Last Updated:
May 5, 2025

Click here to submit your article
સ્વામીની વાતો
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૩૦

એક હરિજન સંસાર મૂકીને આવ્યા, તેને બોલાવીને સ્વામીએ વાત કરી જે,‘એક કઠિયારો હતો તે લાકડાનાં ભારા લાવીને વેચતો. પછી એક દિવસ હેમગોપાળની ઝાડીમાંથી બાવના  ચંદનનું લાકડું આવી ગયું. તેને ખબર વિના ચૂલામાં સળગાવ્યું ને તેની સુગંધ કોઇક શાહુકાર હતો તેને આવી. પછી તે શાહુકારે પૂછ્યું જે, આ ગામમાં બાવના ચંદન બાળે એવો ધનાઢ્ય કોણ છે ? પછી સર્વેએ કહ્યું જે, આ ગામમાં તો કઠિયારા રહે છે. પછી તે શાહુકારે ત્યાં જઇને બાળતાં થોડુંક રહ્યું હતું તે લાવીને વિષ્ણુ ભગવાનને ચડાવ્યું. તે એણે જયારે દેહ મૂકયો ત્યારે વિષ્ણુના લોકમાં ગયો. એ તો દષ્ટાંત છે, એનો સિદ્ધાંત તો એ છે જે, હેમગોપાળને ઠેકાણે તો આ ભરતખંડ છે ને બાવના ચંદનને ઠેકાણે તો મનુષ્યદેહ છે. તે ખબર વિના સ્ત્રી, દ્રવ્ય, દીકરા, દીકરી, લોક, ભોગ ને દેહ તેને વિષે બાળી દે છે, તેમ આપણે બાળવું નહિ. આપણે તો ‘અથર્ં સાધયામિ કે દેહં પાતયામિ.’ એમ જ કરવું.’ એમ કહીને બોલ્યા જે, ‘કોટિ જન્મ લગ રગડ હમારી, વરું શંભુ કે રહું કુમારી . ’ એટલી વાત કરીને ઊઠ્યા. ।।૩૦।। read more
0 Views : 109

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૩૧

એક હરિજને પ્રશ્ન પૂછ્યું જે, મચ્છરથી તે ગરુડ સુધી ભેદ કહ્યા છે, તે મચ્છરિયું તે ગરુડની ગતિ કમે કરે ? અમે અણવિશ્વાસ નું અંગ રહે છે. ત્યારે સ્વામી બોલ્યા જે, ‘ગરુડ પૃથ્વી ઉપર આવ્યો હોય ને તેની પાંખમાં મચ્છરિયું બેસી જાય તો કેટલો પ્રયાસ પડે ?’ ત્યારે કહ્યું,‘કાંઇ પ્રયાસ પડે નહિ.’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘ગોપાળાનંદસ્વામી ને મુક્તાનદં સ્વામી તે તો ગરુડ જેવા છે, તેની પાંખમાં આપણે બેસી ગયા છીએ, માટે કાંઇ ચિંતા ન રાખવી.’ ત્યારે વળી પૂછ્યું જે,‘પાંખ તે શી સમજવી ?’ પછી સ્વામી બોલ્યા જે, ‘આજ્ઞા ને ઉપાસના એ બે પાંખો છે, તેને મૂકવી જ નહિ, તો સહેજે જ અક્ષરધામમાં જવાશે એમાં કાંઇ સંશય નથી.’ એમ કહીને વળી બોલ્યા જે,‘ત્રણ પ્રકારનાં પંખી છે; તેમાં કેટલાક પંખી તો વૃત્તિ દ્વારા ઇંડાં સેવે એવાં છે, કેટલાક પંખી તો દષ્ટિ દ્વારે સેવે એવા એવા છે, ને કેટલાક પંખી તો પાખં માં રાખીને સેવે એવાં છે. તેમાં વૃત્તિ દ્વારા ઈંડું સેવાતું હોય તે ઈંડું દષ્ટિમાં આવે તો ગંદુ રહે ?’ ત્યારે કહ્યું જે,‘ન રહે. ’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘એ ઈંડું પાંખમાં આવીને પડે તો શું ગંદું રહે ? ન જ રહે. ’ અમે કહીને બોલ્યા, એ તો દષ્ટાતં છે, એનો સિદ્ધાંત તો એ છે જે, ‘વૃત્તિ દ્વારે સેવે એવા તો ગોપાળાનંદ […] read more
0 Views : 123

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૩ર

સ્વામીએ વાત કરી જે, ભજન કરતાં કરતાં ક્રિયા કરીએ તો અંતરમાં ટાઢું રહે ને તે અંતરમાં ટાઢું જોઇને મોટા સાધુ રાજી થાય, ને જેની ઉપર મોટા સાધુ રાજી થાય તેનો જીવ સુખિયો થઇ જાય, ને જેનું અંતર ગંધાતું હોય તેને દેખીને શું રાજી થાય ? ત્યારે પૂછ્યું જે,‘ભગવાન ને સાધુ તો બહુ રાજી થયા.’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘જો મહારાજ રાજી ન થયા હોય તો આવો યોગ કયાંથી થાય ?’ તે મહારાજે પોતે કહ્યું છે જે,‘મારો રાજીપો થાય તેને બુદ્ધિયોગ આપું છું, ને કાં તો રૂડા સાધુનો સંગ આપું છું.’ તે બુદ્ધિયોગ તે શું ? તો બુદ્ધિને વિષે એવું જ્ઞાન જે ભગવાન રાજી થાય.’ ત્યારે પૂછ્યું જે, ‘ભગવાન નિરંતર રાજી કેમ રહે ?’ પછી સ્વામી બોલ્યા જે, ‘ભગવાનને નિરંતર રાજી રાખવા હોય તેને ભગવાનની આજ્ઞા લોપવી નહિ અને આપણને ભગવાનનું સ્વરૂપ મળ્યું છે તે વિના બીજે સુખ ઇચ્છવું નહિ, ને ખરેખરા ભગવાનના સાધુ હોય તેનો સંગ રાખવો, તો તેની ઉપર ભગવાન ને મોટા સાધુ નિરંતર રાજી રહે, એમાં કાંઇ સંશય નથી.’ ।।૩૨।। read more
0 Views : 115

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૩૩

સ્વામીએ એમ વાત કરી જે, સત્સંગમાં એમ વાત થાય છે જે, જીવ બ્રહ્મરૂપ થઇ જાય. ત્યારે પૂછ્યું જે, ‘સત્સંગમાં વાત તો થાય છે, તોય જીવ બ્રહ્મરૂપ કેમ થતો નથી ?’ પછી સ્વામી બોલ્યા જે, ‘હેતે કરીને સત્પુરુષમાં જીવ બાંધ્યો નથી અને સત્પુરુષમાં જીવ બાંધ્યો હોય તોપણ તેનો વિશ્વાસ ન આવે.’ ત્યારે વળી પૂછ્યું જે,‘હેતે કરીને જીવ બાંધ્યો હોય તેમનો વિશ્વાસ કેમ ન આવે ?’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘આ જલે ભકતે મારા સાથે જીવ ઘણો બાંધ્યો છે પણ મારો વિશ્વાસ ન આવે.’ એમ કહીને વળી બોલ્યા જે,‘વિશ્વાસ તો હોય, તોપણ નિષ્કપટપણે વર્તાય નહિ, ને નિષ્કપટપણે વર્તાય તો જીવ બ્રહ્મરૂપ થયા વિના રહે નહિ, એ સિદ્ધાંત વાત છે.’ ।।૩૩।। read more
0 Views : 116

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૩૪

એક દિવસ સ્વામી નાના નાના સાધુ, પાળા ને બ્રહ્મચારી સામુ જોઇને બોલ્યા જે, દેશ દેશાંતર બોત ફિરા, મનુષ્યકા બોત સુકાળ; જાકું દેખે છાતી ઠરે, વાકા પડ્યા દુકાળ.  એમ કહીને બોલ્યા જે, ‘જેમ મહારાજને જોઇને સમાધિ થઇ જાય ને જીવ સુખિયો થઇ જાય છે, તેમ નિરંજનાનંદસ્વામીને દર્શને કરીને સમાધિ જેવું સુખ વર્ત્યા કરે, એવાના દુકાળ છે.’ ત્યારે પૂછ્યું જે, ‘જેને દર્શને કરીને છાતી ઠરે છે એવો એમાં શો ગુણ હોય જે આગલ્યાને જોઇને છાતી ઠરે છે ?’ ત્યારે સ્વામી બોલ્યા જે,‘જેની સામું જોઇને વૃત્તિ પાછી વળી આવે ત્યારે છાતી ઠરે છે ને જેની સામું જોઇએ ને વૃત્તિ ચળાયમાન થાય તો તેને દેખીનેને છાતી ઠરે નહિ.’ ત્યારે પૂછ્યું જે, ‘જેને દેખીને છાતી ઠરે છે એવા ગણુ આવ્યાનું શું કારણ છે ?’ પછી સ્વામી બોલ્યા જે, ‘એવા ગણુ તો ન જ આવે તે ગમે તો ભળે ો રહે કે સેવા કરે ને ગમે તો કહે તમે કર,ે તોપણ મોટાના ગણુ તો આવે જ નહિ.’ ત્યારે વળી હાથ જોડીને પૂછ્યું જે, ‘હે મહારાજ ! શો ઉપાય કરે ત્યારે એવા ગણુ આવે ? વચનામૃતમાં તો બહુ ઠેકાણે કહ્યું છે જે, સત્પુરુષના ગણુ તો મુમુક્ષુમાં આવે છે.’ ત્યારે સ્વામી બોલ્યા જે,‘સત્પુરુષના ગુણ તો, તો આવે, જો એવાને નિર્દોષ સમજે ને સર્વજ્ઞ જાણે ને એવા છે તેની […] read more
0 Views : 141

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૩પ

અમને મહારાજ એમ કહેતા જે, બીજા તો અભાગિયા  પણ યાદવ તો નિરંતર અભાગિયા એમ કહીને બોલ્યા જે, જેવા મહારાજ છે ને જેવા આ સાધુ છે તેને જેમ છે તેમ ન જાણે તે તો નિરંતર અભાગિયા; કેમ જે, છોંતેરાનો મેઘ વરસ્યો ને  વુઠે મેહે કાળ પડ્યો; ને ગંગામાં નહાયો ને માથું કોરું રાખ્યું ! અને એમ જાણ્યા વિના આ સત્સંગમાં રહ્યાં છે, તે તો જેમ છોકરાં ને વાછડાં રહ્યાં છે એમ રહ્યા છે, પણ જેવા છે તેવા જાણી શકતા નથી. અને સત્સંગનો મહિમા તો બહુ મોટો છે; તે મહારાજ કહેતા જે, આ સત્સંગ તો બ્રહ્મરૂપ ને મહાવિષ્ણુરૂપ છે. એમ કહીને બોલ્યા જે, ધન્ય ધન્ય સો જન્મ, શોધી સત્સંગતિ આયો; તીરથ વ્રત જપ જોગ, સબનકો ફળ સો પાયો. કિયો વચનમેં વાસ  , ભયો તેહિ બેહદ વાસા;  હરિ હરિજન રસ રૂપ, રહત તહાં પ્રગટ પ્રકાશા. જેહિ મન વચન પર વેદ, કહે તેહિ સુખમેં સતત રહે; જન મુકુંદ સો સત્સંગકો, મહિમા કો મુખસેં કહે ? એવો સત્સંગનો મહિમા કહ્યો છે. ।।૩૫।। read more
0 Views : 205

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૩૬

એક દિવસ સ્વામી સૂતા હતા તે બેઠા થઇને પ્રશ્ન પૂછ્યું જે, ‘સારામાં સારું તે શું છે ? ને ભૂંડામાં ભૂંડું તે શું છે ?’ ત્યારે કોઇ બોલ્યા નહિ. ત્યારે સ્વામી બોલ્યા જે, ‘સારામાં સારું તો આ ભગવાન ને આ સાધુનો સંબંધ થયો છે તેથી કાંઇ સારું નથી ને તેથી કાંઇ સારું સમજવાનું પણ નથી, ને ભૂંડામાં ભંૂડું શું છે ? જે આ ભગવાન ને સાધુને વિષે મનુષ્યભાવ આવે છે, તેથી બીજું કાંઇ ભૂંડું નથી. તે મનુષ્યભાવ શેણે કરીને આવે છે ? તો લોક, ભોગ, દેહ ને ચોથો પક્ષપાત તેણે કરીને મનુષ્યભાવ આવે છે. તેમાં જેવું પક્ષપાતે કરીને જીવનું ભૂંડું થાય છે તેવું તો પંચવિષયે કરીને પણ નથી થાતું. તે પક્ષે કરીને તો ગોપાળાનંદસ્વામીને માથે પાણા નાખ્યા, ને ઝોળીમાં દેવતા  નાખ્યા, તે દેવતાના કાઢનાર (ગુ.સ્વામી પોતે) આંહીં બેઠા છે.’ એમ કહીને વળી બોલ્યા જે, ‘એવો સંસ્કાર  તો અમારે માથે ઘણો થયો છે. તે જીવ થકી ખમાય નહિ; ને એવા અવળા પક્ષે કરીને મોટા સાધુના અવગુણ લીધા છે તેણે કરીને તો ભૂતની યોનિને પામ્યા છે અને વળી કોઇ અવગુણ લેશે તે પણ પામશે, ને તે પાપે કરીને ખાવી વિષ્ટા  ને પીવી લઘુશંકા એવા દુઃખને ભોગવે છે પણ સુખ તો કયાંઇ થાય નહિ.’ ।।૩૬।। read more
0 Views : 147

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૩૭

એક દિવસ સ્વામીએ એમ વાત કરી જે, ‘કેટલાક એમ જાણે છે જે, સ્વામી અમારી કોર છે ને કેટલાક એમ જાણે છે જે, સ્વામી અમારી કોર છે; એમ એ સર્વે પોતપોતાના અભિપ્રાય પ્રમાણે અમારો અભિપ્રાય જાણે છે. પણ અમારો અભિપ્રાય તો મોટા મોટા સદ્ગુરુ પણ જાણી શકયા નથી, તો આજ તમે શું જાણશો ?’ ત્યારે પૂછ્યું જે, બહુ મોટા હોય તેનો અભિપ્રાય નાનો હોય તે જાણે કે ન જાણે ? ત્યારે સ્વામી બોલ્યા જે, ‘શું ધૂળ જાણે ! જે પતંગિયો હોય તે સૂર્યનો અભિપ્રાય જાણે છે ? નથી જાણતો; તેમ મોટાનો અભિપ્રાય તો જણાય જ નહિ, એ સિદ્ધાંત વાત છે.’ ।।૩૭।। read more
0 Views : 114
Powered By Indic IME