અને ભગવાન જેવું તો કોઇ પદાર્થ નથી તે આપણને મળ્યા છે, ને જેણે દાંત આપયા તે ચાવવાનું નહિ આપે ? ને આપણા કપાળમાં કાંઇ રોટલા નહિ લખ્યા હોય ? ને આપણે કાંઇ પ્રભુ વેંચી ખાધા છે ? માટે ભગવાન ભૂખ્યા ઉઠાડે પણ ભૂખ્યા સુવાડે નહિ. ગમે તેવી રીતે પણ ખાવા આપે છે, ને પ્રભુ ભજાય તે સારુ ગરીબ રાખ્યા છે. કદાપિ પૃથ્વીનું રાજ આપયું હોત તો નરકમાં પડી ચુકયા હોત, માટે આપણને આપયું નથી. ને આ દેહ તો પત્રાવળાને ઠેકાણે, તેમાં લાડવા જમી લેવા, તે શુ ? જે આ દેહે ભગવાનને મળી ચુકયા પછી દેહને ગમે તેમ થાઓને ! ‘દાસના દુશ્મન હરિ કદી હોય નહિ, જેમ કરશે તેમ સુખ થાશે.’ ને અમને તો હેત આવે છે તે વાત કરીએ છીએ, જે સ્વામિનારાયણ નામનો મંત્ર બહુ બળિયો છે, માટે ભજન કર્યા કરવું. ૨૪૫
read more