ભગવાન શૂળીનું દુ:ખ કાંટે મટાડે છે, એમ કરે તે કેમ જણાય ? એનો ઉત્તર : જે એ જેવું તો આપણે કેટલુંક થાતું હશે, ને બ્રહ્માંડમાં પણ થાય, તે તપાસી જુએ તો જણાય, જે કાળ માંથી સુકાળ કર્યો ને કેટલાક ઉપદ્રવ ટાળી નાખે છે. ૨૫૩ read more
આવી વાત તો કયાંય થાતી નથી, માટે વિષય તો ખોટા થઇ ગયા છે ને વાસના જેવું જણાય છે તે દેહધારીને એમ હોય, તેમાં સદાશિવની હવેલીનું દ્ષ્ટાંત દીધું તથા ભગવાનની ઇચ્છા સમજવી. ૨૫૫ read more
આપણે પોતાના સ્વરુપને અક્ષર માનવું તે ન મનાય તો પણ સ્થૂળ દેહને પોતાનું માનવું નહિ, ને મહારાજનો મત તો ત્રણે દેહને ન માનવાં ને અક્ષર માનવું. એ તો જેમ બ્રાહ્મણને ઘેર જન્મ થયો તે બ્રાહ્મણ, તેમ આપણને ભગવાન મળ્યા તે અક્ષર માનવું. ૨૫૬ read more
અને લાકડાની ને લોઢાની બેડી હોય તે કરતાં પણ સ્ત્રી ધનની બેડી મોટી છે. ને એ બેયથી ન દબાય એ તો માયાથી પર આવેલો હોય તે ન દબાય, બીજો તો દબાય, ને ઇંદ્રિયો અંત:કરણથી ન દબાય એ દેવ કે મનુષ્ય ન કહેવાય. ૨૫૭ read more
શ્વાન, સૂકર, બિલાડ, ખર, તેના ટોળા માંહિલો જંત, તેને મૂકે સંત કરી જો મળે સદ્ગુરુ સંત’ એમ કહીને કહ્યું : જે ‘વસ્તુ નહિ કોઇ સંત સમાના’ તે આપણને મળ્યા છે. ૨૫૮ read more
અને મહારાજ કહેતા: કે ‘નામ કેનું લઇએ પણ આગળ તો કલ્યાણ કેવાં કર્યા છે ! તો પોતાના સામથ્ર્ય પ્રમાણે કર્યા છે, ને કેટલેક તો મોટા મોટા કૂવા ખોદ્યા છે.’ ૨૫૯ read more