મહારાજે પ્રથમ નિત્યાનંદસ્વામીને પોતાનું પુરુષોત્તમપણું કહેલું; તે જયારે સત્સંગિજીવન ગ્રંથ કર્યો, ત્યારે ઉપાસનાનો પ્રસંગ નાખ્યો, તેમાં શ્રીકૃષ્ણની ઉપમા દેવા માંડી; ત્યારે સ્વામી કહે જે,‘બાદશાહને કાંઇ ચાકરની ઉપમાં દેવાય ? ન દેવાય.’એવી રીતે સાત દિવસ લગી કજિયો ચાલ્યો. ત્યારે મહારાજ કહે જે,‘એમ જ લખાય, તમે શું જાણો ?’ ને કેટલુંક ખીજયા,તોપણ ન માન્યું ને કહ્યું જે, ‘ચરિત્ર મેળવો, જે મહારાજે કર્યા છે તે તેણે કર્યા છે ?’ એમ કેટલુંક થયું, ને એકલા કાઢ્યા.ને મહારાજ પણ બીજા સાધુ ભેળા ભળી ગયા, તો પણ ન માન્યું.પછી મહારાજે કહ્યું જે, ‘અમારું રહસ્ય આ સાધુ જાણે છે.’એમ કહીને નિત્યાનંદસ્વામીને હાર આપ્યો. અને સ્વપ્નમાં ગોપાળાનંદસ્વામીને મહારાજે કહ્યું જે, ‘જો અમારું પુરુષોત્તમપણું નહિ પ્રવર્તાવો, તો આ ને આ દેહમાં હજાર વર્ષ સુધી રાખશું.’પછી સ્વામી કહે, મને પણ મહારાજે કહ્યું હતું ને ખરડામાંથી પણ જાણ્યું, ને મોર્યથી પણ જાણતા હતા. તે મેં ઉઘાડી વાત સભામાં કરવા માંડી, ત્યારે સાધુ સૌ કહે, ‘તુંને કોણે કહ્યું છે જે તું કહે છે ?’ ત્યારે મેં કહ્યું જે, સ્વામિનારાયણે કહ્યું છે, બીજો કોણ કહેશે ? ને મહારાજે મધ્યના નવમાં વચનામતૃ માં, સાંખ્યાદિકનામાં , તેજના માં ને લોયાના ચાદૈનામાં એ આદિક ઘણાકમાં કહ્યું છે. ।।૩૩।।
read more