Last Updated:
May 5, 2025

Click here to submit your article
સ્વામીની વાતો
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૪પ

અને ભગવાન જેવું તો કોઇ પદાર્થ નથી તે આપણને મળ્‍યા છે, ને જેણે દાંત આપયા તે ચાવવાનું નહિ આપે ? ને આપણા કપાળમાં કાંઇ રોટલા નહિ લખ્‍યા હોય ? ને આપણે કાંઇ પ્રભુ વેંચી ખાધા છે ? માટે ભગવાન ભૂખ્‍યા ઉઠાડે પણ ભૂખ્‍યા સુવાડે નહિ. ગમે તેવી રીતે પણ ખાવા આપે છે, ને પ્રભુ ભજાય તે સારુ ગરીબ રાખ્‍યા છે. કદાપિ પૃથ્‍વીનું રાજ આપયું હોત તો નરકમાં પડી ચુકયા હોત, માટે આપણને આપયું નથી. ને આ દેહ તો પત્રાવળાને ઠેકાણે, તેમાં લાડવા જમી લેવા, તે શુ ? જે આ દેહે ભગવાનને મળી ચુકયા પછી દેહને ગમે તેમ થાઓને ! ‘દાસના દુશ્‍મન હરિ કદી હોય નહિ, જેમ કરશે તેમ સુખ થાશે.’ ને અમને તો હેત આવે છે તે વાત કરીએ છીએ, જે સ્‍વામિનારાયણ નામનો મંત્ર બહુ બળિયો છે, માટે ભજન કર્યા કરવું. ૨૪૫ read more
0 Views : 78

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૪૬

આ વાતોના કરનારા દુર્લભ છે. મનુષ્ય દેહ દુર્લભ છે ને દેહે સાજું રહેવું તે પણ દુર્લભ છે, એ ત્રણ વાત દુર્લભ છે તે માટે ભજન કરી લેજો. ૨૪૬ read more
0 Views : 74

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૪૭

દત્તાત્રેય બે જીવનું કલ્‍યાણ કર્યું, કપિલે એક જીવનું કલ્‍યાણ કર્યું ને ઋષભદેવે સો જીવનું કલ્‍યાણ કર્યું, ને આજ સાધુ કહે : કે ‘અમે દૈવી જીવનું કલ્‍યાણ કરીએ, પણ આસુરીનું કલ્‍યાણ અમારાથી ન થાય.’ ત્‍યારે ભગવાન કહે: ‘આસુરીનું કલ્‍યાણ અમે કરશું’ તે મુંઝોસૂરુ, માનભા, જોબનપગી ને તખોપગી એ તો પાપના પર્વત કહેવાય, એને તો ભગવાન સત્‍સંગ કરાવે, પણ એ સાધુથી વળે નહી. ૨૪૭ read more
0 Views : 79

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૪૮

અને દશ હજાર સૂર્યનું તેજ સુદર્શન ચક્રમાં છે, તેનો દીવા જેટલો પ્રકાશ થાય એટલું ઘાટું માયાનું તમ છે, તેનો છાંટો જીવમાં નાખ્‍યો છે એ સુષુપ્‍તિ અવસ્‍થા છે, તેને ટાળવા સારુ મહારાજનો અવતાર છે. ૨૪૮ read more
0 Views : 85

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૪૯

અને જેનું કર્યું થાય છે તે તો જાણીએ કાંઇ જાણતાં જ નથી, ને વચમાંથી બીજા કેટલાક મનસૂબા કરે છે. ૨૪૯ read more
0 Views : 77

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨પ૦

અને કોટિ કલ્‍પ થયા વિષય ભોગવ્‍યા છે તેનો પાસ લાગ્‍યો છે, તેને ટાળવાનું કારણ શિક્ષાપત્રીમાં ‘નિજાત્‍માનમ્ બ્રહ્મરુપં’ એ શ્લોક લખ્‍યો છે. ૨૫૦ read more
0 Views : 86

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨પ૧

શાસ્ત્રમાં ભગવાનને સમદર્શી કહ્યા છે તે ખરું નથી, ભગવાન તો ભકતના છે પણ અભકતના નથી, માટે સમદર્શી નથી. ૨૫૧ read more
0 Views : 90

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨પર

ભગવાન પોતાના ભકતમાં રહે છે તે પણ પાત્ર પ્રમાણે રહે છે તે જેમ જેમ મોટા ભગવદી તેમ તેમ તેમાં વિશેષપણે રહે છે. ૩૫૨ read more
0 Views : 81
Powered By Indic IME