અને દુર્લભમાં દુર્લભ સત્સંગ અને દુર્લભમાં દુર્લભ એકાંતિકપણું ને દુર્લભમાં દુર્લભ ભગવાન એ ત્રણ વાત આપણને મળી રહી છે. ને સૂકાઇ જાઓ, અન્ન મૂકી દ્યો, વનમાં જાઓ ને ઘર મૂકી દ્યો, તે કરતાં પણ આ વાતુ સાંભળવી તે અધિક છે ને આ વાતુ પુરુષોત્તમનાં વચન છે ને ગુણાતીત છે, ને આ વાતુમાંથી તો અક્ષરધામ દેખાય છે. તે ભગવાન અક્ષરધામ ને મુકત ને લઇને એવા ને એવા જ આહીં આવ્યા છે. તેમાં ફેર ન સમજવો, ને મહિમા સમજાતો નથી તેથી જીવ દૂબળો રહે છે. ૧૩૨
read more