Last Updated:
May 5, 2025

Click here to submit your article
સ્વામીની વાતો
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૦પ

જેમ ‘સુતારનું મન બાવળીએ ’ ને જેમ ‘દૂબળા વાણિયાનેઅજમે હાથ ’ એમ ભગવાનને રાજી કરવા કરવું. ને હવે તોક્રિયાને ગૌણ રાખવી ને ભગવાનને પ્રધાન રાખવા. ને કથાનેને ક્રિયાને વેર છે. માટે બેય ભેળું તો થાય જ નહિ; ને કરેતો વૃત્તિ સ્થિર રહે જ નહિ. ।।૧૦૫।। read more
0 Views : 137

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૦૬

સંવત્ ૧૯૧૯ના આસો માસમાં સાંખડાવદરને પાદર વાતકરી જે,‘લોક, ભોગ, દેહ ને પક્ષ એ ચાર તો જીવનું ભૂંડું કરેને મહારાજ, આચાર્ય, સાધુ ને સત્સંગી એ ચારનો તો ગુણજ લેવો, એ તર્યાનો ઉપાય છે. ને જો દ્રોહ કરે તો જીવનોનાશ થઇ જાય છે.’ ।।૧૦૬।। read more
0 Views : 98

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૦૭

આ દેહમાંથી તો નવ દ્વારે ગંધ ઊઠે છે. તે દેહ સારુકેટલીક વાતો થાય છે ને બખેડો થાય છે. તે સારુ મહારાજનાસિદ્ધાંત પ્રમાણે ચાલવું. તે ઉપર શ્લોક બોલ્યા જે, નિજાત્માનંબ્રહ્મરુપં તથા બ્રહ્મભૂતઃ પ્રસન્નાત્મા તથા પરિનિષ્ઠિતોઽપિ નૈર્ગુણ્યેતથા આત્મારામાશ્ચ મુનયો એ આદિક ઘણા શ્લોક બોલ્યા. નેપછી કહ્યુંજે,તેમાટે લોચો મૂકીને કેવળ આત્મારુપ થાવું ।।૧૦૭।। read more
0 Views : 185

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૦૮

વળી જુઓને ! કેટલાંક છે તે ક્રિયા નામે એકેય કરવુંનહિ, ને પાણી પણ ભરવું નહિ, ત્યારે એ શું ? શાળગ્રામને કારસો આવે ! એ તે શું જાણતા હશે ? મને તો એને જોઇનેદાંત આવે છે જે, દૈવની માયા તો જો ! શું ઘરે સૂઇ રહેતાહશે ? પણ તે અજ્ઞાન. ત્યારે શું ધ્યાન કરે છે ? ઊંઘ લે છે.આ અમને તો આમ જોઇએ ત્યાં ભગવાન દેખાય છે, એ પણ મૂકીને સાધુની સેવા કરાવીએ છઈએ. તે બેય કરવું છે પણમૂર્ખને શું સમજાય ! ।।૧૦૮।। read more
0 Views : 90

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૦૯

અને ઝાઝી આવરદા એ પણ બહુ ભૂંડું છે. તે મોરે તોહજાર વર્ષનો ખાટલો ને સો વર્ષનાં ડચકાં ! આ તો ભગવાનેઅનુગ્રહ કર્યો છે, તે થોડા કાળમાં મોટું કામ સાધી લેવું નેભગવાનના ધામમાં પુગાય તેમ કરવું. જયાં અખાત્રીજના વાજોવા નહિ, પાંચમની વીજળી જોવી નહિ , એક ભગવાનનુંજ સુખ છે. ।।૧૦૯।। read more
0 Views : 88

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૧૦

સંવત્ ૧૯૧૯ ના આસો વદી દશમે વાત કરી જે, સહુસાંભળો વાત કરું. રઘુવીરજી મહારાજે છાવણી કરી, એમ મેં તમને અઢી મહિના સુધી વાતો કરી, ને જે વરતાલ આવે છે,એને તો મારો સાડા ત્રણ મહિના જોગ થાય છે. માટે હમણાંપણ અતિશે વાતો કરી છે. તે કોઇ મંદિરમાં રાખીને વાતું નકરે, આ તો મેં કરી. મન શત્રુ છે, ઇન્દ્રિયો શત્રુ છે, ને દેહશત્રુ છે; જો ભગવાન ન ભજાય તો. તે માટે આ જે વાતોકરી તે અંતરમાં રાખજો ને તે પ્રમાણે રહેજો. જુઓને આવોજોગ કયાંથી થાય ? હવે જોગ નહિ રહે. સાધુ મળવા કઠણછે માટે જોગ કરી લેજો, એ સિદ્ધાંત છે. ।।૧૧૦।। read more
0 Views : 90

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૧૧

‘આ સહુને પર સ્થિતિ થઇ જાય એમ કરી દઉ, પણ ઘેલું થઇ જવાય એવું કામ છે. ઓલ્યા લુવાણાને થઇ ગયું, કેમ જે પાત્ર નહિ, તેણે કરીને એમ થયું.’ એમ આશરે સાડા ત્રણસો માણસની સભા હતી તેને કહ્યું. ।।૧૧૧।। read more
0 Views : 98

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૧ર

અને આચાર્ય આદિક ચારનો અવગુણ આવે એ મોટું પાપછે. બીજા તો અનેક સ્વભાવ હોય, પણ એ પાપનું મૂળ છે.તે પાપને વિષે પુણ્યની બુદ્ધિ થાય, ને સાધુને વિષે અસાધુની બુદ્ધિ થાય, પછી દ્રોહ થાય, પછી તેનો જીવ નાશ થાય, એવું એ છે. માટે વારંવાર કહેવાનું તાત્પર્ય શું છે ? તો એ કે વાત હૈયામાં રાખીને કોઇ દિવસ એ માર્ગે ચડવું નહિ. ને એની સેવા થાય તો કરવી નીકર હાથ જોડવા, પણ અવગુણ તો ન જ લેવો, એ અમારો સિદ્ધાંત હતો તે કહ્યો – પીપા પાપ ન કીજિયે, તો ધર્મ કિયા સો વાર; જો કિસિકા લિયા નહિ, તો દિયા વાર હજાર. સાધુની, મંદિરની, આચાર્યની ને સત્સંગીની સેવા કરવી તો વૃદ્ધિ પમાય. ને દ્રોહ થાય તો જીવનો નાશ થાય. તે સેવા તે શું ? તો ભકત્યાનુવૃત્યા, અનુવૃત્તિ એ જ સેવા છે, માટે તે પ્રમાણે રહેવું. ।।૧૧૨।। read more
0 Views : 97
Powered By Indic IME