Last Updated:
May 5, 2025

Click here to submit your article
પ્રકરણ ૧
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૭૭

અને ભગવાન મળ્‍યા, સાધુ મળ્‍યા, હવે હૈયામાં દુ:ખ આવવા દેવું નહિ, ને પ્રારબ્‍ધનું આવે તે ભોગવી લેવું. ૧૭૭ read more
0 Views : 84

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૭૮

જેવા શબ્‍દ સાંભળે તેવો જીવ થઇ જાય છે, માટે બળિયા ભગવાનના ભકત હોય તેના શબ્‍દો સાંબળીએ તો જીવમાં બળ આવે, પણ નપુંસકને સંગે બળ પમાય નહિ. ૧૭૮ read more
0 Views : 77

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૭૯

આ તો મોટાની નજર પડી ગઇ છે, તેથી વિષયની તિક્ષણ વૃત્તિ ઓછી થઇ છે, નીકર તો તે વિના રહેવાય નહિ. ૧૭૯ read more
0 Views : 95

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૮૦

અને અવિદ્યાનું પણ ભગવાન ચાલવા દે તો ચાલે, નીકર અવિદ્યાનો શો ભાર છે ?એ તો ભગવાન દૃષ્ટિ કરે તો ફાટી મરે એ વાત પણ સમજવી. ૧૮૦ read more
0 Views : 81

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૮૧

જન અવગુણ પ્રભુ માનત નાહી એહી પૂરવ કી રીત દીનબંધુ અતિ મૃદુલ સ્‍વભાવુ, ગાવું નિશદિન ગીત     એમ કલ્‍યાણ થાશે જાઓ. ૧૮૧ read more
0 Views : 85

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૮ર

અને સંત છે ત્‍યાં નિયમ છે, ધર્મ છે, જ્ઞાન છે, ને સંત છે ત્‍યાં અનંત ગુણ છે ને ભગવાન પણ ત્‍યાં જ છે. ને તેથી જીવ પવિત્ર થાય છે. તે વચનામૃતમાં કહ્યું છે: જે ‘તપ, ત્‍યાગ, યોગ, વ્રત, દાન એ આધિક સાધને કરીને ભગવાન કહે કે હું વશ થાતો નથી, જેવો શુદ્ધ અંત:કરણવાળા સાધુને સંગે કરીને થાઉ છું.’ અને જેને આ સત્‍સંગ મળ્‍યો છે તેના પુણ્‍યનો પાર નથી. અજામિલ મહાપાપી હતો. પણ તેને સનકાદિક મળ્‍યા તેને પગે લાગ્‍યો ને કહે : જે ‘મારાથી તો કાંઇ થાય નહિ !’ ત્‍યારે સાધુ તો દયાળુ છે, તે છોકરાનું નામ નારણિયો પડાવીને પણ મોક્ષ કર્યો. ૧૮૨ read more
0 Views : 103

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૮૩

ભગવાનના ધામમાં સુખ છે તેમાંથી છાંટો નાખ્‍યો તે પ્રકૃતિ પુરુષમાં આવ્‍યું, ત્‍યાંથી પ્રધાનપુરુષમાં આવ્‍યું, ત્‍યાંથી વૈરાટપુરુષમાં આવ્‍યું, ત્‍યાંથી દેવતામાં આવ્‍યું ને ત્‍યાંથી આંહી મનુષ્યમાં આવ્‍યું છે, તે સુખમાં જાવ માત્ર સુખિયા છે. માટે સુખ માત્રનું મૂળ કારણ તો ભગવાન છે. તેને સુખે સુખિયા થાવું. ૧૮૩ read more
0 Views : 82

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૮૪

ભકિતમાતાએ મહારાજને કહ્યું : જે ‘મારો સ્ત્રીનો દેહ તે મને ઝાઝું સમજાય નહિ, તેથી થોડાકમાં હોય તે કહો.’ પછી મહારાજે ચોસઠ લક્ષણ સાધુના કહ્યાં ને કહ્યું : જે ‘એવા સાધુમાં જેણે આત્‍મબુદ્ધિ કરી તેને સર્વ સંપૂર્ણ થઇ રહ્યું.’ ને મહારાજે કહ્યું : જે ‘એવાનાં દર્શનને અમે પણ ઇચ્‍છીએ છીએ’ ઇત્‍યાદિક બહુ મહિમા કહ્યો. ૧૮૪ read more
0 Views : 84
Powered By Indic IME