Last Updated:
May 5, 2025

Click here to submit your article
પ્રકરણ ૪
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૪, વાત- ૩૩

અને પાંચ ઇન્દ્રિયો ને છઠ્ઠું મન તેને જીતીને, વશ કરીને,પિંડ, બ્રહ્માંડ અને પંચવિષય તેમને જડ, દુઃખરૂપ, તુચ્છ,નાશવંત ને વિષ્ટારૂપ જાણીને ત્યાગ કરીને; સત્-ચિદ્-આનંદ,સૂક્ષ્મ ને નિર્ગુણ એવું જે પોતાના જીવાત્માનું સ્વરૂપ તેને જાણીને,ને તે જીવાત્મારૂપ થઇને મુનિ થકા શ્રીહરિનું ધ્યાન કરવું. નેજાતિ, વર્ણ, આશ્રમ ને ગુણ તેનું જે માન તેનો ત્યાગ કરીનેસમગ્ર સાધુ, સત્સંગી તેના દાસના દાસ થઇને રહે છે, તેને જશ્રીહરિનું ધ્યાન થાય છે. ને શ્રીહરિનું સમગ્રપણે માહાત્મ્ય જાણ્યાવિના બીજા કોટિ સાધન કરે, પણ સર્વ ક્રિયાને વિષે અખંડનામ-રટન ને મૂર્તિની અખંડ સ્મૃતિ રહે નહિ. ને અનંતકોટિબ્રહ્માડં નાં વિષય સુખ ભેળાં કરીએ તોપણ શ્રીહરિની મૂર્તિના એકરોમના સુખ ની કોટિમાં ભાગની બરોબર આવે નહિ. ને જેમહાપાતકી હોય ને તે જો શ્રીહરિનું ભજન કરે તો તેનાં સમગ્રપાપ બળીને ભસ્મ થઇ જાય, એવો અતિ અલૌકિક મહિમા છે.સાંખ્ય, યોગ, વેદાંત ને પંચરાત્ર છે એમનું તત્ત્વ તો એકશ્રીહરિની મૂર્તિ છે. એવી જેની અચળ મતિ હોય એવાવિચક્ષણને શ્રીહરિનું ધ્યાન થાય છે. ને સંપૂર્ણ ગુણ, સુખ નેસામર્થ્ય તો એક ભગવાનની મૂર્તિમાં જ છે ને બીજે ઠેકાણે તોકિંચિત્ છે; ને અનંતકોટિ બ્રહ્માંડનાં જે વિષય સુખ છે તે ભેળાંકરીએ તો શ્રીહરિનું નિમેષમાત્રનું ધ્યાન કે દર્શન કર્યું હોય તેનાકોટિમાં ભાગની બરોબર આવે નહિ; ને સાધુ, સત્સંગી નેઅક્ષરાદિક એ સર્વેનું તત્ત્વ તો શ્રીહરિની મૂર્તિ છે; એવી આસ્તિકમતિએ સહિત જેની સમજણ છે, તેને […] read more
0 Views : 112

સ્વામીની વાતો – પ્રકરણ ૪, વાત- ૩૪

અનંત અપાર ધામરૂપ જે અક્ષરબ્રહ્મ તેનું સમગ્ર સુખભેળું કરીએ તોપણ શ્રીહરિના એક રોમના સુખની બરોબર નઆવે, એવો દઢ જ્ઞાની છે તેને શ્રીહરિનું ધ્યાન થાય છે.આ લોક-પરલોકને વિષે દુર્લભ તે શું છે ? તો શ્રીહરિનાસ્વરૂપનું જ્ઞાન, ઉપાસના, આશરો, વિશ્વાસ, અનુવૃત્તિ ને પ્રીતિએ અચળ થાય એ જ દુર્લભ ને સારમાં સાર છે. નેમુક્તાનદં સ્વામી, ગોપાળાનદં સ્વામી, નિત્યાનદં સ્વામી, બ્રહ્માનદં સ્વામીએ આદિક સાધુ ને સત્સંગી અનેક, શ્રીહરિની ઉપાસનાએ કરીનેપરમપદને પામી ગયા. પ્રથમ ઉત્પત્તિકાળ સમે અનંતકોટિબ્રહ્માંડના જે બ્રહ્માઓ તે જે તે મહા ઉગ્ર એવું જે તપ તેણે કરીનેભગવાનને રાજી કરીને પોતાનો મનોરથ સિદ્ધ કરે છે. તેમશ્રીહરિનો જે મનુષ્યભાવ, દિવ્યભાવ, નિગર્ણુ -સગુણપણું, સાકાર-નિરાકારપણું, કર્તા- અકર્તાપણું, અન્વય-વ્યતિરેકપણું, સ્વભાવ, ગુણને નામ તે જેમ છે તેમ નિર્દોષપણે જાણીને તથા એમનું જેસ્વરૂપ તે પણ શ્રવણ, મનન, નિદિધ્યાસ ને સાક્ષાત્કાર વડે જેમછે તેમ યથાર્થ જાણીને દઢ આશરો કરવો, તે રૂપી જે તપ તેણેકરીને ભગવાનને રાજી કરવા. ।।૩૪।। read more
0 Views : 119

સ્વામીની વાતો – પ્રકરણ ૪, વાત- ૩પ

સત્શાસ્ત્રનો જેના ઉપર અધિકાર હોય તેને મનુષ્ય કહીએ;એવાં હજારો મનુષ્ય ભેળાં કરીએ ત્યારે તેમાં એક ધર્મવાન જડે ;તેવા ધર્મવાન હજારો ભેળા કરીએ ત્યારે તેમાં એક સિદ્ધિને અર્થે યત્નને કરતો હોય એવો જડે; સિદ્ધિવાળા હજારો ભેગાકરીએ તો તે મધ્યે એક ભગવાનને અર્થે યત્નને કરતો હોય એવોમળે; તેવા હજાર મધ્યે એક ભગવાનને જાણીને યત્નને કરતોહોય એવો મળે; ભગવાનને જાણીને યત્નને કરતા હોય એવાહજારો ભેગા કરીએ તો તે મધ્યે કોઇક જ્ઞાની ભગવાનનું સ્વરૂપ,સ્વભાવ, ઐશ્વર્ય તે અંતે રહિત છે તેને તત્ત્વે કરીને યથાર્થ પોતાનાજ્ઞાનની વિશાળતાને અનુસારે કોઈક જાણે છે, પણ તે જેમ છેતમે તો અતં ને નથી પામતો. ને ભગવાન પોતે પોતાના સ્વરૂપ,સ્વભાવ, ગણુ ને ઐશ્વર્યતેના મહિમાના અતં ને નથી પામતા,તો બીજો તો પામે જ કેમ ? એવા સર્વોત્કૃષ્ટ હરિકૃષ્ણ પુરુષોત્તમતેમણે અનકે કોટિ બ્રહ્માંડનાં ને બહ્મ્રપુરાદિક ધામનાં સમગ્ર ઐશ્વર્ય જે પોતાની મૂર્તિને આધીન છે; તે સમાધિએ કરીને દેખાડ્યાં તથાસહુના ઇષ્ટદવે રૂપે પોતે પોતાનું દશર્ન દઇને અનતં જીવનેપોતાનો સર્વોપરી નિશ્ચય કરાવ્યો.એવી રીતનું બીજું પણ જે અપરિમિત , સર્વોપરી, દિવ્યઐશ્વર્ય તેને દેખાડીને પોતાના સર્વોપરી ઐશ્વર્યને વિષે અક્ષરાદિકસર્વેનાં ઐશ્વર્ય લીન કરીને પોતે સર્વોત્કૃષ્ટપણે જયકારી પ્રવર્તેછે. એવા જે બ્રહ્મધામના અધિપતિ હરિકૃષ્ણ પુરુષોત્તમ તેમનેધર્મદેવ ને મરિચ્યાદિક ઋષિ તે વૃંદાવનને વિષે જ્ઞાનયજ્ઞે કરીનેરાજી કરી ને મનવાંછિત વર પામ્યા, તેમ યોગીએ હરિકૃષ્ણનીમૂર્તિના જ્ઞાન, ધ્યાનને વિષે તત્પર થઇને મંડવું. ।।૩૫।। read more
0 Views : 110

સ્વામીની વાતો – પ્રકરણ ૪, વાત- ૩૬

અને એ હરિકૃષ્ણ પુરુષોત્તમ તે અક્ષર થકી અન્ય છે;ને અતિશે સ્વરાટ છે; ને અતિશે શેષના શેષી છે; ને અતિશેકર્તુમકર્તુમન્યથાકર્તું સમર્થ છે; ને અનંત દિવ્ય કલ્યાણકારીગુણના સમુદ્ર છે; ને અતિશે મહામનોહર મૂર્તિ છે; ને સદાસાકાર મૂર્તિ છે; ને અતિશે પ્રકાશક છે; ને અનાદિ, અપરિમિત,નિરંકુશ, દિવ્ય ઐશ્વર્યસંપન્ન છે; ને અનંત દિવ્ય સુખના સમુદ્રછે; ને અતિશે મહાજ્ઞાન મૂર્તિ છે; ને સર્વના નિયંતા છે, નેઅદ્વિતીય મૂર્તિ છે; ને સદા અખંડિત છે; ને વિજ્ઞાન, જ્ઞાન,ઐશ્વર્યમય છે મૂર્તિ જેમની એવા છે; ને અનેક વિભૂતિઓ નેઅનેક અક્ષરાદિક મુકત ને અનેક કાળ, માયા, પુરુષાદિકશકિતઓ એ સર્વેના કારણ છે ને વાસુદેવાદિક ચતુર્વ્યુહ તથાકેશવાદિક ચોવીસ મૂર્તિઓ તથા રામકૃષ્ણાદિક અવતાર એસર્વેના ધરનાર છે, ને ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય એ સર્વ કાળનેવિષે સદાય દિવ્યવિગ્રહ ને અજિત મૂર્તિ છે; ને એક થકા અનેકરૂપે છે, ને અનેકરૂપ થકા એક છે ને અનેકના અગ્રજ છે,પરમાત્મા છે, પરમેશ્વર છે, પરમ કારુણિક છે, પુરુષોત્તમ છે,પૂર્ણકામ છે, પરાત્પર છે, પરબ્રહ્મ છે, ને સ્વરૂપ, સ્વભાવ, ગુણ,ઐશ્વર્ય તેણે કરીને જેની કોઇને ઉપમા દેવાતી નથી એવા સર્વોપરીપ્રસિદ્ધ છે; ને અત્યંત નિર્વિશેષ જ્ઞાન, બળ, તેજ, ઐશ્વર્યઇત્યાદિક પ્રત્યક્ષ હરિકૃષ્ણ પુરુષોત્તમનો અપરિમિત મહિમા છે.તેને યથાર્થ કહેવા, જાણવા, દેખવા, સાંભળવા ને પામવાને કોણસમર્થ છે ? કોઇ નથી. ।।૩૬।। read more
0 Views : 158

સ્વામીની વાતો – પ્રકરણ ૪, વાત- ૩૭

‘હે નાથ ! હે દયાસિંધો ! હે કૃપાસિંધો ! હે કલિદોષનિવારક ! હે ભકિતધર્માત્મજ ! હે યોગકલાપ્રવર્તક !હે વર્ણિવેશદર્શક ! હે શાલગ્રામ તૃષાહર ! હે બ્રહ્મવિદ્યાપ્રર્વતક!હે અધમોદ્ધારણ ! હે પતિતપાવન ! હે અશરણશરણ ! હેશુદ્ધએકાંતિકધર્મપ્રર્વતક ! હે હરિજનવલ્લભ ! હે નિષ્કામભકત-વલ્લભ ! હે નૈષ્ઠિકાગ્રણિન્ ! હે અકાંતિકધર્મપ્રવર્તક ! હેભકતવલ્લભ ! હે સ્વામિનારાયણ! હે નીલકઠં ! હે હરિકૃષ્ણ !હે હરે ! હે નારાયણ ! હે ધર્મધુરંધર ! હે સર્વજનરક્ષક ! હેસહજાનંદસ્વામિન્ ! તમે મારી ઉપર રાજી થઇને, મને પોતાનોએકાંતિક દાસ જાણીને, મારા હૃદયને વિષે નિવાસ કરીને નિત્યરહેજો.’ આવી રીતે નિત્યે વહેલા ઊઠીને શ્રીપુરુષોત્તમભગવાનની મુમુક્ષુએ પ્રાર્થના કરવી. ને આવી રીતે જો મુમુક્ષુનિત્યે પ્રાર્થના કરે તો તેના હૃદયમાં સાક્ષાત્ શ્રીપુરુષોત્તમભગવાન નિવાસ કરીને અખંડ રહે. ।।૩૭।। read more
0 Views : 127

સ્વામીની વાતો – પ્રકરણ ૪, વાત- ૩૮

આવી રીતે શ્રીપુરુષોત્તમ ભગવાન તેમણે અગણિત જીવોનુંકલ્યાણ કરવાને અર્થે પોતાનું જે સમગ્ર ઐશ્વર્ય, પ્રતાપ તે સર્વેજીવને સહેજમાં દેખાડતા હતા, તે ઐશ્વર્ય પ્રતાપ સદ્ગુરુ શ્રીગુણાતીતાનંદ સ્વામીએ પોતે દીઠેલું તેમાંથી આ તો સંક્ષેપમાત્ર લખાવેલ છે. ।।૩૮।। ઈતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય ગુણાતીતાનંદસ્વામીએકરેલી વાતોમાં પુરુષોત્તમ ભગવાનનું ઐશ્વર્ય તથા પ્રતાપબતાવ્યાં તે નામે ચોથું પ્રકરણ સમાપ્ત. read more
0 Views : 134
Powered By Indic IME