Last Updated:
May 5, 2025

Click here to submit your article
સ્વામીની વાતો
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૯

અને પદાર્થ ઝાઝાં ભેળાં ન કરવા નીકર, ઘણી મૂંઝવણથાવાની ને વાસના રહેશે. ને દેહ સારુ પદાર્થ છે ને દેહને તો વેરી જ કહ્યો છે, તે ભજન કરવા ન દે, વાંચવા ન દે તેવો છે; ને દેહાભિમાન મૂકયે સર્વે દોષ જાય છે, એ વાત કરીને તે ઉપર વચનામૃત વંચાવીને કહ્યું જે,‘મુકતાનંદસ્વામી જેવા હોય તે પણ પદાર્થનો જોગ થયે ઊતરતા જેવા રહે કે ન રહે’ બીજું સોળ સાધનનું વચનામૃત (ગ.અં.નુ ૨૪) વંચાવ્યું ને કહ્યું જે,‘તેણે કરીને અક્ષરધામ પમાય છે.’ ।।૯।। read more
0 Views : 1408

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૦

વળી કહ્યું જે,‘અમારો વાંક કાઢશો મા, અમે કહી છૂટીએ છઈએ. કેમ જે, વૃદ્ધ થયા તે હવે નહિ રહેવાય; માટે કહીએ છઈએ જે, સમજીને શુદ્ધ વર્તજો, નીકર ઝાઝો ફેર પડશે. આ ઘડી જો હાથધોણું , આંકડી કે વાળો એવો રોગ થયો હોયતો રાત બધી જાગે; પણ અમથું એક ઘડી પણ ધ્યાનમાં ન બેસાય, ને રાત બધી ઊંઘી રહેવાય; એમ અષાઢ વદી છઠ્ઠને દિવસે વાત કરી. ને દેહ જ વેરી છે તે પોતાનું કરાવે, તે વિષ્ટાપર્યંત ધોવરાવે છે પણ ધ્યાન કરવા ન દે એવો છે. ।।૧૦।।  read more
0 Views : 1427

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૧

અને બ્રહ્મચારીને ત્યાં વાતો કરી જે, ‘વિષયથી બંધાણો તે બદ્ધ ને મુકાણો તે મુકત છે. તે માટે આપણે મુકાવું ને આ જુઓને, આંહીં વિષયનો જોગ નથી તેણે કરીને ઠીક રહે છે.પણ જો બરફીના ભરેલા સો પડિયા રોજ આવે તો ખાધા વગર ન રહેવાય, એવો જીવનો સ્વભાવ છે માટે એ તો ન આવે તો જ સારું છે.’ ।।૧૧।। read more
0 Views : 1371

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧ર

આ સત્સંગમાં તો સુખ છે, ને ધર્મ, ભકિત, જ્ઞાન ને વૈરાગ્ય જે જે સુકૃત છે તે સર્વ સત્સંગમાં છે, ને બીજે બધે સળગી ઊઠ્યું છે ને કોઇક તો પશુ જેવા છે; તે બોલતાં પણ આવડતું નથી ને વિવેક પણ કાંઇ નથી. માટે કુસંગનો જોગ થાય તો સત્સંગને ઘસારો આવી જાય, તે સારુ કુસંગ ન જ કરવો. ।।૧૨।। read more
0 Views : 1375

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૩

દેશકાળાદિક આઠ શુભ છે ને અશુભ છે તે ઓળખવા;તે જયાં સંત રહેતા હોય તેટલો દેશ શુભ, ને બાકી તો અશુભ અરબસ્તાન ને મકરાણા એ આદિક ઘણાય છે. હવે કાળ શુભ છે તો ભગવાન ભજાય અને સુખિયા રહેવાય છે. ને મૃત્યુ પણ જેમ કાળ હોય તમે થાય; તે જુઓને આ વહાણ બૂડે છે ત્યારે તેમાં બસેં માણસ બૂડી મરે છે ને સુરત બળ્યું ત્યારે કેટલાક માણસ બળીમૂઆં; તે  શું બધાયનું મૃત્યુ ભેળું જ હશે? એ ઠેકાણે તો અશુભ કાળ લેવો. ।।૧૩।। read more
0 Views : 1377

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૪

અને કામ, ક્રોધ, લોભ, માન, ઇર્ષાને દેહાભિમાન એ સર્વે મૂકશે ત્યારે ભગવાન ને ભગવાનના સાધુ રાજી થાશે. ।।૧૪।। read more
0 Views : 1359

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧પ

આ ગંગાજી પર્વત ફાડીને સમુદ્રને મળ્યા, તે તો મળે; કેમ જે, પાણી ઝાઝું થાય ત્યારે એમ થાય; પણ આ જે પંચવિષયતે તો એથી આકરા છે. કેમ જે, બ્રહ્મા, શિવ સરખાને ભૂલાવ્યાને ઇન્દ્રને હજાર ભગ થયા ને ચંદ્રમાને કલંક લાગ્યું, એવા મોટા મોટાને તથા રાવણાદિકને દુઃખ થયું ને સૌભરિને છેતર્યાને પરાશર ને એકલશૃંગી એ આદિકને લૂંટ્યા. તે માટે તેનો જોગ જ ન કરવો. ને આ તો મહારાજે પ્રગટ થઇને રાખ્યું છે, આવું તો કોઇએ બાંધેલ નહિ ને મોટા મોટા અવતારે પણ કજિયા કર્યા છે; પણ આવો માર્ગ તો કોઇએ પ્રવર્તાવ્યો જ નથી. તે મહારાજે વેદરસમાં કહ્યું છે જે,‘હે પરમહંસો ! આ સ્ત્રીરૂપી તરવારની જે તીખી ધારા, તેણે જે પુરુષ નથી હણાણો તે તો દેવનો પણ દેવ છે. માટે એ ધારા કાંઇ થોડી નથી. એ ધારા તો બહુ જ આકરી છે; માટે તેનો જોગ જ ન થાવા દેવો. ।।૧૫।। read more
0 Views : 244

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૬

અને આ દેહ ધર્યો છે તેણે કરીને તો ભગવાન ભજી લેવા.આ ભરતખંડમાં મનુષ્ય દેહ કાંઇ થોડા પુણ્યે આવતો નથી.તે દેવતા પણ કહે છે જે, – અહો અમીષાં કિમકારિ શોભનં પસ્રન્ન રૂષાં સ્વિદતુ સ્વયં હરિઃ । યૈર્જન્મ લબ્ધં નૃષુ ભારતાજિરે મુકુંદસૈવોપયિકં સ્પૃહા હિ નઃ ।। એ શ્લોક બોલીને કહે જે,‘એમ દેવતા પણ ઇચ્છે છે તે મળ્યો. ને વળી ભગવાન ને ભગવાનના સંત મળ્યા, એ કાંઇ થોડી પ્રાપ્તિ નહીં. જુઓને, દશ કે વીશ લાખ રૂપિયા હશે, તે કાંઇ ભેળા નહિ આવે, ને રૂપિયાવાળાને પણ એક શેર ઉપરાંત ખવાતું નથી ને જેને રૂપિયા ન હોય તેને પણ તેટલું જ ખવાય. માટે જોઇએ તેટલું ને કામ આવે તેટલું પેદા કરવું એ ઠીક છે.’ ।।૧૬।। read more
0 Views : 243
Powered By Indic IME