અને અંતરમાં ટાઢું રહ્યા કરે ને ધગી ન જાય તેના બે ઉપાય છે. એક તો ભગવાનનું ભજન કરવું ને બીજું ભગવાનને સર્વકર્તાસમજવા. ને તેમાં સુખ આવે તો સુખ ભોગવી લેવું ને દુ:ખ આવે તો દુ:ખ ભોગવી લેવું. તે કહ્યું છે જે : દાસના દુશ્મન હરિ કદિ હોય નહિ, જેમ કરશે તેમ સુખ થાશે ૧૪૯ read more
મોટાને વિષે સદ્ભાવ એ જ નિર્વાસનીકપણનો હેતુ છે, ને મોટાને વિષે અસદ્ભાવ એ જ વાસનાનો હેતુ છે. અને ભગવાન ઓળખાણા, સાધુ ઓળખાણાં, હવે સમજી રહ્યા. હવે કાંઇ ધ્રોડ કરવો નહિ. ૧૫૨ read more
અને સ્વામિનારાયણ નામના મંત્ર જેવો બીજો કોઇ મંત્ર આજ બળિયો નથી. એ મંત્રે કાળા નાગનું ઝેર ન ચડે, એ મંત્રે વિષય ઉડી જાય, બ્રહ્મરુપ થવાય ને કાળ, કર્મ, માયાનું બંધન છૂટી જાય છે. એવો બહુ બળિયો એ મંત્ર છે. માટે નિરંતર ભજન કરવું. ૧૫૪ read more
અને લાકડાં, પાણા, ઇંટાળા અને માણસ એમાં સૌને દેવની માયાનો મોહ થાય છે. ને ભગવાનની મૂર્તિ આગળ તો સર્વે કાળરુપ છે, ને કથા છે એ ભગવાનની મૂર્તિ છે, તે થકી સમજણની દ્ઢતા થાય છે, માટે એનો અભ્યાસ રાખવો. ૧૫૫ read more
અને નરનારાયણાનંદ સ્વામી એ તો નરનારાયણ જેવા છે. એણે ત્રણ વર્ષ સુધી ડોશીયુંની સભામાં બુરાનપુરમાં વાતુ કરિયું, તેથી મહારાજે તેને નરનારાયણ કહીને પૂજા કરી, ને તેના દીકરા યોગાનંદ સ્વામી ને કૃષ્ણાનંદ સ્વામી થયા હતા, એ તો મોટા મોટા પણ સંસારમાં રહીને આવ્યા છે. ૧૫૬ read more