Last Updated:
May 5, 2025

Click here to submit your article
સ્વામીની વાતો
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૩૩

મહારાજે પ્રથમ નિત્યાનંદસ્વામીને પોતાનું પુરુષોત્તમપણું કહેલું; તે જયારે સત્સંગિજીવન ગ્રંથ કર્યો, ત્યારે ઉપાસનાનો પ્રસંગ નાખ્યો, તેમાં શ્રીકૃષ્ણની ઉપમા દેવા માંડી; ત્યારે સ્વામી કહે જે,‘બાદશાહને કાંઇ ચાકરની ઉપમાં દેવાય ? ન દેવાય.’એવી રીતે સાત દિવસ લગી કજિયો ચાલ્યો. ત્યારે મહારાજ કહે જે,‘એમ જ લખાય, તમે શું જાણો ?’ ને કેટલુંક ખીજયા,તોપણ ન માન્યું ને કહ્યું જે, ‘ચરિત્ર મેળવો, જે મહારાજે કર્યા છે તે તેણે કર્યા  છે ?’ એમ કેટલુંક થયું, ને એકલા કાઢ્યા.ને મહારાજ પણ બીજા સાધુ ભેળા ભળી ગયા, તો પણ ન માન્યું.પછી મહારાજે કહ્યું જે, ‘અમારું રહસ્ય આ સાધુ જાણે છે.’એમ કહીને નિત્યાનંદસ્વામીને હાર આપ્યો. અને સ્વપ્નમાં ગોપાળાનંદસ્વામીને મહારાજે કહ્યું જે, ‘જો અમારું પુરુષોત્તમપણું નહિ પ્રવર્તાવો, તો આ ને આ દેહમાં હજાર વર્ષ સુધી રાખશું.’પછી સ્વામી કહે, મને પણ મહારાજે કહ્યું હતું ને ખરડામાંથી પણ જાણ્યું, ને મોર્યથી પણ જાણતા હતા. તે મેં ઉઘાડી વાત સભામાં કરવા માંડી, ત્યારે સાધુ સૌ કહે, ‘તુંને કોણે કહ્યું છે જે તું કહે છે ?’ ત્યારે મેં કહ્યું જે, સ્વામિનારાયણે કહ્યું છે, બીજો કોણ કહેશે ? ને મહારાજે મધ્યના નવમાં વચનામતૃ માં, સાંખ્યાદિકનામાં , તેજના માં ને લોયાના ચાદૈનામાં એ આદિક ઘણાકમાં કહ્યું છે. ।।૩૩।। read more
0 Views : 158

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૩૪

એક વાર કહે જે,‘અવતાર-અવતારીનો ભેદ કેમ સમજવો ?’ત્યારે એક જણે કહ્યું જે,‘ભવાયો ને વેષ.’ ત્યારે પોતે કહ્યું જે,‘અવતાર-અવતારીનો ભેદ એમ નહિ, રાજા ને રાજાનો ઉમરાવ, તીર ને તીરનો નાખનારો, ને તારા ને ચંદ્રમા, એમ ભેદ જાણવો.’ ।।૩૪।। read more
0 Views : 141

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૩પ

વાદી પણ ત્રણ પ્રકારના થાય છે. તેમાં સાધારણ વાદી તો સર્પ પકડાય તો પકડે, ને ફૂલવાદી તો સર્પને પકડવા જાયને ન પકડાય તો ચીંથરે કરીને ચીરી નાખે , ને ગારુડી તો મોટા મણિધર સરખાને પણ પકડીને આગળ નચાવે, એમ ભેદ છે. તેમ આ ગારુડીની પેઠે નચાવે એવા છે. ।।૩૫।। read more
0 Views : 138

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૩૬

એક વાર વડતાલમાં બે આચાર્ય ભેગા થયા, ત્યારે પુરુષોત્તમપણાનો વિવાદ થયો. ત્યારે સ્વામી કહેઃ ‘મેં કહ્યું જે, ખજાનો કેને દેખાડ્યો છે ? ઘણું બીજા સાથે હેત હોય તેને પણ દેખાડ્યો છે ? નથી દેખાડ્યો. અને અમને તો સ્વામિનારાયણે કાનમાં મંત્ર મૂકયો છે જે, ‘અમે તો સર્વોપરી ભગવાન છઈએ.’ માટે તેને બીજા અવતાર જેવા કેમ કહીએ ? પછી તો રાજી થઇને ઊઠી નીકળ્યા. ।।૩૬।। read more
0 Views : 134

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૩૭

મહારાજે એમ કહ્યું જે, ‘જયારે ઇન્દ્ર કલ્યાણ કરવા આવે ત્યારે એના શિષ્ય દેવતા જેવા થાય; અને બ્રહ્મા કલ્યાણ કરવા આવે ત્યારે એના શિષ્ય ઇન્દ્ર જેવા થાય; અને વૈરાટ આવે ત્યારે એના શિષ્ય બ્રહ્મા જેવા થાય છે; ને પ્રધાનપુરુષ જયારે કલ્યાણ કરવા આવે ત્યારે એના શિષ્ય વૈરાટ જેવા થાય; ને પુરુષ જયારે કલ્યાણ કરવા આવે ત્યારે એના શિષ્ય પ્રધાનપુરુષ જેવા થાય; ને અક્ષર આવે ત્યારે તેના શિષ્ય પુરુષ જેવા થાય; ને પુરુષોત્તમ કલ્યાણ કરવા આવે ત્યારે તેના શિષ્ય અક્ષર જેવા થાય; માટે અક્ષર આગળ તો કોઇ અવતારાદિકનું સમર્થપણું હોતું નથી.’એમ કહ્યું. ।।૩૭।। read more
0 Views : 126

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૩૮

સર્વોપરી પુરુષોત્તમપણું સમજવું. તે હમણાં અચિંત્યાનંદબ્રહ્મચારી પાસે અમે ગ્રંથ કરાવ્યો, તેમાં સંપૂર્ણ પુરુષોત્તમપણું નાખ્યું છે. અને એક જણે રામકથા વાંચી, તે શું સાત કાંડમાં કયાયં સ્વામિનારાયણનો મોવાળો પણ છે? એમાં શું વાંચવું? એનો તો સૌને નિશ્ચય છે જ, પણ આ પુરુષોત્તમનો જ કરવો એ વાત કઠણ છે. એકવાર સમૈયામાં ભગવદ્ગીતાની કથા કરી.તેની પણ રાતના બાર વાગે વાત કરી ને કહ્યું જે,‘એમાં શું વાંચે છે? એમાં મહારાજનું કાઇં આવે છે?  એ તો શું કરીએ? સૌને એ વાતની તાણ, તે કરે છે.’ ।।૩૮।। read more
0 Views : 123

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૩૯

મહારાજે વડતાલમાં સર્વે હરિજન આગળ સભામાં કહ્યું જે,‘આ ચરણારવિંદની વૈરાટપુરુષે પચાસ વર્ષ ને દોઢ પહોર દિવસ સુધી સ્તુતિ કરી ત્યારે આ બ્રહ્માડં માં પધાર્યા છે’  એવી ઘણી વાતો કરી તે ત્યાનાં હોય તે જાણે પણ બીજા ન જાણે. ।।૩૯।। read more
0 Views : 133

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૪૦

નાગડકામાં સ્વરૂપાનંદસ્વામીએ મહારાજને પૂછ્યું જે,‘ગુરુસાહેબ ! આજ સત્સંગીકા કલ્યાણ કેસા હોતા હૈ ?’ ત્યારે મહારાજ કહે,”જેસા કપિલદેવકા, જેસા દત્તાત્રેયકા, જેસા ઋષભેદવકા એસા હોતા હે.” ત્યારે સ્વામી કહે ‘અહો ! તબ તો બોત બડા કલ્યાણ હોતા હૈ !’ ।।૪૦।। read more
0 Views : 153
Powered By Indic IME