Last Updated:
May 5, 2025

Click here to submit your article
સ્વામીની વાતો
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૬૯

નિરંજનાનંદ સ્‍વામી પાસે બેસે તો અંતર ટાઢું થઇ જાય, તેમ એવા મોટા સાધુ પાસે બેસે તો સુખ આવે, તે કેને સુખ આવે ? તો જેને તેમાં હેત હોય તેને આવે. ૬૯ read more
0 Views : 110

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૭૦

કોટિ કલ્‍પે આ વાત હાથ આવી છે, પણ તે સત્‍સંગ રાજાને, નાતીલાને અને ઘરના માણસને નથી ગમતો, તેમજ દેહ, ઇન્‍દ્રિયો અને અંતકરણને પણ નથી ગમતો, એક જીવને જ ગમે છે, ને માયા તો પેટ કુટે છે જે ‘મારા હાથથી ગયો.’ ૭૦ read more
0 Views : 107

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૭૧

સાધન કરી કરીને મરી જાય તો પણ વાસના ટળે નહિ, ને મોટા અનુગ્રહ કરે ત્‍યારે જ ટળે છે. ૭૧ read more
0 Views : 106

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૭ર

આપણું દર્શન કરશે તેનું પણ કલ્‍યાણ થાશે, પણ બહુ મહિમાં કહીએ તો કોઇ વર્તમાન પાળે નહિ. ને આ તો મુકતે દેહ ધર્યો છે, ને વાસના જેવું જણાય છે તે તો દેહ ધર્યો તેનો ભાવ જણાય છે, નીકર તો દેહ રહે નહિ. ૭૨ read more
0 Views : 107

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૭૩

મહારાજની કહેલી વાત કરી જે મહારાજ કહે: જે ‘કરોડ વહાણે કરીને એક મનવાર ભરાય, એવી સો કરોડ મનવાયુર્ં ભરવી છે, એટલા જીવનું કલ્‍યાણ કરવું છે. એટલા જીવનું કલ્‍યાણ કેમ થાય ? પછી અમે વિચાર કર્યો જે અમારું દર્શન કરે તેનું કલ્‍યાણ, પછી વળી એમ વિચાર કર્યો જે અમારું દર્શન તે કેટલાક જીવને થાશે ? માટે અમારા સાધુનું દર્શન કરે તેનું પણ કલ્‍યાણ, પછી વળી તેમાં પણ વિચાર થયો જે સાધુનું દર્શન પણ કેટલા જીવને થાશે ? માટે અમારા સત્‍સંગીનું દર્શન કરે તેનું પણ કલ્‍યાણ, ને સત્‍સંગીને જમાડે ને એનું જમે, ને સત્‍સંગીને પાણી પાય ને એનું પાણી પીએ એ સર્વેનું કલ્‍યાણ કરવું છે.’ ૭૩ read more
0 Views : 100

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૭૪

ગુરુનું અંગ બોલાવ્‍યું તેમાં પ્રશ્ન પૂછયું : જે આ અંગમાં તો સર્વે વાત ગુરુ જ કરે એવું કહ્યું છે, પણ કાંઇ પુરુષપ્રયત્‍ન તો કહ્યું નથી તે કેમ સમજવું ? એ પ્રશ્ન પુછયું ત્‍યારે તેનો ઉત્તર કર્યો, જે સર્વે વાત ગુરુ જ આપે છે, ત્‍યારે આંહી અવાણું છે તે હમણાં એમ જ છે, જે સર્વે દોષ ટળી જાય તો પછી સુખે સૂઇ રહે, પછી કોઇક ટોકે તોપણ ન ખમાય ને જ્ઞાન વિના તો ઉન્‍મત્ત થઇ જાય, માટે સર્વ કરતાં જ્ઞાન શ્રેષ્‍ઠ છે. ૭૪ read more
0 Views : 92

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૭પ

ભગવાન ને સાધુના મહિમાની બહુ વાત કરી, ત્‍યારે પ્રશ્ન પૂછયું : જે આવા મહિમાનો સાક્ષાત્‍કાર કેમ થાતો નથી ? તેનો ઉત્તર જે સાક્ષાત્‍કાર થાય તો છકી જવાય, માટે ધીરે ધીરે જ્ઞાન આપે છે, ને મહિમા વૃદ્ધિ પમાડે છે. જેમ ફળ પુષ્પ વૃદ્ધિને પામે એમ થાય છે. એ ભગવાનને જેમ ઘટે એમ આવડે છે ને જેમ ઘટે એમ કરે છે. ને ઠામુકું આપે તો ગાંડા થઇ જવાય, માટે એ ભગવાન ઠીક કરે છે. ૭૫ read more
0 Views : 96

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૭૬

આતો અનંત ભગવાનના ભગવાન છે એટલું જ કહીએ છીએ, એથી આધું કેટલુંક કહીએ ? તે આપણા ઘરમાં આવીને બેઠા છે, આ તો કૂબામાં જેમ હાથી બાંધે તેમ છે. ૭૬ read more
0 Views : 114
Powered By Indic IME