Last Updated:
May 5, 2025

Click here to submit your article
સ્વામીની વાતો
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- પ૩

નિરંતર મંદિરનું કામ કર્યા કરે તો પણ જ્ઞાન વૃદ્ધિને પામે નહિ, ને જ્ઞાન તો સાધુસમાગમથી જ થાય. ૫૩ read more
0 Views : 107

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- પ૪

શાસ્ત્રમાં ભારે ભારે પ્રાયશ્વિત કહ્યાં છે, તે સર્વે આવા સાધુના સમાગમ અને દર્શને કરીને નિવૃત થઇ જાય છે, એવું આ દર્શન છે.  ૫૪ read more
0 Views : 93

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- પપ

વાછડાને દૂધનો સ્‍વાદ છે ને ઇતડીને લોહીનો સ્‍વાદ છે તેમ ખાવાપીવાનું સુખ ને માન મોટાઇનું સુખ તે લોહી જેવું છે અને- નિજાત્માનં બ્રહ્મરુપં દેહત્રયવિલક્ષણમ્ । વિભાવ્ય તેન કર્તવ્યા ભકિતઃ કૃષ્ણસ્ય સર્વદા ।। એ સુખ દૂધ જેવું છે. ૫૫ read more
0 Views : 116

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- પ૬

ભગવાનની ઉપાસનાનું બળ હોય તેને મહાપ્રલય જેવું દુ:ખ આવી પડે તોપણ એમ સમજવું જે, ‘દેહ તો પડી જાશે ને આપણે ભગવાનના ધામમાં જાશું’ એમ સમજીને સુખીયો રહે. ૫૬ read more
0 Views : 92

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- પ૭

આવા સાધુ ખાસડાં મારે તોપણ અક્ષરધામમાં લઇ જાય, ને બીજા મશરુનાં ગાદલાંમાં સુવારી મૂકે, તોપણ નરકમાં નાખે એમ સમજવું. ૫૭ read more
0 Views : 98

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- પ૮

આપણ દોષ તો મહારાજે ટાળી નાખ્‍યા છે, ને તે દોષનું દર્શન થાય છે એ તો આપણ રુડાને અર્થે થાય છે, નીકર જીવ તો ઉન્‍મત થઇ જાય એવો છે. ને હવે તો આપણ ભગવાન વશ કરવા છે ને તે ભગવાન જેવું સામર્થ્ય પામવું છે, તે સારુ મંડયા છીએ. ૫૮ read more
0 Views : 99

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- પ૯

‘બ્રહ્મરુપ માનીને ભકિત કરવી.’ એ જ સિદ્ધાંત છે, તે જેમ ઘણાં માણસ વટલે ને એક જણ નાતમાં રહે, પણ તેણે એમ સમજવું, જે ‘હું વટલ્‍યો નથી’ તેમ બ્રહ્મરુપ માનવાની સમજણ છે. ૫૯ read more
0 Views : 102

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૬૦

આ કર્મક્ષેત્ર છે તે આંહી એક ઉપવાસ કરે ને બદ્રિકાશ્રમમાં સો ઉપવાસ કરે ને શ્વેતદ્વિપમાં હજાર ઉપવાસ કરે તે બરોબર થાય છે. ૬૦ read more
0 Views : 103
Powered By Indic IME