Last Updated:
May 5, 2025

Click here to submit your article
સ્વામીની વાતો
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૪પ

દેહમાં રોગાદિક દુ:ખ આવી પડે તો તેના મોકલનારા ટાળે ત્‍યારે ટળે, પણ બીજા કોઇથી ટળે નહિ. જેમ રાજાનો મોકલેલો મોશલ આવે તે તો તેની ચીઠ્ઠી આવે ત્‍યારે ઉઠે, પણ ગામના માણસથી ઉઠે નહિ, એમ સમજવું. ૪૫ read more
0 Views : 126

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૪૬

વિષયનો તિરસ્‍કાર તો અક્ષરધામમાં છે, ને શ્વેતદ્વીપમાં છે, ને બદરિકાશ્રમમાં છે ને આ લોકમાં મોટા એકાંતિક પાસે છે, એ ચાર ઠેકાણા વિના બાકી સર્વે ઠેકાણે વિષયનો આદર છે. ૪૬ read more
0 Views : 109

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૪૭

ભગવાનનું ધામ ગુણાતીત છે, ને જીવને ગુણાતીત કરવા છે, ને આપણે આ જ્ઞાન સાંભળ્‍યું છે તે બીજે કયાંઇ બનશે નહિ. આપણે બીજે ન રહેવાય, ને આ મળ્‍યા છે તે પણ મૂકે એવા નથી, એવું એને આવડે છે. ને આજનું જ્ઞાન સાંભળીને જાય છે તેને શ્વેતદ્વીપ ને તેની આણીકોર્યના કોઇ પૂગતા નથી. અને આ જ્ઞાન તો ફિરંગીની તોપું જેવું છે. ને આની આગળ બીજાનું ત્રાન તો ફટાકિયા જેવું છે, એ તો કહ્યું છે જે, ‘જનના અવગુણને નાથ ગણતા નથી રે, શરણે આવ્‍યાના શ્‍યામ સુજાણ’ એવા છે. એ પ્રકારે મહિમા બહુ કહ્યો. ૪૭ read more
0 Views : 116

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૪૮

બદરિકાશ્રમના ને શ્વેતદ્વીપના મુકતને ત્‍યાગ-વૈરાગ્‍યનું બળ છે, ને ગોલોકના ને વૈકુંઠના મુકતને પ્રેમ મુખ્‍ય છે, ને અક્ષર ધામના મુકત બ્રહ્મરુપ છે. ૪૮ read more
0 Views : 127

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૪૯

ભગવાનના ભકતને વિષયસુખ મળે એ જ નરક છે. તે ભકતનું લક્ષણ કહ્યું છે: જે – કુંતાજી દુ:ખ માગં કે લીનો એહિ ભકતકી રીતિ વે । વિષયઆનંદ ન લહે સ્વપ્નમેં જાહિ પ્રભુપદ પ્રીતિ વે ।। – એ ભકતનું લક્ષણ છે. ૪૯ read more
0 Views : 132

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- પ૦

આ સર્વે કામ મૂકી મૂકીને આવીને નવરા બેસીને વાતું સાંભળીએ છીએ, તે એમ સમજવું જે કરોડ કામ કરીએ છીએ, તે શું ? જે જમપુરી, ચોરાશી ને ગર્ભવાસ એ સર્વને માથે લીટા તાણીએ છીએ પણ નવરા બેઠા છીએ એમ ન સમજવું. ૫૦ read more
0 Views : 125

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- પ૧

આ તો બળિયા છે તે ગમે એવી વાસના હશે તોપણ અંતકાળે હીરજીની પેઠે નસ્‍તર મારીને દેહની ખબર રહેવા દેશે નહિ, ને વાસના ટાળી નાખે એવા છે. ૫૧ read more
0 Views : 115

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- પર

મોટા શહેરનું સેવન તથા અધિકાર તથા ધનનો પ્રસંગ એ આદિ જીવને બગડવાના હેતું છે, માટે તે સમજી રાખવું. ૫૨ read more
0 Views : 117
Powered By Indic IME