Last Updated:
May 5, 2025

Click here to submit your article
પ્રકરણ ૧
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૦૧

સર્વ કરતાં ભજન કરવું તે અધિક છે, ને તે કરતાં સ્‍મૃતિ રાખવી તે અધિક છે, ને તે કરતાં ઘ્‍યાન કરવું તે અધિક છે, ને તે કરતાં પોતાના આત્‍માને વિષે ભગવાનને ધારવા તે અધિક છે. ૨૦૧ read more
0 Views : 76

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૦ર

અને સર્વકર્તા તો ભગવાન છે. હમણાં આપણે ઊંઘમાં જાવું હોય તો જવાય નહિ, ને ઊંઘમાં ગયા હોઇએ ને પછી ચોર આવીને લૂંટીને લઇ જાય, પણ આપણાથી જગાય નહિ, માટે સર્વકર્તા તો  ભગવાન છે. ૨૦૨ read more
0 Views : 79

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૦૩

અને વિષયરુપી ફાંસલો જીવના ગળામાં નાખ્‍યો છે તેનું બળ છે. જેમ નદીનો પ્રવાહ ચાલતો હોય ત્‍યાં સુધી તેનું બળ ન જણાય, પણ તેને બંધ કરે ત્‍યારે ખબર પડે. તેમ મોટા મોટા સૌભરિ ને પરાશર આદિક દિશાઓના જિતનાર ભારે ભારે તેને પણ પરાભવ પમાડયા છે. તે વાસના જે લિંગદેહ તે તો આત્‍યંતિક પ્રલયમાં પણ ન બળ્‍યું, તે આજ જ્ઞાને કરીને બળે છે. પણ મહારાજે તો સર્વ બારાં બંધ કરી દીધાં છે. તે જીવ શું કરે ? જેમ ધોરિયામાં સાલી તાણે છે તેણે બારા બંધ થઇ જાય, ને પાણી કયાંઇ જાવા પામે નહિ એમ બંધ કર્યું છે. ૨૦૩ read more
0 Views : 102

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૦૪

છેલ્‍લા પ્રકરણનું તેરમું વચનામૃત વંચાવીને તેમાં ‘દેશકાળનું બહુ પ્રકારે વિષમપણું થઇ જાય ને તેમાં પણ એકાંતિકપણું કેમ રહે ?’ એ પ્રશ્ન, ઉપર વાત કરી : જે નિશ્વય રહે એ જ એકાંતિકપણું છે, ને એ જ રહેવાનું. તે જેમ ચિંતમણિ રહી ને બીજું ધન સર્વે ગયું પણ કાંઇ ગયું નથી, ને ચિંતામણિ ગઇ ને બીજું  સર્વે ધન રહ્યું પણ કાંઇ રહ્યું નથી. તેમજ નિશ્વય રહ્યો તો સર્વે રહ્યું ને અંતે એ જ રહેવાનું છે. ૨૦૪ read more
0 Views : 73

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૦પ

છેલ્‍લા પ્રકરણના પાંત્રિશમા વચનામૃતમાં કહ્યું છે : ‘જે છે લક્ષણે યુકત સંત હોય તેની સેવા કયર્ે ભગવાનની સેવાનું ફળ થાય છે, ને તેનો દ્રોહ કર્યો ભગવાનના દ્રોહનું પાપ લાગે છે’ માટે આજ તો બહુધા આખો સત્‍સંગ એવો છે. ૨૦૫ read more
0 Views : 75

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૦૬

અને ખરેખરા ભગવદી હોય તેને ગુણ ન વ્‍યાપે, એ તો જાણપણારુપી દરવાજે રહીને જોયા કરે છે. ૨૦૬ read more
1 Views : 91

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૦૭

અને મહારાજ કહે કે : ‘અમને સંકલ્‍પ થાય છે જે સર્વે ને મુકતાનંદ સ્‍વામી જેવા કરી મૂકીએ, પછી સાચવવા ન પડે.’ કેમ જે મુકતાનંદ સ્‍વામીને તો જ્ઞાન. તે જ્ઞાને કરીને સર્વે ટાળી નાખે, ને મુકતાનંદ સ્‍વામીને તો શબ્‍દ આકાશનો ભાગ છે એમ કાપતાં આવડે, ને બીજાને તો એવું જ્ઞાન નહિ તે સારુ આ નિયમ કર્યા છે: જે જોવું નહિ, સાંભળવું નહિ, એ પ્રકારે નિયમ બાંઘ્‍યા છે. ૨૦૭ read more
0 Views : 82

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૦૮

અને બ્રહ્મવેત્તાને મતે તો વેદ માર્ગ જે વિધિનિષેધ તે પણ ગણત્રીમાં નથી, એમ જડભરતે રહુગણને કહ્યું. એની સમજણમાં તો આત્‍મા ને પરમાત્‍મા એ બે જ વાત રાખવી એમ કહ્યું, તે ઉપર છેલ્‍લા પ્રકરણનું છેલ્‍લું વચનામૃત વંચાવ્‍યું ને બોલ્‍યા : જે આ વચનામૃતમાં પણ ‘આત્‍મા ને પરમાત્‍મા એ બે વાતનો વેગ લગાડી દેવો.’ એમ મહારાજનો સિદ્ધાંત છે. ૨૦૮ read more
0 Views : 80
Powered By Indic IME