Last Updated:
May 5, 2025

Click here to submit your article
પ્રકરણ ૧
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૬૧

અને મોટા મોટા સાધુનો  સંગ કરવો, તેનું કારણ શું ? જે કોઇકમાં એક ગુણ હોય. કોઇકમાં બે ગુણ હોય, ને કોઇકમાં ત્રણ ગુણ હોય, તે સર્વેના સંગમાંથી તે તે ગુણ આવે ને સર્વે ગુણે સંપન્ન એક મળે તો કાંઇ વાંધો જ ન રહે. પણ એવા  ઝાઝા હોય નહિ. ૧૬૧ read more
0 Views : 70

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૬ર

અને સૂર્યની કોઇને ઉપમા દેવાય ? એ તો એક જ. તેમ ભગવાન પણ એક જ. ને અનંત અવતાર તે સર્વે એક ભગવાનનું દીધું ઐશ્વર્ય પામ્‍યા છે. આવો સમો પૃથ્‍વી ઉપર આવ્‍યો નથી ને આવશે પણ નહિ, આ સાધુ પણ આવ્‍યા નથી ને  આવશે પણ નહિ. ને આ ભગવાન પણ આવ્‍યા નથી ને આવશે પણ નહિ. અનંત અવતાર થઇ ગયા ને અનંત અવતાર થાશે, પણ આ સાધુ ને આ ભગવાન તે આવ્‍યા નથી ને આવશે પણ નહિ. ૧૬૨ read more
0 Views : 84

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૬૩

અને અક્ષર ધામમાંથી આંહી પોતે પુરુષોત્તમ જીવનાં કલ્‍યાણ કરવાને સ્‍વતુંત્રપણે આવે ને અનંત જીવનો મોક્ષ કરીને ચાલ્‍યા જાય. ને મુકત તો આજ્ઞાએ કરીને આવે, ને બીજો મુકત તો વાસનાએ કરીને આવે, તે તો પ્રિયવ્રત જેવો, અંબરીષ જેવો કે ભરતજી જેવો થાય. ૧૬૩ read more
0 Views : 91

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૬૪

અને અલભ્‍ય લાભ મળ્‍યો છે ને આત્‍યંતિક મુકિતને પામ્‍યા છીએ. ને આજ સત્‍સંગની ભર જુવાની છે, ને આજ તો શેરડીના સાંઠાનો વચલો ભાગ છે તે આપણને મળ્‍યો છે, તેમાં રસ ઘણો ને સુગમ પણ છે. ૧૬૪ read more
0 Views : 76

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૬પ

અને કામકોધાદિક દોષ છે તે તો જેમ ખીલ કે ધાધર હોય એવા છે, તે તો દેહનો ભાવ છે તે ટળી જાશે. ને મોટા દૃષ્ટિ કરે તો આ ઘડીએ ટળી જાય, પણ મોટાનો અવગુણ એ તો ક્ષય રોગ  જેવો છે. ૧૬૫ read more
0 Views : 100

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૬૬

એક તો ભગવાનની આજ્ઞા, અને બીજું સંતનું સ્‍વરુપ, ને ત્રીજું ભગવાનનું સ્‍વરુપ, એ ત્રણ વાતમાં ભગવાન રાજી રાજીને રાજી છે, ને તેને ધન્‍ય છે. એ ત્રણ વાત રાખવી. ૧૬૬ read more
0 Views : 84

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૬૭

અને આ સત્‍સંગ મળ્‍યો છે તે તો પારસમણિ તથા ચિંતામણિ મળી છે. તેમાં જીવ બહુ વૃદ્ધિ ને પામે છે. ૧૬૭ read more
0 Views : 80

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૬૮

અને આશરાનું રુપ કેવું કહ્યું ! કે કોઇક  આપણા મંદિરમાં કાલનો આવેલો હોય ને તે માંદો પડે, ને વીશ વર્ષ માંદો રહે તોપણ તેની ચાકરી કરવી પડે. વળી જેમ ગૃહસ્‍થનાં બાયડી છોકરાંને તેનો આશરો છે, તે દેશ પરદેશમાં જઇને તેની ખબર રાખે છે, તેમ ભગવાન પોતાના આશ્રિતની ખબર રાખે છે. ૧૬૮ read more
0 Views : 81
Powered By Indic IME