અને આત્મારૂપ થાવું, તેમાં ઉત્તમ ભોગને વિષે રાગ છે એ પણ વિઘ્ન છે. વૈરાગ્ય, ધર્મ, માહાત્મ્યે સહિત ભકિત નેઆત્મનિષ્ઠા એ સમજે જ છૂટકો છે. અને મહારાજ કહે,‘નાહીધોઇનેપૂજા કરવી પણ મળમૂત્ર ભર્યા ન કરવી,’ પણ આપણનેએમ સમજાતું નથી. તે ઉપર અમદાવાદનું બીજું વચનામૃતવંચાવ્યું ને કહ્યું જે, તે પ્રમાણે કરવું ને બધાં વચનામૃતમાં કહેતાતો ગયા છે જે, સાધુ, પુરુષોત્તમ ને આત્મનિષ્ઠા જેમ સોયવાંસે દોરો સોંસરો ચાલ્યો આવે તેમ રહસ્ય કહેતા આવ્યા છે,તે પ્રમાણે સમજવું.ઉપરથી સ્વામિનારાયણ, સ્વામિનારાયણ ભજન કરવું, તેકંઠમાં કરવું, હૃદયમાં કરવું ને જીવમાં કરવું; જયાં થાય ત્યાંકરવું ને જોતે જોતે ભગવાન સામું જોઇ રહેવું, તે દેખાશે. જેમચકમક પાડે ત્યારે માંહે અગ્નિ છે તે ઓલ્યા સૂતરમાં આવેછે, એમ દષ્ટાંત દીધું. ।।૯૯।।
read more