Last Updated:
May 5, 2025

Click here to submit your article
સ્વામીની વાતો
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૪૯

અને અંતરમાં ટાઢું રહ્યા કરે ને ધગી ન જાય તેના બે ઉપાય છે. એક તો ભગવાનનું ભજન કરવું ને બીજું ભગવાનને સર્વકર્તાસમજવા. ને તેમાં સુખ આવે તો સુખ ભોગવી લેવું ને દુ:ખ આવે તો દુ:ખ ભોગવી લેવું. તે કહ્યું છે જે : દાસના દુશ્‍મન હરિ કદિ હોય નહિ, જેમ કરશે તેમ સુખ થાશે  ૧૪૯ read more
0 Views : 100

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧પ૦

ભગવાને મોહ તે શા સારુ કર્યો હશે ? એમ સંકલ્‍પ કરીને તપાસ કર્યો,  તો જણાયું જે એ સમજીને કર્યું છે, નીકર બ્રહ્માંડ ચાલત નહિ. ૧૫૦ read more
0 Views : 108

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧પ૧

અને મુકતાનંદ સ્‍વામીમાં હેત થાય નહિ અને ભૂંડણ જેવી ડોશી હોય તેમાં હેત થાય. કેમજે દેવની માયાનો મોહ જ એવો છે. ૧૫૧ read more
0 Views : 79

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧પર

મોટાને વિષે સદ્ભાવ એ જ નિર્વાસનીકપણનો હેતુ છે, ને મોટાને વિષે અસદ્ભાવ એ જ વાસનાનો હેતુ છે. અને ભગવાન ઓળખાણા, સાધુ ઓળખાણાં, હવે સમજી રહ્યા. હવે કાંઇ ધ્રોડ કરવો નહિ. ૧૫૨ read more
0 Views : 89

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧પ૩

અને મોક્ષને અર્થે તો ભગવાન ને સાધુ એ બે જ છે, ને બીજાં સાધનનું ફળ તો ધર્મ અર્થ ને કામ છે. ૧૫૩ read more
0 Views : 76

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧પ૪

અને સ્‍વામિનારાયણ નામના મંત્ર જેવો બીજો કોઇ મંત્ર આજ બળિયો નથી. એ મંત્રે કાળા નાગનું ઝેર ન ચડે, એ મંત્રે વિષય ઉડી જાય, બ્રહ્મરુપ થવાય ને કાળ, કર્મ, માયાનું બંધન છૂટી જાય છે. એવો બહુ બળિયો એ મંત્ર છે. માટે નિરંતર ભજન કરવું. ૧૫૪ read more
0 Views : 86

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧પપ

અને લાકડાં, પાણા, ઇંટાળા અને માણસ એમાં સૌને દેવની માયાનો મોહ થાય છે. ને ભગવાનની મૂર્તિ આગળ તો સર્વે કાળરુપ છે, ને કથા છે એ ભગવાનની મૂર્તિ છે, તે થકી સમજણની દ્ઢતા થાય છે, માટે એનો અભ્‍યાસ રાખવો. ૧૫૫ read more
0 Views : 88

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧પ૬

અને નરનારાયણાનંદ સ્‍વામી એ તો નરનારાયણ જેવા છે. એણે ત્રણ વર્ષ સુધી ડોશીયુંની સભામાં બુરાનપુરમાં વાતુ કરિયું, તેથી મહારાજે તેને નરનારાયણ કહીને પૂજા કરી, ને તેના દીકરા યોગાનંદ સ્‍વામી ને કૃષ્ણાનંદ સ્‍વામી થયા હતા, એ તો મોટા મોટા પણ સંસારમાં રહીને આવ્‍યા છે. ૧૫૬ read more
0 Views : 83
Powered By Indic IME