અને છેલ્લા પ્રકરણનું બીજું વચનામૃત વંચાવ્યું તેમાં વાત આવી જે, ‘તપ, ત્યાગ, યોગ અને યજ્ઞે જેવો વશ નથી થાતો, તેવો સત્સંગે કરીને થાઉં છું.’ એમ શ્રીકૃષ્ણે ઉદ્ધવ પ્રત્યે કહ્યુંછે. એ વાત આવી ત્યારે સ્વામી કહેઃ ‘આ વાત સાંભળો, હવે જેટલું છે તેટલું આટલી વાતમાં આવે છે. એ વંચાવીને કહ્યું કે તપ, ત્યાગ, યોગ, યજ્ઞે વશ નથી થતા તે સત્સંગે કરીને થાય છે. એ સત્સંગ આપણને મળ્યો છે પણ જણાતો નથી,સાધુ મળવા તો દુર્લભ છે ને આ સહુ સભા બેઠી છે તેમાં એ વાત તો જે જાણે તે જાણે છે, સહુને સમજાય નહિ. આવો જોગ મળ્યો છે ને પછી બીજાને વળગે છે, તે કાંઇ સમજતા નથી.તે રઘુવીરજી મહારાજ આદિ મોટા મોટા સાધુ કોવૈયાને પાદર બેઠા હતા તેને મૂકીને ત્રણસો માણસ દરિયો જોવા દોડ્યું. ત્યારે તો દરિયા જેવાયે રઘુવીરજી મહારાજ આદિ નહિ ને ? પણ જ્ઞાન કયાં ? આને મૂકીને બીજાને વળગે છે,તેમાં શું પાકશે? સાધુ મળે એમ કયાં છે ? તે કહ્યું છે જે – પથ્થરકી જાતિ હીરા ચિંતામણિ પારસહુ,મોતી પુખરાજ લાલ શાલ ફેર ડારિયે, કામધેનુ કલ્પતરુ આદિ દે અનેક નિધિ,સકલ વિનાશવંત અંતર વિચારિયે; સબ હિ જહાનમેં હિ દૂસરો ઉપાય નાહિં,ચરનુંમે શિશ મેલી દીનતા ઉચ્ચારિયે, કહત હે બ્રહ્માનંદ કાય મન બાની કરી,કુને એસી ભેટ ગુરુરાજ આગે ધરિયે ? હે તો સો […]
read more