મહારાજની કહેલી વાત કરી જે મહારાજ કહે: જે ‘કરોડ વહાણે કરીને એક મનવાર ભરાય, એવી સો કરોડ મનવાયુર્ં ભરવી છે, એટલા જીવનું કલ્યાણ કરવું છે. એટલા જીવનું કલ્યાણ કેમ થાય ? પછી અમે વિચાર કર્યો જે અમારું દર્શન કરે તેનું કલ્યાણ, પછી વળી એમ વિચાર કર્યો જે અમારું દર્શન તે કેટલાક જીવને થાશે ? માટે અમારા સાધુનું દર્શન કરે તેનું પણ કલ્યાણ, પછી વળી તેમાં પણ વિચાર થયો જે સાધુનું દર્શન પણ કેટલા જીવને થાશે ? માટે અમારા સત્સંગીનું દર્શન કરે તેનું પણ કલ્યાણ, ને સત્સંગીને જમાડે ને એનું જમે, ને સત્સંગીને પાણી પાય ને એનું પાણી પીએ એ સર્વેનું કલ્યાણ કરવું છે.’ ૭૩
read more