Last Updated:
May 5, 2025

Click here to submit your article
પ્રકરણ ૧
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧

અક્ષરસ્‍વરુપ સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્‍વામીની વાતો પ્રકરણ ૧ લું શ્રીભગવાન તથા સંતના મહિમાનું મુખ્‍યપણું પ્રથમ તો સર્વે સંકલ્‍પને પડયા મૂકીને એકાગ્રચિત્ત થઇને શ્રીજી મહારાજ પુરુષોત્તમને સંભારીને એમ ધારવું, જે સ્‍વામી વાતું કરેછે ને આપણે સાંભળીએ છીએ, એમ સાંભળીને તે પ્રમાણે પોતાના અંતરમાં તપાસ કરતા જાવું, ને કહ્યુંછે તેમ સમજીને વર્તવું. ઃ મંગલાચરણ ઃ મહાધ્યાનાભ્યાસં વિદધતમજસ્ત્ર ભગવતઃ પરિત્રે સંપ્રાપ્તં સ્થિતિમતિવરૈકાંતિકવૃષે | સદાનંદં સારં પરમ હરિવાર્તા વ્યસનિનં ગુણાતીતાનંદં મુનિવરમહં નૌમિ સતતમ્ || અર્થ : નિરંતર ભગવાનના ઘ્‍યાનનો અત્‍યંત અભ્‍યાસ કરનારા, અત્‍યંત શ્રેષ્‍ઠ એકાંતિક ધર્મમાં સ્‍થ્‍િાતિ પામેલા, ભગવાનની અત્‍યંત વાતો કરવાના વ્‍યસનવાળા અને સત્ ચિત્ ને આનંદમય જેનું સ્‍વરુપ છે. એવા ગુણાતીતાનંદ નામના મોટા મુનિને હું નિરંતર નમસ્‍કાર કરું છું. -૧ સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧ ભગવાન ને સાધુના મહિમાની વાતું નિરંતર કરવી ને સાંભળવી. શ્રીજી મહારાજ તો પોતાનું અક્ષરધામ, પાર્ષદ ને પોતાનું સમગ્ર ઐશ્વર્ય લઇને આંહી પધાર્યા છે, તે એવા ને એવા જ છે. ને દેહ મૂકીને જેને પામવા છે તે આજ દેહ છતાં જ મળ્‍યા છે, કાંઇ બાકી નથી. એમ ન સમજાય તેથી જીવમાં દુબળાઇ રહે છે, ને એમ સમજાય ત્‍યારે કોઇ દિવસ જીવમાં દુબળાઇ મનાય જ નહિ, ને જીવ બીજી રીતનો થઇ જાય. ને મહિમા સમજવા જેવું બીજું કોઇ મોટું સાધન પણ નથી, ને મહિમા વિના બીજાં ગમે […] read more
1 Views : 1406

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ર

સાંખ્‍યવિચાર કરવા શીખવો ને સાંખ્‍ય વિના લોભ, કામ, સ્‍વાદ, સ્‍નેહ ને માન એ પાંચ દોષ તથા અઘ્‍યાત્‍મ, અધિભૂત ને અધિદૈવ એ ત્રણ તાપ એ સર્વે નું દુ:ખ મટે નહિ, ને સાંખ્‍ય વિના અર્ધો સત્‍સંગ કહેવાય, માટે સુખિયા રહેવાને અર્થે સાંખ્‍ય વિચાર કરવો. ૨ read more
0 Views : 336

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩

પ્રહ્લાદજીએ નારાયણ સાથે ઘણા દિવસ સુધી યુદ્ધ કર્યું, પણ ભગવાન જીતાણા નહિ, પછી ભગવાને પ્રહ્લાદને કહ્યું જે ”એ યુદ્ધે કરીને તો હું જીતાઉ એવો નથી. મને જીતવાનો ઉપાય તો એ છે, જે જીભે કરીને મારું ભજન કરવું, મનમાં મારું ચિંતવન કરવું ને નેત્રમાં મારી મૂર્તિ રાખવી, એ પ્રકારે નિરંતર મારી સ્‍મૃતિ રાખવી.” એમ કહ્યું છે. પછી એવી રીતે પ્રહ્લાદે અભ્‍યાસ કર્યો ત્‍યારે ભગવાન છ માસમાં વશ થઈ ગયા. માટે ભગવાનને રાજી કરવાને અર્થે આ ઊપાય સર્વોપરી છે, તે શીખવો. ૩ read more
0 Views : 279

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૪

ભગવાનની મોટાઈ જેનાં અંતરમાં સમજાણી હોય, તેને ગમે તેવા દેશકાળની અવળાઈ થાય અથવા દેહમાં ગમે એવો રોગ થઈ આવે, ઈત્યાદિકમાં પણ એમ સમજે જે ભગવાનના કર્યા વિના પાંદડું પણ કોઈનું હલાવ્યું હલતું નથી.’ એમ સમજીને સુખી રહે ને એમ ન સમજે તેને કોઈ પ્રકારનો દેશકાળ આવે તો સત્સંગ ચૂંથાઈ જાય. ૪ read more
0 Views : 309

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- પ

આ જીવ સાધન તે શું કરશે ? એ તો જેમ કોશ જોડીને વાડી કરવી તેમાં ઘણો દાખડો. કેમ જે તેને ઢોર ખાય, પંખી ખાય, તેમ સાધન વતે કલ્‍યાણ થાવું તે એવું છે. ને ભગવાનની પ્રાપ્‍તિ તો કેવી છે ? જે આ પૃથ્‍વીમાં વરસાદ વરસે ને દાણા પાકે છે, પછી તેને ઢોર ખાય, પંખી ખાય ને ચોર લઈ જાય તો પણ ખૂટે નહિ. કૂવા, તળાવ ને નદીઓ ખૂટે પણ સમુદ્ર ન ખૂટે, તેમ ભગવાન વતે કલ્‍યાણ તે એવું છે. ને આ તો બહુજ દુર્લભ છે, પણ મહિમા સમજાતો નથી. ૫ read more
0 Views : 350

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૬

મોટાને સેવ્‍યા હોય ને તેના ગુણ આવ્‍યા હોય તેને દેશકાળ ન લાગે. કેની પેઠે તો જેમ સૂર્ય આગળ અંધારું ભેળું થઈને જાય, પણ ત્‍યાં રહેવા પામે નહિ. ૬ read more
0 Views : 293

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૭

ભગવાનમાં જોડાણા હોય, ભગવાનની મરજીને પણ જાણતા હોય ને ભગવાનની આજ્ઞામાં રહેતા હોય એવા સાધુ સાથે પોતાના જીવને બાંધવો, તે થકી ધર્મ, જ્ઞાન, વૈરાગ્‍ય, ભકિત, ને મહિમા સહિત ઉપાસના એ સર્વે ગુણ પમાય પણ તે વિના કયાંથી પમાય ? ને જેવા સાધુને સેવે તેવા ગુણ આવે; તે મુમુક્ષુ હોય તે પણ ઘટી જાય ને પામર હોય તે વધી જાય, માટે સર્વેનું કારણ સંગ છે. ૭ read more
0 Views : 280

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૮

ઇન્‍દ્રિયારામ હોય તે દબાય પણ આત્‍મારામ હોય તે ન દબાય, કેમ જે ઇન્‍દ્રિયારામને તો સેવા કરીને કે પદાર્થ આપીને પણ દબાવીએ, પણ આત્‍મારામ હોય તે શા સારુ દબાય ? કેમ જે એને તો કાંઈ જોઈએ જ નહીં, ને એ તો અનંતને દબાવી દે પણ પોતે દબાય નહી. ૮ read more
0 Views : 282
Powered By Indic IME