Last Updated:
May 5, 2025

Click here to submit your article
સ્વામીની વાતો
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૯૭

આપણે જાણીએ છઇએ, જે આપણને ભગવાનમાં હેત છે, પણ આપણા કરતાં તો આપણા ઉપર ભગવાનને અને સાધુને ઝાઝું હેત છે. ૧૯૭ read more
0 Views : 85

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૯૮

અને જીવ માત્ર લધુશંકાના છે, તે એનું ભજન કરે છે. ને એ વિના તો રહેવાય નહિ. તે કયાં સુદી ? જે વૈરાટ સુધી ન રહેવાય, ને એમાંથી તો એક સનકાદિક તર્યાં. ને આ તો મહારાજે નવો ઉઠાવ કર્યો છે, ને આપણે તો કોઇક લોકમાંથી આવ્‍યા હશું તે આંહી બેસાય છે, ને આવો યોગ મળ્‍યો છે, નીકર મળે નહિ. ને વિષય વિના તો જીવથી રહેવાય નહિ. તે સારુ વેદે કરીને નિયમ બાંધીને વિષયની રજા આપી, તો પણ જીવ વેદ પ્રમાણે ચાલતા નથી. તે સારાં સારાં માણસ પણ નથી ચાલતાં, કેમજે વિષયનું બહુ બળ છે એ પ્રકારે વાત કરી. ૧૯૮ read more
0 Views : 78

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૯૯

આ કારખાનામાં તો બ્રહ્માંડ જેટલો વ્‍યવહાર કરવો ને ન બંધાવું, એવા તો એક સહજાનંદ સ્‍વામી છે. ને આ કામ તો કેવું છે ? આઠ દોકડાભારની ઉંદરડી ને માથે હજાર મણનો પાટડો પડે, તે ઉદરડી કયાંય દેખાય નહિ એવું છે. તે મહારાજે કહ્યું છે : ‘જે ગોપાળાનંદ સ્‍વામી ને મુકતાનંદ સ્‍વામી તે પણ ઊતરતા જેવા રહે કે ન રહે માટે આપણે તો ભગવાન ને સાધુ એ બે રાખવા. ને સોનું રાખીને ઉપર રુપિયા દેવા તે ખોટ ન આવે, ને બીજા વેપારમાં તો ખોટ પણ આવે. માટે આત્‍મનિષ્‍ઠા આદિક ગુણ છે, પણ ભગવાન અને સાધુ જેવું કાંઇ નથી. ૧૯૯ read more
0 Views : 111

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૦૦

અને એક એક વિષય છે તે ગિરનાર જેવા છે. તે આખી પૃથ્‍વીના સુતાર, લુવાર, કડિયા ભેળા કરીને હજાર કે પાંચસો વર્ષ સુધી ખોદે ત્‍યારે ખોદાય. એમ વાર્તા કરી તે સમજવી. ૨૦૦ read more
0 Views : 97

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૦૧

સર્વ કરતાં ભજન કરવું તે અધિક છે, ને તે કરતાં સ્‍મૃતિ રાખવી તે અધિક છે, ને તે કરતાં ઘ્‍યાન કરવું તે અધિક છે, ને તે કરતાં પોતાના આત્‍માને વિષે ભગવાનને ધારવા તે અધિક છે. ૨૦૧ read more
0 Views : 76

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૦ર

અને સર્વકર્તા તો ભગવાન છે. હમણાં આપણે ઊંઘમાં જાવું હોય તો જવાય નહિ, ને ઊંઘમાં ગયા હોઇએ ને પછી ચોર આવીને લૂંટીને લઇ જાય, પણ આપણાથી જગાય નહિ, માટે સર્વકર્તા તો  ભગવાન છે. ૨૦૨ read more
0 Views : 79

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૦૩

અને વિષયરુપી ફાંસલો જીવના ગળામાં નાખ્‍યો છે તેનું બળ છે. જેમ નદીનો પ્રવાહ ચાલતો હોય ત્‍યાં સુધી તેનું બળ ન જણાય, પણ તેને બંધ કરે ત્‍યારે ખબર પડે. તેમ મોટા મોટા સૌભરિ ને પરાશર આદિક દિશાઓના જિતનાર ભારે ભારે તેને પણ પરાભવ પમાડયા છે. તે વાસના જે લિંગદેહ તે તો આત્‍યંતિક પ્રલયમાં પણ ન બળ્‍યું, તે આજ જ્ઞાને કરીને બળે છે. પણ મહારાજે તો સર્વ બારાં બંધ કરી દીધાં છે. તે જીવ શું કરે ? જેમ ધોરિયામાં સાલી તાણે છે તેણે બારા બંધ થઇ જાય, ને પાણી કયાંઇ જાવા પામે નહિ એમ બંધ કર્યું છે. ૨૦૩ read more
0 Views : 102

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૦૪

છેલ્‍લા પ્રકરણનું તેરમું વચનામૃત વંચાવીને તેમાં ‘દેશકાળનું બહુ પ્રકારે વિષમપણું થઇ જાય ને તેમાં પણ એકાંતિકપણું કેમ રહે ?’ એ પ્રશ્ન, ઉપર વાત કરી : જે નિશ્વય રહે એ જ એકાંતિકપણું છે, ને એ જ રહેવાનું. તે જેમ ચિંતમણિ રહી ને બીજું ધન સર્વે ગયું પણ કાંઇ ગયું નથી, ને ચિંતામણિ ગઇ ને બીજું  સર્વે ધન રહ્યું પણ કાંઇ રહ્યું નથી. તેમજ નિશ્વય રહ્યો તો સર્વે રહ્યું ને અંતે એ જ રહેવાનું છે. ૨૦૪ read more
0 Views : 73
Powered By Indic IME