Last Updated:
May 5, 2025

Click here to submit your article
સ્વામીની વાતો
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧રપ

અને મહારાજે કહ્યું હતું : જે ‘સ્ત્રીને છોકરાં થાય તે પછી પુરુષમાં હેત ઓછું થઇ જાય’ તેમ ભગવાનની મૂર્તિ દેખાય તે પછી પ્રગટની તાણ ઝાઝી રહેતી નથી. ૧૨૫ read more
0 Views : 104

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧ર૬

આ લોકમાં ડાહ્યો તો કોઇ પ્રભુ ભજતો નથી, ને જે ગાંડો થાય તે ભજે છે. ૧૨૬ read more
0 Views : 101

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧ર૭

અને બાજરો ખાવો ને પ્રભુ ભજવા, બીજું કાંઇ કરવું નથી. ને રોટલા તો ભગવાનને દેવા છે તે દેશે દેશે ને દેશે. ૧૨૭ read more
0 Views : 89

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧ર૮

અને ધર્મશાળાના કામમાં માણસે બહુ દાખડો કર્યો. તે અમે બહુ રાજી થઇ રહ્યા. ને આવા સાધુનું દર્શન તો પંચ મહાપાપને પણ બાળી નાખે એવું છે, પણ એવો મહિમા નથી, ને એવો મહિમા હોય તો અંતરમાંથી આનંદના ફુવારા છૂટે છે ને આતે કાંઇ વાતું છે ! આ તો અક્ષરધામની વાતું છે, પણ સાંખ્‍ય વિના કસર રહી જાય ને સાંખ્‍યવાળાને તો આ લોક નરક જેવું લાગે છે, પણ કયાય માલ મનાય નહિ. ને આ કારખાનું તો ધૂળનું છે માટે તેમાં માલ માનવો નહિ. ૧૨૮ read more
0 Views : 85

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧ર૯

ભગવાનમાં ને સાધુમાં હેત રહેશે તેના ઉપર સહુહેત કરશે, ને એથી પ્રતિકૂળ રહેશે તેને સહુ પ્રતિકૂળ થાશે, એ વાત સમજી રાખવી, એમાં તો કોઇ સંશય નથી. ૧૨૯ read more
0 Views : 84

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૩૦

દુ:ખ કોઇ માનશો નહિ, ને જે જોઇએ તે આપણને મળ્‍યું છે, ને ઝાઝા રુપિયા અપે તો પ્રભુ ભજાય નહિ, તે સારુઆપતા નથી. ૧૩૦ read more
0 Views : 81

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૩૧

મહાપ્રલયના અગ્‍નિમાં પણ વાસના બળી નહિ, તે વાસના તો કારણ શરીર રુપ જે માયા છે. તેને ટાળવાનું કારણ એકતો ભગવાનની ઉપાસના ને બીજી આજ્ઞા છે. તે શિક્ષાપત્રીમાં કહ્યું છે: જે, નિજાત્‍માનમ્ બ્રહ્મરુપં એમ માનવું, ને એ આજ્ઞા છે તે એ વચનમાં મહારાજે સહુને એકાંતિક કરી મૂકયા. ૧૩૧ read more
0 Views : 80

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૩ર

અને દુર્લભમાં દુર્લભ સત્‍સંગ અને દુર્લભમાં દુર્લભ એકાંતિકપણું ને દુર્લભમાં દુર્લભ ભગવાન એ ત્રણ વાત આપણને મળી રહી છે. ને સૂકાઇ જાઓ, અન્ન મૂકી દ્યો, વનમાં જાઓ ને ઘર મૂકી દ્યો, તે કરતાં પણ આ વાતુ સાંભળવી તે અધિક છે ને આ વાતુ પુરુષોત્તમનાં વચન છે ને ગુણાતીત છે, ને આ વાતુમાંથી તો અક્ષરધામ દેખાય છે. તે ભગવાન અક્ષરધામ ને મુકત ને લઇને એવા ને એવા જ આહીં આવ્‍યા છે. તેમાં ફેર ન સમજવો, ને મહિમા સમજાતો નથી તેથી જીવ દૂબળો રહે છે. ૧૩૨ read more
0 Views : 91
Powered By Indic IME