Last Updated:
May 5, 2025

Click here to submit your article
સ્વામીની વાતો
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૪, વાત- ૧૧

ભાદરામાં શ્રીજીમહારાજ પાસે એક પંડિત આવીને શ્લોકબોલ્યો. પછી રતના ભકતને તથા ડોસા ભકતને સમાધિ થઇ.પછી મહારાજે પંડિતને કહ્યું જે,‘તમે શ્લોક બોલ્યા તેમાંભગવાનનો મહિમા બહુ છે, તે માટે સમાધિ થઇ.’ પછી પંડિતબોલ્યો જે,‘હે મહારાજ ! હું તો કથા કરી કરીને મરી ગયો,પણ કોઇને સમાધિ થાતી નથી.’પછી તે સમે ભૂજનો એક જમાદાર બેઠો હતો, તેને પણસમાધિ થઇ. પછી શ્રીજીમહારાજે તેની વાત કરી જે,‘આજમાદાર એક લાખ ને એંશી હજાર પેગંબરે સ્તુતિને કર્યા એવાત્રણે અવસ્થામાં અમને દેખે છે.’ પછી તે શ્રીજીમહારાજ તેસમાધિવાળાને પોતાની દષ્ટિમાત્રે કરીને જગાડતા હવા. પછીતે સમાધિવાળાને પંડિતે પૂછ્યું જે,”બીજા ભગવાનના અવતારેઆવી સમાધિ કરાવી નહોતી, આ તો કાંઇક જાદુ છે કે મંત્રતંત્ર છે ?”ત્યારે તે જમાદારે પંડિતને કહ્યું જે,”આ તો અવતાર નહિ,આ તો સર્વે અવતારના અવતારી ને અક્ષરધામના પતિ છે, તેજ આજે કૃપા કરીને જીવનાં કલ્યાણ કરવાને અર્થે પધાર્યા છે.ને બીજા ભગવાનના અવતાર પૂર્વે થઇ ગયા, તે તો આભગવાનની સર્વે સ્તુતિ ને પ્રાર્થના કરે છે, એમ હું સમાધિને વિષેદેખું છું.” એવી રીતે શ્રીજીમહારાજે પોતાનો પ્રતાપ સહેજે જણાવ્યો.પછી સુતાર વશરામ એવી રીતે શ્રીજીમહારાજનો પ્રતાપજોઇને અતિશે આનંદ પામીને ખેતરમાં ગયા. ત્યાં લાખો કીડીઓપૃથ્વીમાંથી નીકળી તેને જોઇને દયા આવી જે, ‘આ જીવને કયારેભગવાનનો સંબંધ થાશે.’ એમ અંતરમાં વિચાર થયો. પછીપોતાને સંકલ્પે કરીને તે લાખો કીડીઓને ચતુર્ભુજ રૂપ ધરાવીનેવિમાનમાં બેસારીને ધામમાં મોકલી. એવી રીતે શ્રીજીમહારાજેભકત દ્વારે […] read more
0 Views : 140

સ્વામીની વાતો – પ્રકરણ ૪, વાત- ૧ર

એક પઠાણ ઝીંઝાવદરની સીમમાં આવ્યો, ત્યારે તેનામનનાં સંકલ્પ સર્વે બધં થઇ ગયા ને અંતરમાં ટાઢું થઇ ગયું.તેથી જાણ્યું જે,‘આ ગામમાં કોઇ મોટાપુરુષ છે.’ પછી તેણેગામમાં આવીને અલૈયાખાચરને પૂછ્યું જે,”આ ગામમાં કોઇમોટાપુરુષ છે ? તેના દર્શન મને કરાવો; કેમ જે, તે મોટાપુરુષેમારું મન ખેંચી લીધું છે.”ત્યારે તે પઠાણને શ્રીજીમહારાજના દર્શન કરાવ્યાં તે દર્શનમાત્રેકરીને તે પઠાણને સમાધિ થઇ ગઇ. ને અક્ષરધામને વિષેઅનંત મુકતે સેવાતા એવા શ્રીજીમહારાજનું દર્શન થાતું હવું.પછી શ્રીજીમહારાજ તેને પોતાની દષ્ટિમાત્રે કરીને જગાડતા હવા.પછી તે પઠાણે શ્રીજીમહારાજને પૂછ્યું જે,‘હે મહારાજ !તમે તો સર્વોપરી ભગવાન છો, માટે તમારા સ્વરૂપનું જ્ઞાન બીજાકોઇકને કહું ?’ ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, ‘તમ જેવા હોયતેને કહેજો.’ એવી રીતે શ્રીજીમહારાજે પોતાનો અલૌકિક પ્રતાપદેખાડ્યો. ।।૧૨।। read more
0 Views : 120

સ્વામીની વાતો – પ્રકરણ ૪, વાત- ૧૩

ગામ વાંઢિયામાં પરોક્ષ અવતારનાં ઉપાસક દેવજી ભકતહતા. તેને ઘેર શ્રીજીમહારાજ પધાર્યા, ત્યારે તેણે પૂછ્યું જે,‘હે મહારાજ ! તમે કેના સંત છો ?’ ત્યારે શ્રીજીમહારાજ બોલ્યાજે,‘અમે તો સ્વામિનારાયણના પરમહંસ છઈએ.’પછી તે ભકત શ્રીજીમહારાજને પગે લાગીને બેઠા, પછીતેને પોતાની દષ્ટિમાત્રે કરીને સમાધિ કરાવીને અક્ષરધામને વિષેઅનંત મુકત, અનંત અવતાર ને અનંત ઐશ્વર્ય તેણે સહિતપોતાની મૂર્તિનું દર્શન કરાવતા હવા; ને પોતાની મૂર્તિને વિષેલીન કરાવીને પોતાનો સર્વોપરી નિશ્ચય કરાવતા હવા.પછી મૂળજીબ્રહ્મચારીએ પૂછ્યું જે,‘હે મહારાજ ! આ ભકતેશું પુણ્ય કર્યા હશે ? જે અનંત કોટિ બ્રહ્માંડના પતિ એવા જેતમે તે સાક્ષાત્ દયા કરીને તેને ઘેર પધાર્યા, ને મોટા યોગીનેપણ દુર્લભ એવી જે અક્ષરધામની સમાધિ તે તમે દયા કરીનેઆ ભકતને કરાવી ?’ ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે,‘આ ભકતતો સો જન્મથી નિષ્કામી વર્તમાન દઢ રાખીને ભગવાનને પામવાનેઅર્થે દાખડો કરતો હતો ત્યારે અમે તેને ઘેર પધાર્યા છઈએ.’પછી તે ભકતને શ્રીજીમહારાજ પોતાની દષ્ટિમાત્રે કરીનેજગાડતા હવા. પછી તે ભકતે કહ્યું જે,‘હે મહારાજ ! તમે તોઅનંત કોટિ બ્રહ્માંડના આધાર જે અક્ષર તેના પતિ છો, ને સર્વઅવતારના અવતારી ને સર્વ કારણના કારણ સાક્ષાત્ પુરુષોત્તમનારાયણ છો; તે દયા કરીને મારે ઘેર પધાર્યા છો; માટે હેમહારાજ ! તમારા સ્વરૂપના નિશ્ચયમાં ખામી રહે નહિ, એવુંકૃપા કરીને કહો.’ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ‘અમે તોઆ બ્રહ્માંડને વિષે આવ્યા નથી ને આવશું પણ નહિ. માટે આજેતમને નિશ્ચય થયો છે તે […] read more
0 Views : 114

સ્વામીની વાતો – પ્રકરણ ૪, વાત- ૧૪

દામોદરે નથુભટ્ટને શ્રીજીમહારાજના નિશ્ચયની વાત કરીજે,‘શ્રીજીમહારાજ સર્વ અવતારના અવતારી છે ને રામાનંદસ્વામી તે પણ ઉદ્ધવનો અવતાર છે.’ તે વાત સાંભળીને તેનથુભટ્ટ અતિશે આકળા થઇ ગયા. પછી તે બે જણ વરતાલેશ્રીજીમહારાજ પાસે આવ્યા. ને કહ્યું જે, ‘હે મહારાજ ! આદામોદર રામાનંદસ્વામીને ઉદ્ધવ કેમ કહે છે ?’ પછી શ્રીજી-મહારાજ બોલ્યા જે, “તમે રામાનંદસ્વામીનું ધ્યાન કરો, એટલેજેમ છે તેમ તમને જણાશે.”પછી તે ભટ્ટ ધ્યાનમાં બેઠા, એટલે તેમને તરત સમાધિથઇ. તે સમાધિને વિષે અનંત મુકત, અનંત અવતાર, અનંતઐશ્વર્ય ને રામાનંદસ્વામી તેમણે સહિત અક્ષરધામને વિષેપોતાની દિવ્ય મૂર્તિનું દર્શન કરાવીને તે સર્વ અવતાર અનેરામાનંદસ્વામી પોતાની સેવામાં દેખાડ્યા; ને પોતાનો સર્વોપરીનિશ્ચય તે ભટ્ટને કરાવ્યો. પછી તે ભટ્ટને સમાધિમાંથી જગાડ્યાત્યારે તે નથુભટ્ટ ઊઠીને દામોદરને સાષ્ટાંગ દંડવત્ કરીને પછીબોલ્યા જે,‘હે મહારાજ ! મને તો આ દામોદરે તમારા સ્વરૂપનાનિશ્ચયની વાત કરી ન હોત, તો મારા કલ્યાણમાં બહુ જ ફેરરહેત; તે માટે હવેથી કોઇ રીતે તમારા સ્વરૂપના નિશ્ચયમાં કસરરહે નહિ એવી કૃપા કરીને વાત કરો.’પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ‘અમે તો અક્ષરધામ થકીઅગણિત જીવોનું આત્યંતિક કલ્યાણ કરવા ને અમારું જેઅક્ષરધામ ને અનંતકોટિ પાર્ષદ ને બીજા ધામના ઇશ્વર તેણેસહિત પધાર્યા છઈએ.’ તેવી રીતે શ્રીજીમહારાજે નથુભટ્ટનેપોતાનું ઐશ્વર્ય દેખાડ્યું. ।।૧૪।। read more
0 Views : 112

સ્વામીની વાતો – પ્રકરણ ૪, વાત- ૧પ

ગઢડામાં શ્રીજીમહારાજે એક ભકતને કહ્યું જે, ‘તમેઅક્ષરધામમાં જઇ આવો.’ ત્યારે તે ભકત સમાધિ કરીને પ્રથમબદરિકાશ્રમમાં ગયો; ત્યાં આપણા સાધુ, પાળા, બ્રહ્મચારી,હરિભકત તેને દીઠા. ત્યારે તેને પૂછ્યું જે, ‘શ્રીજીમહારાજ કયાંછે ?’ ત્યારે એ સર્વ બોલ્યા જે, ‘આ નરનારાયણ છે તે જ મહારાજછે.’ ત્યારે હરિભકતે કહ્યું જે,‘હું મહારાજને ઓળખું છું. ’ પછીત્યાંથી દશર્ન કરીને શ્વેતદ્વીપમાં ગયો; ત્યાં પણ આપણા સાધુબ્રહ્મચારી હતા. તેને કહ્યું જે, ‘શ્રીજીમહારાજ કયાં છે ?’ ત્યારેતે બોલ્યા જે, ‘આ વાસુદેવ છે તે જ મહારાજ છે.’ ત્યારે તેણેકહ્યું જે, ‘હું મહારાજને ઓળખું છું.’ પછી ત્યાંથી વૈકુંઠમાં ગયો;ત્યારે ત્યાં પણ આપણા સાધુ આદિક દીઠા; ત્યારે તેને કહ્યુંજે,‘શ્રીજીમહારાજ કયાં છે ?’ ત્યારે તેમણે કહ્યું જે, ‘આલક્ષ્મીનારાયણ છે તે જ મહારાજ છે ?’ ત્યારે તેમણે કહ્યું જે,‘હું મહારાજને ઓળખું છું.’ પછી ત્યાંથી તે ભકત ગોલોકમાંગયો; ત્યારે ત્યાં પણ આપણા સાધુ આદિકને દીઠા. ત્યારે તેમનેપૂછ્યું જે,‘મહારાજ કયાં છે ?’ ત્યારે તે બોલ્યા જે, ‘આ શ્રીકૃષ્ણછે તે જ મહારાજ છે.’ ત્યારે તેણે કહ્યું જે, ‘મહારાજને હું ઓળખુંછું. માટે આ શ્રીજીમહારાજ નહિ.’ ત્યારપછી તે ભકતઅક્ષરધામમાં ગયો, ને ત્યાં અનતં કોટિ મુક્ત તેમણે સેવ્યા એવાજે શ્રીજીમહારાજ તમે ને દીઠા, ને ત્યાં આપણા સાધુ, બ્રહ્મચારી,પાળા, સત્સંગી તે સર્વેને શ્રીજી-મહારાજની સેવામાં દીઠા.ત્યારપછી તે ભકતને શ્રીજીમહારાજે પૂછ્યું જે,‘કયા કયાધામ જોતા આવ્યા ?’ ત્યારે તે ભકતે કહ્યું જે, ‘હે મહારાજ !આપણા […] read more
0 Views : 143

સ્વામીની વાતો – પ્રકરણ ૪, વાત- ૧૬

જેતલપુરના મહોલમાં મુકતાનંદસ્વામી આદિક પરમહંસનેશ્રીજીમહારાજે પૂછ્યું જે,‘અમે જે જે ધામમાં જઇએ છઈએ તેતે ધામમાં તમારાં વખાણ થાય છે ને જે જે શાસ્ત્ર સાંભળીએછઈએ તે તે શાસ્ત્રમાં પણ તમારાં વખાણ થાય છે, તે તમારામાંએવી શી મોટપ છે જે સર્વે ઠેકાણે તમારાં વખાણ કરે છે ?’એમ કહીને શ્રીજીમહારાજ બોલ્યા જે,‘તૂંબડી ફૂટી જાય, તોતમને સાજી કરતાં આવડે ?’ ત્યારે મુકતાનંદસ્વામીએ કહ્યુંજે,‘ના મહારાજ.’ પછી મહારાજે કહ્યું જે,‘તમે તમારી મોટપનેજાણતા નથી.’એમ કહીને બોલ્યા જે, લ્યો અમે તમારી મોટપને કહીએછઈએ જે,”આ પચાસ કોટિ યોજન પૃથ્વી છે, તેથી દસગણુંજળ છે, તેથી દસગણું તેજ છે, તેથી દસગણો વાયુ છે, તેથીદસગણો આકાશ છે, તેથી દસગણો અહંકાર છે, તેથી દસગણુંમહત્તત્ત્વ છે, તેથી અનંતગણી પ્રકૃતિ ને પુરુષ છે ને તેથીઅનંતગણું અક્ષરધામ છે. તે ધામમાંથી લાખ મણ લોઢાનો ગોળોપડતો મૂકીએ, તે વાયુને લેરખે ઘસાતો ઘસાતો પૃથ્વી ઉપર આવે,ત્યારે રજ ભેળો રજ થઇ જાય, એટલે છેટે અક્ષરધામ છે; પણજો આંહીં અલ્પ જેવો જીવ હોય ને તમે એમ ધારો જે, ‘આજીવ અષ્ટ આવરણ પાર જે અક્ષરધામ તેમાં જાય’ તો તત્કાળજાય ! એવું તમારા સંકલ્પમાં બળ છે. જેમ જતરડામાં ઘાલીનેપાણો ફગાવી નાખે, તેમ તમે પણ જે જીવને આંહીંથીઅક્ષરધામમાં ફગાવો, તેને ત્યાં જાતાં વચમાં કાળ, માયાદિકકોઇ આડું આવી શકે નહીં, એવું તમારા કાંડામાં બળ છે. પણતમે તમારી મોટપને જાણતા નથી.વળી, તમ જેવા જે સંત તેને કોઇ […] read more
0 Views : 158

સ્વામીની વાતો – પ્રકરણ ૪, વાત- ૧૭

ગઢડામાં શ્રીજીમહારાજે આનદં સ્વામી તથા મુક્તાનદં સ્વામીતથા સ્વરૂપાનંદસ્વામીને પૂછ્યું જે,‘અમે તમને જે જે આજ્ઞાકરીએ; જે આ પ્રવૃત્તિની ક્રિયા છે તેને તમે કરો, ત્યારે તે ક્રિયાતમે કેમ કરો ?’ ત્યારે પ્રથમ આનંદસ્વામીએ કહ્યું જે,‘જેમ તમેકહો તેમ કરીએ.’ પછી મુકતાનંદસ્વામીએ કહ્યું જે,‘હું તો ક્રિયાકરવા સારુ હૃદયમાંથી એક વેંત વૃત્તિ બહાર કાઢી હોય તો તેવૃત્તિ હાથ પાછી વાળું ત્યારે સુખ થાય .’ પછી સ્વરૂપાનંદસ્વામીએ કહ્યું જે,‘હું તો જે જે ક્રિયા કરવા જાઉં તે તે ક્રિયાદેખાય નહિ ને એક તમારી મૂર્તિ જ દેખાય.’ પછી મહારાજેસ્વરૂપાનંદસ્વામીને કહ્યું જે,‘પદાર્થ દેખાય નહિ ને એક મૂર્તિજ દેખાય તે વાત સમજયામાં આવતી નથી.’ ત્યારે સ્વરૂપાનંદસ્વામી બોલ્યા જે,‘જેમ તીરની અણીએ લીંબુ ખોસ્યું હોય, તેતીરને જેમની કોર કરીએ તેમની કોર અણીમાં લીંબુ દેખાયછે; તેમ વૃત્તિમાં ભગવાનની મૂર્તિ રહી છે, તે વૃત્તિ જેમનીકોર કરીએ તેમની કોર ભગવાનની મૂર્તિ દેખાય છે.’ ત્યારપછી શ્રીજીમહારાજે કહ્યું જે,‘ત્રણેના અંગ જુદા જુદા છે, માટેઆનંદસ્વામીએ મુકતાનંદસ્વામીનો સમાગમ કરવો. અનેમુકતાનંદસ્વામીએ સ્વરૂપાનંદસ્વામીનો સમાગમ કરવો.’ એમસમાગમ કરે, તો એકબીજાની કસર ટળે, એમ ઉત્તમ, મધ્યમને કનિષ્ઠ મુકતમાં ભેદ છે. ।।૧૭।। read more
0 Views : 101

સ્વામીની વાતો – પ્રકરણ ૪, વાત- ૧૮

એક સમે ગઢડામાં બ્રહ્માનંદસ્વામી દેશમાંથી ફરીને આવ્યાત્યારે તેને શ્રીજીમહારાજે પૂછ્યું જે,‘દેશમાં સત્સંગ કેવો થયોછે ?’ ત્યારે બ્રહ્માનદં સ્વામીએ કહ્યું જે, ‘હે મહારાજ ! સત્સંગ તોબહુ થયો છે.’ ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે,‘તમે સત્સંગી કેવાથયા છો ?’ ત્યારે બ્રહ્માનંદસ્વામીએ કહ્યું જે,‘અમે તો તમારાખરેખરા સત્સંગી થયા છીએ.’ ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે,‘તમે તો હજી ગુણબુદ્ધિવાળા સત્સંગી થયા છો; ને જો ખરેખરાસત્સંગી થયા હો તો કહો જે, એમ કયાં હતા ને ત્યાં અમોશું કરતા તે વાત કહો ?’ ત્યારે બ્રહ્માનંદસ્વામીએ કહ્યું જે,‘હેમહારાજ ! એવા સત્સંગી તો અમે નથી થયા.’ ત્યાર પછીશ્રીજીમહારાજ બોલ્યા જે,‘એવા ખરેખરા સત્સંગી તો પર્વતભાઇતથા ગોવરધનભાઇ આદિક હરિભકત છે, તે તો અમારી મૂર્તિનેત્રણે અવસ્થામાં દેખે છે.’પછી મુક્તાનદં સ્વામી બોલ્યા જે,‘હે મહારાજ ! એવાસત્સંગી કેમ થવાય ?’ પછી શ્રીજીમહારાજે કહ્યું જે,‘પુરુષપ્રયત્નેકરીને જો માયિક ભાવને ટાળીને, અક્ષરરૂપ પોતાના આત્માનેમાનીને, મારી મૂર્તિનું ચિંતવન કરો તો એવા સત્સંગી થવાય.’ત્યારે બ્રહ્માનંદસ્વામીએ કહ્યું જે,‘હે મહારાજ ! કૃપા કરો તોએવા સત્સંગી થવાય.’ ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે,‘જુઓને,આ બ્રહ્માંડ છે તે પણ અક્ષરને વિષે અણું જેટલું જણાય છે,માટે તે બ્રહ્માંડ અક્ષરની આગળ ગણતીમાં નથી. એવાઅનંતકોટિ બ્રહ્માંડ તે જેના એક રોમના છિદ્રને વિષે ઊડતાં ફરેછે, એવું મહત્પણું અક્ષરને વિષે છે; ને હું તો એ થકી પરછું; ને એવા જે અમે તે અક્ષરધામમાંથી આંહીં આવ્યા; તે વચ્ચેપ્રકૃતિપુરુષના લોકમાં ન રહ્યા તથા પ્રધાનપુરુષના લોકમાં નરહ્યા […] read more
0 Views : 130
Powered By Indic IME