અને જો માર માર કરતો કોઇ આપતો હોય તોપણ એમ સમજવું, જે ‘મારા સ્વામીનું જ કર્યું સર્વે થાય છે, પણ તે વિના કોઇનું હલાવ્યું પાંદડું પણ હલતું નથી.’ ૮૯ read more
આખું બ્રહ્માંડ સ્વામિનારાયણનું ભજન કરશે ત્યારે સત્સંગ થયો, ને ત્યાં સુધી થાવો છે. ને મહારાજના મળેલા એક સાધુની કેડે લાખું માણસ ફરશે, ત્યાં સુધી સત્સંગ થાવો છે. ૯૧ read more
અને દોષ કેમ ટળતા નથી ? એ પ્રશ્નનો ઉત્તર: જે એ તો ધનવંતરી વૈદ્ય છે, તે ખોટા કેમ થાશે ? ને જેમ અક્ષરાનંદ સ્વામીને ગોળી દઇ રાફી કાઢી નાખી, તેમજ કામ, ક્રોધ આદિક ઘણી રાફીયું છે તેને કાઢી મૂકશે. આપણે તો એને બાઝી પડવું એટલું જ કરવું. ૯૩ read more
આ તો બહુ મોટો લાભ થયો છે, પણ ઉંઘમાં જાય છે. તે શું ? જે વિષયમાં સુષુપ્તિ નિરંતર વર્તે છે. આ દર્શન તો પંચમહાપાપને બાળી મૂકે એવું છે, પણ મહિમા જણાતો નથી. ૯પ read more