Last Updated:
May 5, 2025

Click here to submit your article
પ્રકરણ ૧
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૭૩

મહારાજની કહેલી વાત કરી જે મહારાજ કહે: જે ‘કરોડ વહાણે કરીને એક મનવાર ભરાય, એવી સો કરોડ મનવાયુર્ં ભરવી છે, એટલા જીવનું કલ્‍યાણ કરવું છે. એટલા જીવનું કલ્‍યાણ કેમ થાય ? પછી અમે વિચાર કર્યો જે અમારું દર્શન કરે તેનું કલ્‍યાણ, પછી વળી એમ વિચાર કર્યો જે અમારું દર્શન તે કેટલાક જીવને થાશે ? માટે અમારા સાધુનું દર્શન કરે તેનું પણ કલ્‍યાણ, પછી વળી તેમાં પણ વિચાર થયો જે સાધુનું દર્શન પણ કેટલા જીવને થાશે ? માટે અમારા સત્‍સંગીનું દર્શન કરે તેનું પણ કલ્‍યાણ, ને સત્‍સંગીને જમાડે ને એનું જમે, ને સત્‍સંગીને પાણી પાય ને એનું પાણી પીએ એ સર્વેનું કલ્‍યાણ કરવું છે.’ ૭૩ read more
0 Views : 99

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૭૪

ગુરુનું અંગ બોલાવ્‍યું તેમાં પ્રશ્ન પૂછયું : જે આ અંગમાં તો સર્વે વાત ગુરુ જ કરે એવું કહ્યું છે, પણ કાંઇ પુરુષપ્રયત્‍ન તો કહ્યું નથી તે કેમ સમજવું ? એ પ્રશ્ન પુછયું ત્‍યારે તેનો ઉત્તર કર્યો, જે સર્વે વાત ગુરુ જ આપે છે, ત્‍યારે આંહી અવાણું છે તે હમણાં એમ જ છે, જે સર્વે દોષ ટળી જાય તો પછી સુખે સૂઇ રહે, પછી કોઇક ટોકે તોપણ ન ખમાય ને જ્ઞાન વિના તો ઉન્‍મત્ત થઇ જાય, માટે સર્વ કરતાં જ્ઞાન શ્રેષ્‍ઠ છે. ૭૪ read more
0 Views : 90

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૭પ

ભગવાન ને સાધુના મહિમાની બહુ વાત કરી, ત્‍યારે પ્રશ્ન પૂછયું : જે આવા મહિમાનો સાક્ષાત્‍કાર કેમ થાતો નથી ? તેનો ઉત્તર જે સાક્ષાત્‍કાર થાય તો છકી જવાય, માટે ધીરે ધીરે જ્ઞાન આપે છે, ને મહિમા વૃદ્ધિ પમાડે છે. જેમ ફળ પુષ્પ વૃદ્ધિને પામે એમ થાય છે. એ ભગવાનને જેમ ઘટે એમ આવડે છે ને જેમ ઘટે એમ કરે છે. ને ઠામુકું આપે તો ગાંડા થઇ જવાય, માટે એ ભગવાન ઠીક કરે છે. ૭૫ read more
0 Views : 94

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૭૬

આતો અનંત ભગવાનના ભગવાન છે એટલું જ કહીએ છીએ, એથી આધું કેટલુંક કહીએ ? તે આપણા ઘરમાં આવીને બેઠા છે, આ તો કૂબામાં જેમ હાથી બાંધે તેમ છે. ૭૬ read more
0 Views : 112

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૭૭

અને આપણે તો ભગવાનનો ખપ નથી, પણ ભગવાન આવીને પરાણે આપણને વળગ્‍યા છે, તે મહારાજ કહે, ‘ભૂત વળગે છે તે પણ નથી મૂકતું તો અમે કેમ મૂકશું ?’ ૭૭ read more
0 Views : 101

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૭૮

ભગવાન જીવના અવગુણ સામું જોતા નથી. તે કોઇક જીવ ભગવાનની સ્‍તુતિ કરીને એમ બોલે : જે ‘હું ગુન્‍હેગાર છું’ તેના ભગવાન ગુન્‍હા માફ કરે. ૭૮ read more
0 Views : 97

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૭૯

અમને તો એક જન્‍મ મરણનો રોગ ટાળતાં આવડે છે. બીજું આવડતું નથી. ૭૯ read more
0 Views : 373

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૮૦

અને સર્વ પ્રકારની આસકિત ટળી જાય તો આ લોક ને દેહ તે ગમે નહિ ને આ લોકમાં રહેવું પડે તે દુ:ખ થાય છે એમ બોલ્‍યા તે ઉપર પ્રશ્ન પૂછયું, જે આસકિત રહે છે, તેનું દુ:ખ થાય છે; તેનું કેમ સમજવું ? પછી તેનો ઉત્તર કર્યો: જે એ દુ:ખ સારું કરે છે, કેમ જે નિર્માની રહેવાય, તે ભગવાન કરતા હશે તે ઠીક કરતા હશે, ને દેહનું રુપ તો ગામ ફણેણીમાં સુરાખાચરને કાન દેખાડયો તે ભેળી ઉલટી થઇ, તેમ બીજાને દેખાય તો એવું થાય. ૮૦ read more
0 Views : 106
Powered By Indic IME