અને ભગવાનનો આશરો થયો છે, એવી તો કોઇ વાત નથી. તેને તો સર્વે વાત થઇ રહી છે, કાંઇ કરવું બાકી રહ્યું નથી ને ભગવાન તો અધમઊદ્ધારણ, પતિતપાવન ને શરણાગત વત્સલ છે, ને એ દીનબંધુ દયાળુ ભગવાન કેવા દયાળુ છે ? ‘જાકા જગમે કોઇ નહિ તાકે તુમ મહારાજ’ જે જેનું કોઇ નહિ તેના ભગવાન છે. તે ભગવાન તો ગરીબના નવાજ કહાવે છે ને : પ્રગટને ભજી ભજી પાર પામ્યાં ઘણાં, ગીધ ગુનકા કપિવૃંદ કોટિ, વજતણી નાર વ્યભિચાર ભાવે તરી, પ્રગટ ઉપાસના સૌથી મોટી. માટે પ્રગટના જેવી તો કોઇ વાત નથી. ને પ્રગટ સૂર્ય વતે અજવાળું થાય છે, માટે પ્રગટનો આશરો થયો છે તે બળ રાખવું. ૧૪૦
read more