Last Updated:
May 5, 2025

Click here to submit your article
પ્રકરણ ૧
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૦5

‘મોહામોહ મીલે નિજ પ્રીતમ, કુન પતિયાર કરે પતિયાસે’ તેમાં શું કહ્યું ? જે કાગળના લખનારા મળ્‍યા, તે પછી કાગળનું શું કામ ? તેમ આપણને પ્રગટ સંત મળ્‍યા છે, હવે શું બાકી રહ્યું ? ૧૦૫ read more
0 Views : 79

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૦૬

અને આજ તો-મહારાજ કહે: કે ‘સહુને ભીડામાં લેવા છે ને સહુને એકાંતિક કરવા છે, ને વાસના હશે તો સૂર્યના લોકમાં થઇને બાળીને લઇ જાશું.’ ૧૦૬ read more
0 Views : 84

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૦૭

અને રાજાના કુંવરને ઢેઢથી મરાય નહિ, તેમ ભગવાનના ભકતને માથે કાળ, કર્મ, માયા આદિક કોઇનો ભાર નહિ, જે તેને પીડી શકે. ૧૦૭ read more
0 Views : 88

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૦૮

સુલભા હતી તે સમાધિવાળી હતી ને પરકાયામાં પ્રવેશ કરતી એવી હતી, પણ વનમાં ગઇ ત્‍યાં સારું દેખીને એમ થયું જે ‘કોઇ પુરુષ હોય તો રમીએ !’ ૧૦૮ read more
0 Views : 94

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૦૯

અને ધર્મશાળા હતી તે પાડીને ફરી કરી, તે હવે પ્રથમની દેખાતી નથી, એમ પ્રકૃતિનું કાર્ય સર્વે નાશ કરી નાખવું તેનું નામ સાંખ્‍ય કહેવાય. ૧૦૯ read more
0 Views : 84

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૧૦

અને પોતાને જાણે બે માણસનું કામ કરે, તેથી પણ મોટાની આજ્ઞાએ કરીને બેસી રહે, અથવા કહે એટલું જ કરે એ શ્રેષ્‍ઠ છે. ૧૧૦ read more
0 Views : 79

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૧૧

વિષય લોપી નાખતા હોય તેને મોટાને રાજી કર્યાનો શો ઉપાય ? એ પ્રશ્નનો ઉત્તર: જે મોટાની અનુવૃત્તિ ને તે જે કહે તે કરવું એ જ છે. ૧૧૧ read more
0 Views : 78

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૧ર

મોટાને શું કરવાનું તાન છે તે કેમ સમજાય ? એ પ્રશ્નનો ઉત્તર કર્યો: તેમાં વડતાલનું સોળમું વચનામૃત વંચાવીને બોલ્‍યાં જે આમાં કહ્યું છે તેમ કરાવવું છે. તે શુ ? જે ભગવાનનું ભજન કરવું ને ભગવાનના ભકતનો સંગ, એ બે જ રહસ્‍ય ને અભિપ્રાય છે. તે લઇને મંડે તો રાજી થાતાં કયાં વાર છે ? માટે રાજી કરવા હોય તેને મંડવું. ૧૧૨ read more
0 Views : 98
Powered By Indic IME