Last Updated:
May 5, 2025

Click here to submit your article
પ્રકરણ ૧
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧ર૧

કેટલેક રુપિયે આંખ, કાન આદિક ઇન્‍દ્રિયો મળે નહિ, તે ભગવાને આપયાં છે, પણ જીવ કેવળ કૃતઘ્‍ની છે. ૧૨૧ read more
0 Views : 91

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧રર

અને કોટિ કલ્‍પે ભગવાનનું ધામ ન મળે તે આવા સાધુને હાથ જોડે એટલામાં મળે છે. ૧૨૨ read more
0 Views : 99

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧ર૩

અને બીજા દોષને મહારાજ ગણતા નથી. પણ ચાર દ્રોહને ગણે છે, તે એક ભગવાન, બીજા આચાર્યજી, ત્રીજા સાધુ ને ચોથા સત્‍સંગી છે, માટે એ ચારનો દ્રોહ ન કરવો. ૧૨૩ read more
0 Views : 105

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧ર૪

ભગવાનના સ્‍વરુપની નિષ્‍ઠા થઇ તેને સાધન સર્વે થઇ રહ્યાં, બાકી કાંઇ કરવું રહ્યું નથી. ૧૨૪ read more
0 Views : 93

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧રપ

અને મહારાજે કહ્યું હતું : જે ‘સ્ત્રીને છોકરાં થાય તે પછી પુરુષમાં હેત ઓછું થઇ જાય’ તેમ ભગવાનની મૂર્તિ દેખાય તે પછી પ્રગટની તાણ ઝાઝી રહેતી નથી. ૧૨૫ read more
0 Views : 102

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧ર૬

આ લોકમાં ડાહ્યો તો કોઇ પ્રભુ ભજતો નથી, ને જે ગાંડો થાય તે ભજે છે. ૧૨૬ read more
0 Views : 99

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧ર૭

અને બાજરો ખાવો ને પ્રભુ ભજવા, બીજું કાંઇ કરવું નથી. ને રોટલા તો ભગવાનને દેવા છે તે દેશે દેશે ને દેશે. ૧૨૭ read more
0 Views : 87

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧ર૮

અને ધર્મશાળાના કામમાં માણસે બહુ દાખડો કર્યો. તે અમે બહુ રાજી થઇ રહ્યા. ને આવા સાધુનું દર્શન તો પંચ મહાપાપને પણ બાળી નાખે એવું છે, પણ એવો મહિમા નથી, ને એવો મહિમા હોય તો અંતરમાંથી આનંદના ફુવારા છૂટે છે ને આતે કાંઇ વાતું છે ! આ તો અક્ષરધામની વાતું છે, પણ સાંખ્‍ય વિના કસર રહી જાય ને સાંખ્‍યવાળાને તો આ લોક નરક જેવું લાગે છે, પણ કયાય માલ મનાય નહિ. ને આ કારખાનું તો ધૂળનું છે માટે તેમાં માલ માનવો નહિ. ૧૨૮ read more
0 Views : 83
Powered By Indic IME