વાછડાને દૂધનો સ્વાદ છે ને ઇતડીને લોહીનો સ્વાદ છે તેમ ખાવાપીવાનું સુખ ને માન મોટાઇનું સુખ તે લોહી જેવું છે અને- નિજાત્માનં બ્રહ્મરુપં દેહત્રયવિલક્ષણમ્ । વિભાવ્ય તેન કર્તવ્યા ભકિતઃ કૃષ્ણસ્ય સર્વદા ।। એ સુખ દૂધ જેવું છે. ૫૫ read more
ભગવાનની ઉપાસનાનું બળ હોય તેને મહાપ્રલય જેવું દુ:ખ આવી પડે તોપણ એમ સમજવું જે, ‘દેહ તો પડી જાશે ને આપણે ભગવાનના ધામમાં જાશું’ એમ સમજીને સુખીયો રહે. ૫૬ read more
આપણ દોષ તો મહારાજે ટાળી નાખ્યા છે, ને તે દોષનું દર્શન થાય છે એ તો આપણ રુડાને અર્થે થાય છે, નીકર જીવ તો ઉન્મત થઇ જાય એવો છે. ને હવે તો આપણ ભગવાન વશ કરવા છે ને તે ભગવાન જેવું સામર્થ્ય પામવું છે, તે સારુ મંડયા છીએ. ૫૮ read more
‘બ્રહ્મરુપ માનીને ભકિત કરવી.’ એ જ સિદ્ધાંત છે, તે જેમ ઘણાં માણસ વટલે ને એક જણ નાતમાં રહે, પણ તેણે એમ સમજવું, જે ‘હું વટલ્યો નથી’ તેમ બ્રહ્મરુપ માનવાની સમજણ છે. ૫૯ read more