અક્ષરસ્વરુપ સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીની વાતો પ્રકરણ ૧ લું શ્રીભગવાન તથા સંતના મહિમાનું મુખ્યપણું પ્રથમ તો સર્વે સંકલ્પને પડયા મૂકીને એકાગ્રચિત્ત થઇને શ્રીજી મહારાજ પુરુષોત્તમને સંભારીને એમ ધારવું, જે સ્વામી વાતું કરેછે ને આપણે સાંભળીએ છીએ, એમ સાંભળીને તે પ્રમાણે પોતાના અંતરમાં તપાસ કરતા જાવું, ને કહ્યુંછે તેમ સમજીને વર્તવું. ઃ મંગલાચરણ ઃ મહાધ્યાનાભ્યાસં વિદધતમજસ્ત્ર ભગવતઃ પરિત્રે સંપ્રાપ્તં સ્થિતિમતિવરૈકાંતિકવૃષે | સદાનંદં સારં પરમ હરિવાર્તા વ્યસનિનં ગુણાતીતાનંદં મુનિવરમહં નૌમિ સતતમ્ || અર્થ : નિરંતર ભગવાનના ઘ્યાનનો અત્યંત અભ્યાસ કરનારા, અત્યંત શ્રેષ્ઠ એકાંતિક ધર્મમાં સ્થ્િાતિ પામેલા, ભગવાનની અત્યંત વાતો કરવાના વ્યસનવાળા અને સત્ ચિત્ ને આનંદમય જેનું સ્વરુપ છે. એવા ગુણાતીતાનંદ નામના મોટા મુનિને હું નિરંતર નમસ્કાર કરું છું. -૧ સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧ ભગવાન ને સાધુના મહિમાની વાતું નિરંતર કરવી ને સાંભળવી. શ્રીજી મહારાજ તો પોતાનું અક્ષરધામ, પાર્ષદ ને પોતાનું સમગ્ર ઐશ્વર્ય લઇને આંહી પધાર્યા છે, તે એવા ને એવા જ છે. ને દેહ મૂકીને જેને પામવા છે તે આજ દેહ છતાં જ મળ્યા છે, કાંઇ બાકી નથી. એમ ન સમજાય તેથી જીવમાં દુબળાઇ રહે છે, ને એમ સમજાય ત્યારે કોઇ દિવસ જીવમાં દુબળાઇ મનાય જ નહિ, ને જીવ બીજી રીતનો થઇ જાય. ને મહિમા સમજવા જેવું બીજું કોઇ મોટું સાધન પણ નથી, ને મહિમા વિના બીજાં ગમે […]
read more