એક હરિજને પ્રશ્ન પૂછ્યું જે, મચ્છરથી તે ગરુડ સુધી ભેદ કહ્યા છે, તે મચ્છરિયું તે ગરુડની ગતિ કમે કરે ? અમે અણવિશ્વાસ નું અંગ રહે છે. ત્યારે સ્વામી બોલ્યા જે, ‘ગરુડ પૃથ્વી ઉપર આવ્યો હોય ને તેની પાંખમાં મચ્છરિયું બેસી જાય તો કેટલો પ્રયાસ પડે ?’ ત્યારે કહ્યું,‘કાંઇ પ્રયાસ પડે નહિ.’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘ગોપાળાનંદસ્વામી ને મુક્તાનદં સ્વામી તે તો ગરુડ જેવા છે, તેની પાંખમાં આપણે બેસી ગયા છીએ, માટે કાંઇ ચિંતા ન રાખવી.’ ત્યારે વળી પૂછ્યું જે,‘પાંખ તે શી સમજવી ?’ પછી સ્વામી બોલ્યા જે, ‘આજ્ઞા ને ઉપાસના એ બે પાંખો છે, તેને મૂકવી જ નહિ, તો સહેજે જ અક્ષરધામમાં જવાશે એમાં કાંઇ સંશય નથી.’ એમ કહીને વળી બોલ્યા જે,‘ત્રણ પ્રકારનાં પંખી છે; તેમાં કેટલાક પંખી તો વૃત્તિ દ્વારા ઇંડાં સેવે એવાં છે, કેટલાક પંખી તો દષ્ટિ દ્વારે સેવે એવા એવા છે, ને કેટલાક પંખી તો પાખં માં રાખીને સેવે એવાં છે. તેમાં વૃત્તિ દ્વારા ઈંડું સેવાતું હોય તે ઈંડું દષ્ટિમાં આવે તો ગંદુ રહે ?’ ત્યારે કહ્યું જે,‘ન રહે. ’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘એ ઈંડું પાંખમાં આવીને પડે તો શું ગંદું રહે ? ન જ રહે. ’ અમે કહીને બોલ્યા, એ તો દષ્ટાતં છે, એનો સિદ્ધાંત તો એ છે જે, ‘વૃત્તિ દ્વારે સેવે એવા તો ગોપાળાનંદ […]
read more