Last Updated:
May 5, 2025

Click here to submit your article
પ્રકરણ ૧
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૯

સંસાર મૂકીને ત્‍યાગી થાય, તે દુ:ખ માત્રને ટાળીને સુખિયો થઈ જાય, પરંતુ ત્‍યાગી થયા પછી પણ વાસનાનું દુ:ખ રહે છે. તે વાસના લોભની, કામની, સ્‍વાદની, સ્‍નેહની ને માનની છે. તે વાસના ટળે તેમ તેમ સુખિયો થાય છે. ૯ read more
0 Views : 287

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૦

ઇન્‍દ્રિયો અંત:કરણ એ સર્વે કુસંગી છે. તે જે જે વિષયનો જોગ થાય તે તે રુપ થઇ જાય એવો જ એ જીવનો સ્‍વભાવ છે. તે એવા જીવને ભગવાનના સાધુ ધર્મ, જ્ઞાન, વૈરાગ્‍ય, ભકિત, મહિમા, ઉપાસના એ સર્વે ગુણ આપે છે. ૧૦ read more
0 Views : 245

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૧

રુપવાન સ્ત્રી, ઝાઝું દ્રવ્‍ય ને સારી મેડી મળી તે સત્‍સંગીને પણ માયાનું બંધન થયું કેમજે, એમાંથી જીવ નીકળે નહીં, માટે એ તો જેવું તેવું સાધારણ મળે તે સારું છે. ૧૧ read more
0 Views : 172

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧ર

દોષ  રહે છે ને ટળી જાતા નથી, એ તે કેવળ દોષ જ છે કે તેમાં કાંઈ ગુણ પણ છે ? એ પ્રશ્ન છે. તેનો ઉત્તર જે દોષ પીડે તેથી સત્‍સંગમાં દીન આધીન રહેવાય, ને સત્‍સંગની ગરજ રહે ને ભગવાનની સ્‍તુતિ થાય, ને દોષનો કજીયો હોય તેથી જ્ઞાન થાતું જાય, તે વિના એવી ગરજ રહે નહિ, માટે એ ગુણ છે. ૧૨ read more
0 Views : 164

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૩

દેહે કરીને ક્રિયા કરતો હોય ને પોતાનું રુપ જુદું સમજીને ભજન કરતો હોય, તો બહુ સમાસ થાતો જાય પણ ક્રિયારુપ થઈને તેમાં ભળી જાય તો ઠીક નહી.  ૧૩ read more
0 Views : 157

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૪

કરોડ કામ બગાડીને પણ મોક્ષ સુધારવો, ને કદાપિ કરોડ કામ સુધાર્યા ને એક મોક્ષ બગાડયો તો શું કર્યું ? ૧૪ read more
0 Views : 334

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧પ

નવધા ભકિત આદિક સાધને કરીને જીવ શુદ્ધ તો થાય  છે, પણ વાતે કરીને જેવો શુદ્ધ થાય એવો થાતો નથી, માટે શબ્‍દ જેવું તો કોઈ બળવાન નથી. ૧૫ read more
0 Views : 143

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૬

શિવજી મોહિની  સ્‍વરુપમાં મોહ પામીને વ્‍યાકુળ થઈ ગયા, તે પછી અંતરમાં જોયું ત્‍યારે જાણ્‍યું જે ‘મારા સ્‍વામીની માયામાં હું મોહ પામું એમાં શું ?’ એમ વિચાર કર્યો ત્‍યારે અંતરમાં શાંતિ થઇ ગઇ, માટે દેશકાળ તો લાગે ખરો, પણ જ્ઞાને કરીને તેનું દુ:ખ મટે.  ૧૬ read more
0 Views : 183
Powered By Indic IME