Last Updated:
May 5, 2025

Click here to submit your article
સ્વામીની વાતો
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૧૩

એક ભગવાનની મૂર્તિમાં જ સુખ છે. ને કયાંય મોક્ષ નથી,પણ આવા સાધુના સમાગમમાં મોક્ષ છે. બે સાધન તો થઇ રહ્યા જે, પુરુષોત્તમ જાણ્યા ને સાધુ ઓળખાણા ને એક ઓલ્યા ચારનો ગુણ લેવો, ને દ્રોહ ન થાય એ કરવું રહ્યું. ।।૧૧૩।। read more
0 Views : 88

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૧૪

અને આજ્ઞા પળે એટલી વાસના બળે, ને આજ્ઞા ને ઉપાસના બે મુખ્ય જોઇએ, તે કૃપાનંદસ્વામીનો એમ ઠરાવ જે,કોશ ઊની કરીને ગળામાં ઘાલે, એ કેટલું દુઃખ થાય ! તો પણ આજ્ઞા ભંગ ન કરવી. ને છાનું ખાતા હશે, પદાર્થ રાખતા હશે, પથારી ઝાઝી કરતા હશે, તે ઓલ્યા સ્વામિનારાયણ નથી જાણતા ? હરિ કે આગે કહા દુરાઇ , મન અપનેકી ઘાત; હરિ તો સબ જાનત હે, રોમ રોમ કી બાત. બધુંય જાણે છે, આ રાજ કાંઇ ભોળું નથી, તે લોપશે તેનું જાણજો જે મોત આડું આવશે. આપણે કાઇં છોકરો છે તે મરે? આ તો દેહ એ જ છોકરો છે ને ગૃહસ્થને છોકરો હોય. માટે દેહને તો એવો રોગ થાશે તે શિયાળિયાના ચૂસ્યામાં રસ હોય જ નહિ, લાકડી જેવાં કરશે. ફિકર રાખશો મા ને જો એમાં ફેર હોય તો આ ઠેકાણું સંભારજો.’ એમ જૂની ધર્મશાળામાં પોતાને આસને બેસીને કહ્યું. ।।૧૧૪।। read more
0 Views : 105

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૧પ

અને પંચવિષય સારુ તો ચાળા ચૂંથતા ફરે છે. માટે એમાં શું ? એ તો પશુને પણ છે. માનનું ડીંડું થઇને ફેરા ખાય છે,તે હવે તો પારખાં જોવા પંચવિષય વચ્ચે નાખ્યા છે, તે જે કરીએ તે થાય એમ છે, પણ ભૂંડું થાશે એની ખબર છે ? પછી છોકરાનો સ્પર્શ કરે છે ને વાંદરા જેવા થાય છે. માટે આજ્ઞા મુખ્ય રાખવી, એમાં પાછો પગ ભરવો નહિ, જેને ખપ હોય તેની સારુ આ વાત છે – કઠણ વચન કહું છું રે, કડવાં કાંકચ રૂપ; દરદીને ગોળી દઉં છું રે, સુખ થવા અનુપ. એમ છે. બીજાને શું ? એ તો પશુ જેવા છે, ખરેખરો ગરાસિયો હોય તો પાછો ન ફરે. તે ‘ખાડા ખસે પણ હાડા ન હઠે’ ‘ભાગતાં ભલકું વાગશે રે’ એમાં શો માલ ? સામા ઘા લે, તે ખરો. એવી ઘણીક વાતું કહી. ।।૧૧૫।। read more
0 Views : 109

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૧૬

ભજન કરવું તે રાતમાં ઊઠી ઊઠીને મંડે ત્યારે સાચું. ‘આ સાહેબ તારો પણ મન રાખ્યો,’ એમ મન રાખ્યે કાંઇ થાય નહિ.એ તો ઠીક વાહ ! વાહ ! અરે કેટલાક તો લઘુ કરવા જાય તે પૂરી આંખ પણ ઉઘાડે નહિ, જાણે રખે ઊંઘ ઊડી જાશે ને માલ વહી જાશે. ને આખી રાત ચસચસાવે , ને દિવસે તો ગપાટામાંથી નવરા જ શેના થાય ? તેણે શું કાંઇ ભગવાન રાજી થાય છે ? ને જાણે મોટા થઇ ગયા પણ અંબરીષ જેવુંય કયાં થવાણું છે ? ને ખાઇ ખાઇને ઊંઘી રહ્યા, ત્યારે જાણે થઇ રહ્યું.આ તો ફરવા જઇને સૂઇ રહે. એમ કહીને ‘કરજો સત્સંગની સહાય રે, વા’લા’, એ કીર્તન બોલ્યા. ।।૧૧૬।। read more
0 Views : 79

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૧૭

અને કહે જે આવા પ્રગટ સાધુ છે તેની મને, વચને ને દેહે કરીને સેવા કરવી ને વિનય કરવો; એ તો નહિ પણ ચાર ભેળા થઇને કહે ‘આ આવો છે, ને આ આવો છે,’ એમાંશું પાકયું ? પણ વ્યર્થઃ કાલો ન નેતવ્યો ભકિતં ભગવતો વિના એ કયાં પળે છે ? ।।૧૧૭।। read more
0 Views : 90

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૧૮

તે પછી નારી નિંદાનાં શ્લોક-કીર્તન બોલ્યા ને કહે, ‘ઓલ્યો વાણિયો નાત સાથે ઘેલો થયો છે, પણ મૂળ હાથ રાખ્યું છે.તે ગુજરાતમાં કહે છે જે, ‘છોડીનું નામ વખોત, કાંજે એનો ધણી ભૂવો ને વળી ભગોત’ એવું છે, એવા ભગત છે. ।।૧૧૮।। read more
0 Views : 91

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૧૯

અને પાપીની સોબતમાં તો ભગવાન ભૂલી જવાય છે. તે જેમ સૂર્ય આગળ વાલખિલ્ય ઋષિ પાછે પગે ચાલ્યા જાય છે ,એમ મને ભગવાન અખંડ દેખાતા, પણ એક પ્રતિપક્ષીને પાછાપાડવા સારુ વાત કરી તે બહાર મૂર્તિ ભૂલી ગયા, પછી પાછી માંહી દેખાણી. એમ સંગ ઓળખાવીને મૂર્તિ અખંડ દેખાણાનો મર્મ કહ્યો. ।।૧૧૯।। read more
0 Views : 85

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧ર૦

વળી એક દિવસ વાત કરી જે, હું પ્રતિલોમ કરું કે આમ ભગવાન દેખાય છે. ને આ લોકમાં ભગવાન તથા મોટા સાધુ મનુષ્ય જેવા ગણાય તે જેને સમજતાં આવડે તેને ઓળખાય.તે મહારાજ કહે ‘અમને બુદ્ધિવાળો ગમે’ કેમ જે, ઓલ્યો બુદ્ધિવાળો વધુ જાણે, પણ બીજો ન જાણે. ।।૧૨૦।। read more
0 Views : 80
Powered By Indic IME