એક સાધુને રામદાસજીભાઇની મૂર્તિ ધરાઇ ગઇ, તેથી બળતરા થઇ ને રોયા; પછી એમ તેને કહ્યું જે, ‘પહેલાં સાધુ દેખાય ને પછી ભગવાન દેખાય.’ તે પછી ત્રણ દિવસે ભગવાન દેખાણા, એમ થાય. તે મુકતાનંદસ્વામીનાં કીર્તનમાં પણ છે જે, ‘સાધુ ભેળા ભગવાન’ તે માટે એમ કરવું. એટલે એક સાધુએ કહ્યું જે, ‘એમ તો ભગવાનની કૃપાએ થાય.’ ત્યારે સ્વામી કહેજે,‘આપણે કયે દિવસ કરવા બેઠા ને ન થયું ?’ એ ભગવાનને મોટા સાધુ તેને તો એમ જ કરાવવું છે ને આ તે જીવની ખોટ છે, નીકર એની તો કૃપા જ છે. ને નિત્યે ભગવાનમાં જોડાવાનો આગ્રહ રાખવો. ‘નિત્ય બળિયું. ’ એમ શાસ્ત્રમાં કહ્યું છે તે થાશે. એ કર્યા વિના છૂટકો નથી. ।।૧૪૧।।
read more