Last Updated:
May 5, 2025

Click here to submit your article
પ્રકરણ ૧
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧પ૩

અને મોક્ષને અર્થે તો ભગવાન ને સાધુ એ બે જ છે, ને બીજાં સાધનનું ફળ તો ધર્મ અર્થ ને કામ છે. ૧૫૩ read more
0 Views : 74

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧પ૪

અને સ્‍વામિનારાયણ નામના મંત્ર જેવો બીજો કોઇ મંત્ર આજ બળિયો નથી. એ મંત્રે કાળા નાગનું ઝેર ન ચડે, એ મંત્રે વિષય ઉડી જાય, બ્રહ્મરુપ થવાય ને કાળ, કર્મ, માયાનું બંધન છૂટી જાય છે. એવો બહુ બળિયો એ મંત્ર છે. માટે નિરંતર ભજન કરવું. ૧૫૪ read more
0 Views : 85

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧પપ

અને લાકડાં, પાણા, ઇંટાળા અને માણસ એમાં સૌને દેવની માયાનો મોહ થાય છે. ને ભગવાનની મૂર્તિ આગળ તો સર્વે કાળરુપ છે, ને કથા છે એ ભગવાનની મૂર્તિ છે, તે થકી સમજણની દ્ઢતા થાય છે, માટે એનો અભ્‍યાસ રાખવો. ૧૫૫ read more
0 Views : 86

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧પ૬

અને નરનારાયણાનંદ સ્‍વામી એ તો નરનારાયણ જેવા છે. એણે ત્રણ વર્ષ સુધી ડોશીયુંની સભામાં બુરાનપુરમાં વાતુ કરિયું, તેથી મહારાજે તેને નરનારાયણ કહીને પૂજા કરી, ને તેના દીકરા યોગાનંદ સ્‍વામી ને કૃષ્ણાનંદ સ્‍વામી થયા હતા, એ તો મોટા મોટા પણ સંસારમાં રહીને આવ્‍યા છે. ૧૫૬ read more
0 Views : 81

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧પ૭

અને ચાર પ્રકારના સત્‍સંગીમાં પ્રથમ સહુ કરતાં સરસ આત્‍મા ને પરમાત્‍માના જ્ઞાનવાળો, ને તે પછી બીજો ધ્યાન અને પ્રીતિવાળો; તેણે કરીને જોડાયો હોય તે પાર પડે. ને તે કેડે ત્રીજો આજ્ઞાવાળો, તે આજ્ઞામાં રહીને માંડમાંડ પૂરુ કરે, તે પણ પાર પડે તો ઠીક છે. ને તે કેડે ચોથો તે કોઇ સાધુમાં હેત થયું હોય, તેણે કરીને કોઇ રીતે નભે. એ રીતે ચાર પ્રકારના ભકતનાં રુપ કહ્યાં. પછી કોઇ હરિજને પ્રશ્ન પૂછયો : જે એ ચાર પ્રકારના ભકતમાં પ્રથમ કહ્યો જે જ્ઞાની તેને કોઇ પ્રકારનું વિઘ્‍ન આવે કે ન આવે ? તેનો ઉત્તર કર્યો : જે કોઇક ધક્કો માર તે પડી જાય ને પાછો ઉભો થાય છે તેમ, વળી જેમ ચોમાસામાં પડે છે ને ઊભો થાય છે, તેમ વિચારે કરીને દેશ-કાળને ટાળી નાખે, ને દેશકાળ તો આવે ખરા એ ઉત્તર છે. ૧૫૭ read more
0 Views : 73

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧પ૮

અને કોટિ કલ્‍પે પણ જ્ઞાન કર્યા વિના છુટકો નથી. તે શું જે ‘નિજાત્‍માનમ્ બ્રહ્મરુપં’ એ શ્લોકમાં કહ્યું એમ માનવું. જે ગુજરાતની પૃથ્‍વીમાં પાણો ન આવે તેમ. હરિભકતને તો વિષય કહેવાય નહિ. એને તો આજ્ઞા છે. ૧૫૮ read more
0 Views : 90

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧પ૯

અને ભગવાન મળ્‍યા હોય પણ આવા સાધુ ન મળ્‍યા હોત, તો આટલો દાખડો કરીને કોણ સમજાવત? ને મહારાજના સત્‍સંગી કરતા પણ સાધુના સત્‍સંગી અધિક છે. ૧૫૯ read more
0 Views : 96

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૬૦

અને કથા વંચાવતાં વાત આવી : જે ‘વ્‍યાસજીને શાંતિ ન થઇ’ તે ઉપર બોલ્‍યા જે આપણને ભગવાન મળ્‍યા તો પણ શાંતિ નથી તેનું શું કારણ છે ? જે એક તો વિષયમાં રાગે કરીને, ને બીજું ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તાય નહિ, ને ત્રીજું અજ્ઞાન, તેણે કરીને શાંતિ નથી. ૧૬૦ read more
0 Views : 88
Powered By Indic IME