Last Updated:
May 5, 2025

Click here to submit your article
પ્રકરણ ૧
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૮પ

જેને જ્ઞાન ન હોય તેને તો એમ થાય જે આપણે શું પામશું ને કયાં જાશું ?’ ને જેને જ્ઞાન હોય તેને તો અહો ! અહો ! થયા કરે. જે આ પ્રાપ્‍તિ થઇ તે હવે કાંઇ કરવું રહ્યું નથી. ૧૮૫ read more
0 Views : 85

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૮૬

અને સો જન્‍મનો શુદ્ધ બ્રાહ્મણ સોમવલ્‍લીનો પીનારો હોય, તે કરતાં પણ ભગવાનનો ભકત શ્વપચ હોય તે શ્રેષ્‍ઠ છે. એમ ભગવાનના ભકતનો મહિમા સમજવો એમ પ્રહલાદનું વાકય છે. ૧૮૬ read more
0 Views : 88

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૮૭

અને ભગવાન જ્યારે પૃથ્‍વી ઉપર આવે ત્‍યારે રાજસી, તામસી, સાત્‍વિકી ને અધમ, તેનો પણ ઉદ્ધાર કરી નાખે છે. કાંઇ મેળ રહે નહિ. ૧૮૭ read more
0 Views : 105

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૮૮

અને આ જીવ તો જેમ પરદેશમાંથી ભાઉડાં ઝાલી લાવે એવા છે. તેને કશી ગમ નહિ. પછી તેને સાધુ જ્ઞાન દઇ દઇને મનુષ્ય કરે ત્‍યારે મનુષ્ય થાય છે. ૧૮૮ read more
0 Views : 70

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૮૯

અને પુરુષોત્તમની ઉપાસનાએ કરીને જીવ અક્ષર જેવો થાય છે. ને મોટા ને મળે તે બહુ મોટયપને પામે છે. તે જૂ વિયાય તો લિંખ આવે ને હાથણી વિયાય તો બળદ જેવડું બચ્‍ચું આવે, તે ઉપર વચનામૃત વંચાવ્‍યું : જે ‘જેવા ભગવાનને જાણે તેવો પોતે થાય છે.’ ૧૮૯ read more
0 Views : 110

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૯૦

અને કોટિ કલ્‍પના પાશ લાગ્‍યા છે, તે હમણાં ભગવાનમાં જોડાવા જઇએ, પણ માયામાં જોડાઇ જવાય છે, ને જ્યારે જ્ઞાન થાશે ત્‍યારે માયામાં જોડાવા જાશું, તોપણ ભગવાનમાં જોડાઇ જવાશે. ને હમણાં તો ઇન્‍દ્રીયો અંત:કરણના ભાવથી મુકાઇને સાધુમાં જોડાવું, ને સાધુ ભગવાનમાં જોડશે, ને પોતાને બળે છૂટવા જાય તેમ વધુ બંધાશે. ૧૯૦ read more
0 Views : 82

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૯૧

અને દેહનો ભાવ ન જણાય એવા તો સ્‍વરુપાનંદ સ્‍વામી ! કેમ જે એ તો દેહમાં વર્તે નહિ ને બીજા ને તો દેહના ભાવ જણાય છે. ૧૯૧ read more
0 Views : 84

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૯ર

પણ એક શબ્‍દે કરીને તો સ્‍વરુપાનંદ સ્‍વામીને જ્ઞાન થાય, ને આપણને તો કરોડ શબ્‍દ પડે ત્‍યારે જ્ઞાન થાય, પણ તરત ન સમજાય. ૧૯૨ read more
0 Views : 84
Powered By Indic IME