Last Updated:
May 5, 2025

Click here to submit your article
પ્રકરણ ૧
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૩૭

અને આ વાતું તો જાદુ છે, તે જે સાંભળે તે ગાંડો થાય. તે ગાંડો તે શું ? તો જે જગત ખોટું થઇ જાય, પછી તેને કોણ ડાહ્યો કહે ? ૧૩૭ read more
0 Views : 97

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૩૮

અને ઇન્‍દ્રિયો અંત:કરણ તો મુંબઇ ને સુરતનાં તળનાં માણસ જેવાં છે. તેને સત્‍સંગ થાય નહિ. ને માંહિલો કજીયો તો બહુ ભારે છે. તે જેને આડો આવે તે જાણે. એ તો મધરાસીના રંગની પેઠે માયાના પાસ લાગે છે, તેથી વાત અડતી નથી. ૧૩૮ read more
0 Views : 92

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૩૯

અને સાધને કરીને કદાપિ નિર્વાસનિક થવાશે, તો પણ શું પાકયું ? ને તેણે કરીને શું ફળ છે ? એ તો ઝાડવાં જેવો  છે ને ભગવાનની નિષ્‍ઠા છે, ને વાસના છે તો પણ તેની શી ફીકર છે ? ને તેનો શો ભાર છે ? ઇત્‍યાદિક બહુ બળની વાત કરી. ૧૩૯ read more
0 Views : 108

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૪૦

અને ભગવાનનો આશરો થયો છે, એવી તો કોઇ વાત નથી. તેને તો સર્વે વાત થઇ રહી છે, કાંઇ કરવું બાકી રહ્યું નથી ને ભગવાન તો અધમઊદ્ધારણ, પતિતપાવન ને શરણાગત વત્‍સલ છે, ને એ દીનબંધુ દયાળુ ભગવાન કેવા દયાળુ છે ? ‘જાકા જગમે કોઇ નહિ તાકે તુમ મહારાજ’ જે જેનું કોઇ નહિ તેના ભગવાન છે. તે ભગવાન તો ગરીબના નવાજ કહાવે છે ને : પ્રગટને ભજી ભજી પાર પામ્‍યાં ઘણાં, ગીધ ગુનકા કપિવૃંદ કોટિ, વજતણી નાર વ્‍યભિચાર ભાવે તરી, પ્રગટ ઉપાસના સૌથી મોટી. માટે પ્રગટના જેવી તો કોઇ વાત નથી. ને પ્રગટ સૂર્ય વતે અજવાળું થાય છે, માટે પ્રગટનો આશરો થયો છે તે બળ રાખવું. ૧૪૦ read more
0 Views : 90

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૪૧

અને તપાસીને જોયું, તે આપણે તો વિષયનો સંબંધ હોય ત્‍યારે પ્રભુ ભજાય પણ તે વિના ભજાય નહિ, અને ખાવાનું, રહેવાનું આદિક સાનુકૂળ હોય તો ભજાય. ૧૪૧ read more
0 Views : 90

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૪ર

અને આ જીવ વિષયમાંથી નોખો પડતો નથી. આ ભજન કરાવીએ છીએ, તેમાંથી જરાક પળ બે પળ નોખો પડે, તેથી નિર્ગુણ ભાવને પામી જાય. ને જીવને તો વચનામૃતમાં લંબકર્ણ જેવો કહ્યો છે. એવો હોય ને એ વર્તમાન પાળે એ તો જીવ સારો હશે. ને બ્રહ્માંડમાં એવો કોઇ પુરુષ નથી જેને સ્ત્રી ન જોઇએ ને એવી કોઇ સ્ત્રી નથી જે જેને પુરુષ ન જોઇએ. તેમાંથી નોખા પડવાનો તો મહારાજે એક શ્લોક લખ્‍યો છે: જે: ‘નિજાત્‍માનં બ્રહ્મરુપં’ જેમ ગુજરાતની પૃથ્‍વીમાં પાતાળ સુધી ખોદીએ તો પણ પાણો ન મળે, એ જ ઉપાય છે. ૧૪૨ read more
0 Views : 92

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૪૩

અને મોર્ય તો ભગવાનને મુમુક્ષુ ખોળતા ને આજ તો ભગવાન મુમુક્ષુને ખોળે છે. ૧૪૩ read more
0 Views : 92

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૪૪

અને ભગવાન ભજીએ છીએ તેમાંથી બહુ જ મોટો લાભ થાશે, તે એક બ્રહ્માંડ જેટલો ન કહેવાય ને સો બ્રહ્માંડ જેટલો પણ ન કહેવાય. ૧૪૪ read more
0 Views : 90
Powered By Indic IME