Last Updated:
May 5, 2025

Click here to submit your article
પ્રકરણ ૧
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૪પ

અમારી ભેળા રહે છે ને બીજે માલ માને છે તેને ઓળખાય નહિ. ને આ દર્શન થાય છે એતો બહુ જન્‍મને પુણ્‍યે થાય છે, નીકર દર્શન થાય નહિ ને આતો જેમ છે એમ જણાય તો આ ઘડીએ ગાંડા થાઓ, ને ગાંડું નથી થવાતું એ તો ભગવાનની ઇચ્‍છા છે. ને આ દર્શન તો બહુ દુર્લભ છે, પણ વરસાદ વરસે ત્‍યારે તેનું મહાત્‍મ્‍ય ન જણાય, પણ ન વરસે ત્‍ચારે ખખર પડે ને વરસાદ ન વરસે તેનું તો દેહને દુ:ખ થાય. ને આ યોગ ન થાય તેનું તો જીવમાં દુ:ખ થાય, ને આ યોગ નહિ થાય તેને તો પછી રોવું પડશે. ૧૪૫ read more
0 Views : 86

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૪૬

દેહને લઇને, દેશને લઇને ને કાળને લઇને જીવ ગ્‍લાનિ પામી જાય છે, તે ગ્‍લાનિ પામવી નહિ, એનો તો એવો સ્‍વભાવ છે. ને કર્યું ભગવાનનું થાય છે, તે તેને ગમે તેમ કરે. ને સ્‍થૂળનું દુ:ખ આવે, સૂક્ષ્મનું દુ:ખ આવે ને કારણનું દુ:ખ આવે તેને માનવું નહિ. ને મહારાજે પણ મળતું રાખીને પ્રભુ ભજાવ્‍યા છે. ૧૪૬ read more
0 Views : 90

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૪૭

આ કારખાનાં તો એક વર્ષનાં કરીએ તો બે વર્ષનાં ઊભાં થાય, ને બે વર્ષનું કરીએ તો ચાર વર્ષનું ઊભું થાય છે. ને સૌ મંડીએ તો જૂનાગઢથી વડતાલ સુધી સડક બાંધી દઇએ તો છાંયડે ચાલ્‍યા જાય ને તડકો જ ન લાગે, પણ વાતું કરવાનું ને સમજવાનું છે તે રહી જાય, ને ભગવાન વિના તો આત્‍માજ્ઞાન, વૈરાગ્‍ય ને ધર્મ એ સર્વે અભદ્ર છે, પણ એ કોઇ કલ્‍યાણકર્તા નથી. ૧૪૭ read more
0 Views : 87

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૪૮

અને ત્રીશ લક્ષણે યુકત સાધુરુપ ભગવાન જાણવા, ને ઓગણચાળીશ -લક્ષણે યુકત રાજારુપ ભગવાન જાણવા, બાકી ઐશ્વર્યપણે કરીને ભગવાનપણું નથી. આ વાતપણ અવશ્‍ય સમજવાની છે. ૧૪૮ ત્રીસ લક્ષણ : ૧. કૃપા,  ૨. અદ્રોહ,  ૩. ક્ષમા,  ૪. સત્‍ય,  ૫. અદ્વેષ,  ૬. સમાનતા,  ૭. ઉપકાર,  ૮. અકામ,  ૯. જીતેન્‍દ્રિયણું,  ૧૦. કોમળતા  ૧૧. નિર્મળતા,  ૧૨. અસંગ્રહ,  ૧૩. સદાચાર,  ૧૪. લધુઆહાર,  ૧૫. શાંતિ,  ૧૬. સદ્વિચાર,  ૧૭. ભગવાદાશ્રય,  ૧૮. સાવધાનતા,  ૧૯. નિર્વિકારતા,  ૨૦. ધૈર્ય,  ૨૧. ગાંભીર્ય,  ૨૨. દયા,  ૨૩. છ ઊર્મિ,  (ભૂખ, તરલ, શોક, મોહ, જરા અને મૃત્‍ય.) રહિતપણું,  ૨૪. નિમર્ાનતા,  ૨૫. વિવેક  ૨૬. ઉપદેશ શકિત  ૨૭.  જ્ઞાતાપણું  ૨૮. સુહૃદપણું,  ૨૯. શ્રદ્ધા,  ૩૦. ભગવત્‍પરાયણતા.                                                                                                                                                                                                     શ્રી. ભા. સ્‍કં, ૧૧ અ. ૧૧ ઓગણચાલીસ લક્ષણ : ૧.સત્‍ય,  ૨.શૌચ,  ૩.દયા,  ૪.ક્ષમા,  ૫.ત્‍યાગ,  ૬.સંતોષ,  […] read more
0 Views : 104

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૪૯

અને અંતરમાં ટાઢું રહ્યા કરે ને ધગી ન જાય તેના બે ઉપાય છે. એક તો ભગવાનનું ભજન કરવું ને બીજું ભગવાનને સર્વકર્તાસમજવા. ને તેમાં સુખ આવે તો સુખ ભોગવી લેવું ને દુ:ખ આવે તો દુ:ખ ભોગવી લેવું. તે કહ્યું છે જે : દાસના દુશ્‍મન હરિ કદિ હોય નહિ, જેમ કરશે તેમ સુખ થાશે  ૧૪૯ read more
0 Views : 98

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧પ૦

ભગવાને મોહ તે શા સારુ કર્યો હશે ? એમ સંકલ્‍પ કરીને તપાસ કર્યો,  તો જણાયું જે એ સમજીને કર્યું છે, નીકર બ્રહ્માંડ ચાલત નહિ. ૧૫૦ read more
0 Views : 106

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧પ૧

અને મુકતાનંદ સ્‍વામીમાં હેત થાય નહિ અને ભૂંડણ જેવી ડોશી હોય તેમાં હેત થાય. કેમજે દેવની માયાનો મોહ જ એવો છે. ૧૫૧ read more
0 Views : 77

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧પર

મોટાને વિષે સદ્ભાવ એ જ નિર્વાસનીકપણનો હેતુ છે, ને મોટાને વિષે અસદ્ભાવ એ જ વાસનાનો હેતુ છે. અને ભગવાન ઓળખાણા, સાધુ ઓળખાણાં, હવે સમજી રહ્યા. હવે કાંઇ ધ્રોડ કરવો નહિ. ૧૫૨ read more
0 Views : 87
Powered By Indic IME