ, તે પાકું જ્ઞાન કહેવાય. ૨૩૨ read more
0 Views : 96
Powered By Indic IME