Last Updated:
May 5, 2025

Click here to submit your article
સ્વામીની વાતો
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૬ર

સ્વામીએ વાત કરી જે, મોરે  તો મુમુક્ષુ ભગવાનને ખોળતા ને હવે તો ભગવાન છે તે મુમુક્ષુને ખોળે છે, જેમ ધોયો  ધૂળમાંથી ધાતુ ખોળે છે તેમ પામર ને વિષયીમાંથી મુમુક્ષુને ખોળે છે. અને જે મુમુક્ષુ હોય તેને તો નિરંતર એમ વર્ત્યા કરે જે કરું ઉપાય હવે એહનો, ડોળી દેશ વિદેશજી; કોઇ રે ઉગારે મુને કાળથી, સોંપું તેને આ શીશજી. એમ નિરંતર વર્ત્યા કરે. પછી સ્વામીએ વાત કરી જે, “ધર્મપુરવાળા કુશળકુંવરબાઇએ મહારાજને પ્રશ્ન પૂછ્યું જે, ‘હે મહારાજ, તમે કાગળમાં લખ્યું જે, અનિર્દેશથી લિખાવિતં સ્વામીશ્રી સાત સહજાનંદજી મહારાજ, તે અનિર્દેશ તે શું ?’ ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, ‘આ તમારો દરબાર છે તે નિર્દેશ છે ને આ તમારું શહેર છે તે અનિર્દેશ છે. પૃથ્વી નિર્દેશ છે, ને જળ અનિર્દેશ છે; જળ નિર્દેશ ને તેજ અનિર્દેશ છે; તેજ નિર્દેશ ને વાયુ અનિર્દેશ છે; વાયુ નિર્દેશ ને આકાશ અનિર્દેશ છે; આકાશ નિર્દેશ છે ને અહંકાર અનિર્દેશ છે; અહંકાર નિર્દેશ ને મહત્તત્ત્વ અનિર્દેશ છે; મહત્તત્ત્વ નિર્દેશ ને પ્રધાનપુરુષ અનિદેર્શ છે પ્રધાનપુરુષ નિદર્શે ને પ્રકૃતિપુરુષ અનિર્દશે છે પ્રકૃતિપુરુષ નિદર્શે ને એ પક્ર ૃતિપુરુષ થકી પર અક્ષરધામ તે અમારો અનિર્દશે  છે, ત્યાં રહીને અમે કાગળ લખાવીએ છીએ. ’ એટલી વાત કરી ત્યાં સુધી મૂતિર્  સામું જાઇે રહ્યાં ને વૃત્તિ પલટાવીને હૈયામાં ઉતારતાં ગયાં. તે આ વાત મહારાજે કહી હતી.” […] read more
0 Views : 166

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૬૩

 સ્વામીએ વાત કરી જે, “રઘુવીરજી મહારાજ પૃથ્વી ઉપર રહ્યાં ત્યાં સુધી દેશકાળાદિકનું બહુ સુખ રહ્યું; કેમ જે, મહારાજ એમને વશ, તે જેમ ધારે તેમ કરે. ને હવે તો રઘુવીરજી મહારાજે દેહત્યાગ કર્યો છે, તે દિવસથી દુઃખ ચડતું આવે છે. કેમ જે, જેમ મોટી નદીનું પૂર ચડતું આવે છે. તેમ દુઃખ ચડતું આવે છે. તે જુઓને, રાજાઓનું કેવું દુઃખ છે તે ભેંશજાળવાળા ને જાઈવાવાળા જે ગરાસિયા, તેનો ન્યાય કર્યો જ નહિ. તેમજ અખોદડવાળા બ્રાહ્મણ ભગવદી તેને મારી નાખ્યો, તેનો પણ અન્યાય કર્યો, એવા દુઃખ છે. તે સારુ તો અમે મહારાજને અરજી નાખી છે જે,‘રઘુવીરજી મહારાજ જેવા બે આચાર્ય કરો ને ગય રાજા  જેવો એક રાજા કરો, તો બે કરોડ મનુષ્ય પ્રભુ ભજે છે તે દસ કરોડ મનુષ્ય પ્રભુ ભજે’ એમ સંકલ્પ કર્યો છે.” ત્યારે સર્વે હરિજન બોલ્યા જે, હે મહારાજ ! તમે ધાર્યુ છે તે સારું જ થાશે. ।।૬૩।। read more
0 Views : 91

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૬૪

વળી સ્વામીએ વાત કરી જે, “અમારી સમજણ તો કોઇને કહેવાય નહિ, પણ આજ થોડીક કહું. એમ કહીને બોલ્યા જે, ‘કહ્યા વિના તો જ્ઞાન થાય જ નહિ ને જ્ઞાન થયા વિના મોહ પણ ટળે નહિ અને જેને મોટાની સમજણ આવી હોય તેને તો મહારાજની મૂર્તિ વિના ને અક્ષરધામ વિના આંહીંથી તે પ્રકૃતિપુરુષ સુધી લઘુશંકાનો વ્યવહાર દેખાતો હોય; તેમાં શાનો મોહ થાય ? તે એવું તો સર્વનિવાસાનંદસ્વામીને થઇ ગયું જે, પ્રકૃતિપુરુષનું કાર્ય તેમાં વૃત્તિ રહિ જ નહિ. તે એક દહાડો મારી પાસે કહ્યું જે, મહારાજની પૂજા-સેવા શા વતે કરું ? ત્યારે મેં કહ્યું જે, મૂર્તિ સામું જોઇ રહો. ત્યારે સર્વનિવાસાનંદસ્વામીએ કહ્યું જે, ‘કરીએ છીએ તો એમ જ પણ જો આવી વાત કોઇકને કહીએ તો આ મારો ખાટલો લઇને વંડામાં નાખી આવે, એવું કઠણ પડે; પણ મહારાજની મૂર્તિ વિના તો ખાવાની વિષ્ટા ને પીવાની લઘુશંકા એવું છે, પણ જયાં સુધી મોહ છે ત્યાં સુધી એ વાત સમજાય નહિ.’ એવી મોટાની સમજણ છે.’ ।।૬૪।। read more
0 Views : 107

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૬પ

સ્વામીએ એક હરિજનને બોલાવીને કહ્યું જે, ‘દર્શન કર ને આ દેહ તો તારા સારુ રહ્યો છે, કેમ જે, કાળ તો આંટા ખાતો રહે છે.’ એમ કહીને બોલ્યા જે, ‘આવા સાધુથી નોખા પડીએ ત્યારે નરકમાં પડ્યા જેવુ દુઃખ થવું જોઇએ ને એવું દુઃખ નથી થાતું ત્યાં સુધી સત્પુરુષમાં જીવ બંધાણો છે કયાં ? ને જયાં સુધી સત્પુરુષમાં જીવ બંધાણો નથી ત્યાં સુધી લોક, ભોગ ને દેહ તે રૂપ થઇ જવાય છે.’ એમ કહીને બોલ્યા જે, ‘અમારે તો હજારો ક્રિયા કરાવવી પડે પણ આંખ મીંચીને ઉઘાડીએ એટલી પળ જો ભગવાન વિસરાય તો તાળવું ફાટી જાય.’ ત્યારે પૂછ્યું જે, ‘હજારો ક્રિયા કરાવો ને તેલધારાની પેઠે ભગવાનને અખંડ રાખો, એમ તે કેમ રહે ?’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘તમે તમારો દેહ વિસારો છો ?’ ત્યારે કહ્યું જે,‘ના મહારાજ.’ પછી સ્વામી બોલ્યા જે,‘જો તમે તમારો દેહ વિસારો, તો હું મહારાજની મૂર્તિ વિસારું. કેમ જે, જેમ માછલું છે તે જળમાં હાલેચાલે ને ક્રીડા કરે છે તેમ અમે બોલીએ-ચાલીએ ને ક્રિયા કરીએ, પણ ભગવાનને મૂકીને તો કોઇ ક્રિયા કરીએ જ નહિ; ને જેને એવું ન જણાય તે તો મોટાને વિષે પણ દોષ પરઠે છે, તે પોતે હેરાન થાય છે ને બીજાને હેરાન કરે છે. તે દોષનો પરઠનારો તે કોટિ કલ્પ સુધી નિવૃત્તિ પામતો નથી, એ સિદ્ધાંત વાત […] read more
0 Views : 119

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૬૭

સ્વામીએ વાત કરી જે, આ જીવને માખીમાંથી સૂર્ય કરવો છે, તે કર્યા વિના થાય જ નહિ. ત્યારે પૂછ્યું જે,‘માખીમાંથી કેમ સૂર્ય થાય ?’ પછી સ્વામી બોલ્યા જે, ‘આ સૂર્ય કોઇક કાળે માખીમાંથી થયો છે, તે પુરુષોત્તમની ઉપાસનાને બળે કરીને થયો છે અને તે પુરુષોત્તમની ઉપાસનાએ કરીને તો ઇશ્વર કોટિમાં, પુરુષકોટિમાં, ને બ્રહ્મકોટિમાં ભળાય છે અને તે ઉપાસના અને મહિમા વતે તો પોતાને વિષે પરિપૂર્ણપણું અને કૃતાર્થપણું મનાય છે, અને તે વિના તો પોતાને વિષે અપૂર્ણપણું ને કલ્પના એ બે રહે.’ તે ઉપર ગંગાજળિયા કૂવાનું વચનામૃત (ગઢડા મધ્ય-૬૭) વંચાવીને બોલ્યા જે,‘જેવા મહારાજને જાણે તવેો પોતે થાય છે, ત્યારે તેને અપૂર્ણપણું ને કલ્પના કેમ રહે ? ન જ રહે. ને આવું ભગવાનના સ્વરૂપ સંબંધી જે જ્ઞાન છે તે તો કોઇ દિવસ નાશ થાય એવું નથી; તે જઠરાગ્નિએ કરીને કે વીજળીના અગ્નિએ કરીને કે વડવાનળ અગ્નિએ કરીને, કે પ્રલયકાળના અગ્નિએ કરીને કે મહાતેજના અગ્નિએ કરીને પણ આ જ્ઞાન નાશ થાય તેવું નથી તે જ્ઞાન તો અખંડ ને અવિનાશી છે. તે જેમ પુરુષોત્તમ, અક્ષરધામ ને તેના મુકત સનાતન છે, તેમ પુરુષોત્તમનું જ્ઞાન પણ સનાતન છે.’ એટલી વાત કરી ત્યાં ‘વાસુદેવ હરે’ થયા તે જમવા પધાર્યા. ।।૬૬।। સ્વામીએ કારિયાણીનું આઠમું વચનામૃત વંચાવીને વાત કરી જે, ‘ભગવાનના સ્વરૂપનું નિરૂપણ  કરતાં કોઇને આવડ્યું નથી. કેમ જે, એ […] read more
0 Views : 568

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૬૮

સ્વામીએ વાત કરી જે, હજાર વરસનો ખીજડો હોય છે તેને સાંગરિયું થાય છે ને પાંચ વરસનો આંબો હોય તેને કેરીઓ થાય છે. તે તો દષ્ટાંત ને એનું સિદ્ધાંત તો એ છે જે, ગમે તેવો શાસ્ત્રી હોય કે ગમે તેવો પુરાણી હોય, જો પ્રત્યક્ષ ભગવાન ને પ્રત્યક્ષ સંત, તેની ઓળખાણ ન હોય તો તે ખીજડા જેવા છે, તેને સંગે ટાઢું કે સુખ થાય જ નહિ. અને વિદ્યા પણ બહુ ન ભણ્યો હોય ને અવસ્થા પણ થોડી હોય ને કુળ પણ ઊંચું ન હોય, પણ જો આ પ્રત્યક્ષ ભગવાનને વિષે નિષ્ઠા થઇ ને એવા સાધુની જેને ઓળખાણ થઇ, તો તે આંબા જેવા છે ને તેને સંગે તો ટાઢું થઇ જાય ને સુખિયો થઇ જાય છે. માટે જે ખીજડા જેવા હોય તેનો સંગ ન કરવો ને જે આંબા જેવા હોય તેનો સંગ કરવો. તે ઉપર શ્લોક બોલાવીને કહ્યું જે, ‘બાર ગુણે યુકત બ્રાહ્મણ હોય ને જો પ્રત્યક્ષ ભગવાન સાથે ઓળખાણ ન હોય તો તે કરતાં તો ભગવાનનો ભકત શ્વપચ હોય તે શ્રેષ્ઠ છે, એમ કહ્યું છે. તે માટે ભગવાનના ભકતને ઓળખીને તેનો સંગ કરવો, જેથી છલ્લો જન્મ થઇ જાય; ને એવા ન મળે, તો અનતં જન્મ ઉત્પન્ન કરે એવો કુસંગ છે.’ ।।૬૮।। read more
0 Views : 119

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૬૯

સ્વામીએ વાત કરી જે, ગરીબને કલ્પાવશે તે ભગવાન ખમી નહિ શકે. કેમ જે, ગર્વગંજન ભગવાન છે. તે ગમે તે દ્વારે પ્રગટ થઇને ગર્વને ટાળશે. એ વાત વિસ્તારે કરીને બોલ્યા જે, ‘આપણે તો પ્રભુ ભજી લેવા, કાંઇ ચિંતા રાખવી નહિ. અને જે ધીરજવાન પુરુષ છે તેને ‘દુર્જનઃ કિં કરિષ્યતિ?’ એમ કહીને વળી બોલ્યા જે, કોઇ દિવસ લંબકર્ણનો  જય થયો નથી ને થશે પણ નહિ; કમે જે, કામ-ક્રોધાદિકે મારી મૂક્યા છે, માટે, જેનું કામે કાપી લીધું નાક, લોભે લઇ લાજ લીધી રે; જેને જીભે  રોળી કર્યો રાંક, માને તો ફજેતી કીધી રે. બીજા તો જેમ મોર કળા પૂરે ને પૂંછડું ઉઘાડું થાય એવા છે.ને એવાનો સગં તો જમે આંબેથી ઊઠીને બાવળિયે બેસવું તેવો છે.’ ‘કાંઉં કણ ખૂટે વાંદરાં બીડ ખાવો,’ એવા પુરુષ છે માટે, દેખી ઉપરનો આટાટોપ , રખે મને મોટા માનો રે; એ તો ફોગટ ફૂલ્યો છે ફોક , સમજો એ સંત શાનોરે. એમ કહીને બોલ્યા જે,‘આજ તો આપણને અલભ્ય લાભ મળ્યો છે, એમ જાણવું; માટે જેને મરીને પામવા હતા તે તો દેહ છતાં જ મળ્યા છે, પણ મરીને પામવું એમ નથી. તે મહારાજે (વ.મ.૪૮માં) કહ્યું છે જે, દેહ ધર્યાનું નિમિત્ત તો નથી પણ કોઇક કારણ ઉત્પન્ન કરી આ સંતના મધ્યમાં જન્મ ધરવો અમે જ ઇચ્છીએ છીએ. તે એ તો આપણને […] read more
0 Views : 92

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૭૦

સ્વામીએ વણથળી જાતાં વાત કરી જે, ‘હવે તો સર્વે કામ થઇ રહ્યું છે; કેમ જે, સુખપાલમાં બેસીને પ્રભુ ભજી લ્યો એમ કરી મૂકયું છે. ને હવે તો ખોતરીને  દુઃખ ઊભાં કરો, તો છે. જેમ એક વાંદરાંનું આળું  જોઇને બીજાં વાંદરાં ખોતરીને દુઃખ કરે છે; તેમ તમે પણ ભેગા થઇને ખોતરીને દુઃખ ઊભાં કરો, તો છે.’ એમ કહીને બોલ્યા જે, ‘જુઓને, સર્વોપરી મહારાજ ને સર્વોપરી આવા સાધુ ને સર્વોપરી આ સ્થાન, તેને વિષે દુઃખ રહેશે, ત્યારે કિયે ઠેકાણે દુઃખ ટળશે ? નહિ જ ટળે. માટે જેને સુખિયા થાવું હોય તેને આ બરાબર કોઇ નથી.’ એમ કહી બોલ્યા જે,‘જયારે જયારે આ માર્ગે ચાલીએ છીએ ત્યારે ત્યારે ભગવાન સાંભરી આવે છે; કેમ જે, મોટા મોટા સાધુ ને મહારાજ બહુ ચાલ્યા છે.’ ત્યારે કાશીરામે પૂછ્યું જે, જેને મહારાજનાં દર્શન થયાં હોય તેને તો સાંભરે, પણ જેને મહારાજના દર્શન ન થયા હોય, તેને શું સાંભરે ? ત્યારે સ્વામી બોલ્યા જે,‘આપણે કયાં પરોક્ષ છે ? આપણે તો મૂર્તિ દ્વારે ને સંત દ્વારે પ્રત્યક્ષ છે; તે દર્શન દે છે, વાતો કરે છે, એવી રીતે બહુ સુખ આપે છે; પણ જયાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી સમજાય નહિ, એ સિદ્ધાંત વાત છે.’ ।।૭૦।। read more
0 Views : 103
Powered By Indic IME