Last Updated:
May 5, 2025

Click here to submit your article
પ્રકરણ ૧
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૯૭

અને આખી પૃથ્‍વીમાં એક માણસ મરે તેનો કાંઇ ખરખરો થાય છે ? તેમ અક્ષરની દૃષ્ટિને જે પામે છે તેને આખા બ્રહ્માંડનો પ્રલય થાય તો પણ થડકો ન થાય, એવી પણ એક સમજણ છે. ૯૭ read more
0 Views : 76

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૯૮

અને સાંખ્‍યની દ્ઢતા કેમ થાય ? પ્રશ્નનો ઉત્તર : જે માણસ મરી જાય છે ને દેહ ઘરડું થઇ જાય છે તે જોવું, ને નિત્‍ય પ્રલય, નિમિત્તપ્રલય ને પ્રાકૃતપ્રલયનો વિચાર કરવો, અને સાંખ્‍ય ને યોગ સિદ્ધ કરવાનું કારણ આ સમાગમ છે. ૯૮ read more
0 Views : 108

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૯૯

જેમ નાતનો, નામનો અને ગામનો નિશ્વય થયો છે, તેમજ એવો અભ્‍યાસ કરે: જે ‘હું આત્‍મા છું, બ્રહ્મ છું, સુખરુપ છું, ભગવાનનો ભકત છું પણ દેહ તે હું નહિ, એમ કરે તો તે પણ થાય, ને આ દેહ આપણને નિત્‍ય નરક ચુંથાવે છે એથી ભૂંડું શું ? પણ જ્ઞાન વિના તેની ગમ નથી. ૯૯ read more
0 Views : 90

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૦૦

અને અક્ષરધામના જેવું સુખ અહીં વર્તે છે, તેમાં પણ કેટલાક દુ:ખિયા છે. તેમાં દેહનું દુ:ખ થોડું ને મનનું દુ:ખ ઝાઝું છે. ૧૦૦ read more
0 Views : 89

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૦૧

પ્રકૃતિ પુરુષ સુધી ત્રણ તાપ છે ને ત્રણ ગુણ છે, ને તેથી પર ગુણાતીત સુખ છે. ૧૦૧ read more
0 Views : 106

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૦ર

અને ભગવાન ને ભગવાનના સાધુ એ બે સામું જોવું, ને એ જ જોયા જેવા છે બીજામાં માલ નથી. ૧૦૨ read more
0 Views : 106

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૦૩

મોટાને વિષે મનુષ્યભાવ નથી રહ્યો તે કેમ તપાસ કરવો ? એ પ્રશ્નનો ઉત્તર: જે એની કોઇ કિયામાં દોષ ન આવે એ જ દિવ્‍ય ભાવ છે. ૧૦૩ read more
0 Views : 97

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૦૪

અને ભગવાનની સ્‍તુતિ કરવી, પણ પોતાને પતિત કે અધમ માનવું નહિ, કેમજે એમ માને તો જીવમાં બળ રહે નહિ ને જીવ ગ્‍લાનિ પામી જાય, ને આપણને તો ભગવાન મળ્‍યા છે માટે પતિત શા સારુ માનીએ ? આપણે તો કૃતાર્થ માનવું. ૧૦૪ read more
0 Views : 82
Powered By Indic IME