Last Updated:
May 5, 2025

Click here to submit your article
સ્વામીની વાતો
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૪૧

અને તપાસીને જોયું, તે આપણે તો વિષયનો સંબંધ હોય ત્‍યારે પ્રભુ ભજાય પણ તે વિના ભજાય નહિ, અને ખાવાનું, રહેવાનું આદિક સાનુકૂળ હોય તો ભજાય. ૧૪૧ read more
0 Views : 92

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૪ર

અને આ જીવ વિષયમાંથી નોખો પડતો નથી. આ ભજન કરાવીએ છીએ, તેમાંથી જરાક પળ બે પળ નોખો પડે, તેથી નિર્ગુણ ભાવને પામી જાય. ને જીવને તો વચનામૃતમાં લંબકર્ણ જેવો કહ્યો છે. એવો હોય ને એ વર્તમાન પાળે એ તો જીવ સારો હશે. ને બ્રહ્માંડમાં એવો કોઇ પુરુષ નથી જેને સ્ત્રી ન જોઇએ ને એવી કોઇ સ્ત્રી નથી જે જેને પુરુષ ન જોઇએ. તેમાંથી નોખા પડવાનો તો મહારાજે એક શ્લોક લખ્‍યો છે: જે: ‘નિજાત્‍માનં બ્રહ્મરુપં’ જેમ ગુજરાતની પૃથ્‍વીમાં પાતાળ સુધી ખોદીએ તો પણ પાણો ન મળે, એ જ ઉપાય છે. ૧૪૨ read more
0 Views : 94

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૪૩

અને મોર્ય તો ભગવાનને મુમુક્ષુ ખોળતા ને આજ તો ભગવાન મુમુક્ષુને ખોળે છે. ૧૪૩ read more
0 Views : 94

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૪૪

અને ભગવાન ભજીએ છીએ તેમાંથી બહુ જ મોટો લાભ થાશે, તે એક બ્રહ્માંડ જેટલો ન કહેવાય ને સો બ્રહ્માંડ જેટલો પણ ન કહેવાય. ૧૪૪ read more
0 Views : 92

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૪પ

અમારી ભેળા રહે છે ને બીજે માલ માને છે તેને ઓળખાય નહિ. ને આ દર્શન થાય છે એતો બહુ જન્‍મને પુણ્‍યે થાય છે, નીકર દર્શન થાય નહિ ને આતો જેમ છે એમ જણાય તો આ ઘડીએ ગાંડા થાઓ, ને ગાંડું નથી થવાતું એ તો ભગવાનની ઇચ્‍છા છે. ને આ દર્શન તો બહુ દુર્લભ છે, પણ વરસાદ વરસે ત્‍યારે તેનું મહાત્‍મ્‍ય ન જણાય, પણ ન વરસે ત્‍ચારે ખખર પડે ને વરસાદ ન વરસે તેનું તો દેહને દુ:ખ થાય. ને આ યોગ ન થાય તેનું તો જીવમાં દુ:ખ થાય, ને આ યોગ નહિ થાય તેને તો પછી રોવું પડશે. ૧૪૫ read more
0 Views : 88

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૪૬

દેહને લઇને, દેશને લઇને ને કાળને લઇને જીવ ગ્‍લાનિ પામી જાય છે, તે ગ્‍લાનિ પામવી નહિ, એનો તો એવો સ્‍વભાવ છે. ને કર્યું ભગવાનનું થાય છે, તે તેને ગમે તેમ કરે. ને સ્‍થૂળનું દુ:ખ આવે, સૂક્ષ્મનું દુ:ખ આવે ને કારણનું દુ:ખ આવે તેને માનવું નહિ. ને મહારાજે પણ મળતું રાખીને પ્રભુ ભજાવ્‍યા છે. ૧૪૬ read more
0 Views : 92

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૪૭

આ કારખાનાં તો એક વર્ષનાં કરીએ તો બે વર્ષનાં ઊભાં થાય, ને બે વર્ષનું કરીએ તો ચાર વર્ષનું ઊભું થાય છે. ને સૌ મંડીએ તો જૂનાગઢથી વડતાલ સુધી સડક બાંધી દઇએ તો છાંયડે ચાલ્‍યા જાય ને તડકો જ ન લાગે, પણ વાતું કરવાનું ને સમજવાનું છે તે રહી જાય, ને ભગવાન વિના તો આત્‍માજ્ઞાન, વૈરાગ્‍ય ને ધર્મ એ સર્વે અભદ્ર છે, પણ એ કોઇ કલ્‍યાણકર્તા નથી. ૧૪૭ read more
0 Views : 89

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૪૮

અને ત્રીશ લક્ષણે યુકત સાધુરુપ ભગવાન જાણવા, ને ઓગણચાળીશ -લક્ષણે યુકત રાજારુપ ભગવાન જાણવા, બાકી ઐશ્વર્યપણે કરીને ભગવાનપણું નથી. આ વાતપણ અવશ્‍ય સમજવાની છે. ૧૪૮ ત્રીસ લક્ષણ : ૧. કૃપા,  ૨. અદ્રોહ,  ૩. ક્ષમા,  ૪. સત્‍ય,  ૫. અદ્વેષ,  ૬. સમાનતા,  ૭. ઉપકાર,  ૮. અકામ,  ૯. જીતેન્‍દ્રિયણું,  ૧૦. કોમળતા  ૧૧. નિર્મળતા,  ૧૨. અસંગ્રહ,  ૧૩. સદાચાર,  ૧૪. લધુઆહાર,  ૧૫. શાંતિ,  ૧૬. સદ્વિચાર,  ૧૭. ભગવાદાશ્રય,  ૧૮. સાવધાનતા,  ૧૯. નિર્વિકારતા,  ૨૦. ધૈર્ય,  ૨૧. ગાંભીર્ય,  ૨૨. દયા,  ૨૩. છ ઊર્મિ,  (ભૂખ, તરલ, શોક, મોહ, જરા અને મૃત્‍ય.) રહિતપણું,  ૨૪. નિમર્ાનતા,  ૨૫. વિવેક  ૨૬. ઉપદેશ શકિત  ૨૭.  જ્ઞાતાપણું  ૨૮. સુહૃદપણું,  ૨૯. શ્રદ્ધા,  ૩૦. ભગવત્‍પરાયણતા.                                                                                                                                                                                                     શ્રી. ભા. સ્‍કં, ૧૧ અ. ૧૧ ઓગણચાલીસ લક્ષણ : ૧.સત્‍ય,  ૨.શૌચ,  ૩.દયા,  ૪.ક્ષમા,  ૫.ત્‍યાગ,  ૬.સંતોષ,  […] read more
0 Views : 106
Powered By Indic IME