Last Updated:
May 5, 2025

Click here to submit your article
પ્રકરણ ૧
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૬૯

અને સર્વે વાત સાધુ વતે છે, માટે તેને મુખ્‍ય રાખવા, પણ સાધુ ગૌણ થાય ને જ્ઞાન પ્રધાન થઇ જાય એમ ન કરવું. ૧૬૯ read more
0 Views : 87

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૭૦

અને મહિમા સમજાય છે ને ફરી ભૂલી જવાય છે, માટે સો વાર વાંચે સાંભળે તો પછી ભૂલાય નહિ. મહારાજ છતાં હેત બહુ હતું ને આજ જ્ઞાન અધિક છે, ને ઘણાક સંસ્‍કારી જીવ આવ્‍યા છે, માટે સાધુમાં હેત તુરત થઇ જાય છે. ૧૭૦ read more
0 Views : 74

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૭૧

મોટા મોટા સર્વે સાધુ હોય, શ્વેતદ્વિપ જેવું સ્‍થાનક હોય, બ્રહ્માના કલ્‍પ પર્યંત આવરદા હોય, ને સર્વે નો સંગ કરીને તેના ગુણને શીખે તો સત્‍સંગ થાય ને વાસના ટળે એવી છે. અને એ કહ્યાં એ સર્વના ગુણ એકને વિષે હોય એવાનો સંગ મળે, તો સર્વે ગુણ આવે ને વાસના ટળી જાય, તે સંગ આજ આપણને મળ્‍યો છે. ૧૭૧ read more
0 Views : 95

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૭ર

એક તો યજ્ઞ કરે તે આખી પૃથ્‍વીમાં ધોડો ફેરવે, તેમાં બહુ દાખડો, કેમ જે કોઇક બાંધે તો યજ્ઞ અધૂરો રહે, ને એક તો ફળીયામાં ધોડો ફરેવે ને યજ્ઞ કરી લે, તેમાં શું કહ્યું ? જે ઇન્‍દ્રીયો અંત:કરણ વશ કરવાં એ તો પૃથ્‍વીમાં ધોડો ફેરવવા જેવું છે ને પોતાને બ્રહ્મરુપ માનવું એ તો ફળિયામાં ધોડો ફેરવવા જેવું છે. ને વળી ચોસઠ લક્ષણ સાધુનાં કહ્યાં તે શીખવા એ તો પૃથ્‍વીમાં ધોડો ફેરવવા જેવું કઠણ છે, ને ચોસઠ લક્ષણવાળા સાધુમાં જોડાવું, એ ફળિયામાં ધોડો ફેરવવા જેવું સુગમ છે. ૧૭૨ read more
0 Views : 110

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૭૩

અને તપ કરીને બળી જાય તો પણ જો ભગવાનનો આશરો ન હોય તો ભગવાન તેડવા ન આવે, અને હિડોળા ખાટમાં સૂઇ રહે ને દુધ સાકર ને ચોખા જમે ને સેવાના કરનાર ને રળનાર બીજા હોય, તો પણ તેને અંત સમે વિમાનમાં બેસારીને ભગવાન તેડી જાય, જો ભગવાનનો દેઢ આશરો હોય તો. માટે મોક્ષનું કારણ આશરો છે. ૧૭૩ read more
0 Views : 105

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૭૪

નવરાશ હોય ત્‍યારે ભગવાનની મૂર્તિને લઇને બેસવું. તે મૂર્તિ તે શું ? જે ભગવાનની કથા, વાર્તા, કીર્તન, ઘ્‍યાન એ ભગવાનની મૂર્તિ છે ને દેહ હોય ત્‍યાં લોભ, કામ, કોધ, સ્‍વાદ, સ્‍નેહ, માન, નિદ્રા એ સર્વે હોય, તેને તો દેહ ભેળાં કરી રાખવાં, તે તો જેમ કોઇક અફીણનું વ્‍યસન રાખે છે તેમ. તે સુખ જેવા જણાય છે, એ તો દેહને દુ:ખ દે એવાં છે એમ સમજવું. ૧૭૪ read more
0 Views : 74

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૭પ

અને આપણે તો છેલ્‍લો જન્‍મ થઇ રહ્યો છે ને છેલ્‍લો જન્‍મ તે શું ? જે પ્રકૃતિના કાર્યમાં મને કરીને માલ ન માનવો એ જ છેલ્‍લો જન્‍મ છે. ૧૭૫ read more
0 Views : 89

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૭૬

કોઇક માણસનું કોઇકે જરાક રાખ્‍યું હોય તો તે પણ નથી ભૂલતો, તો ભગવાનને અર્થે આપણે કાંઇક કર્યું હોય કે કરીએ તે કેમ ભૂલે ? એ ભગવાન તો કાંઇ ભુલે એવા નથી ને ભગવાનની દયા તો અપાર છે. સર્વે ઠેકાણે ત્‍યાંથી જ દયા આવી છે. ૧૭૬ read more
0 Views : 86
Powered By Indic IME