અને એ હરિકૃષ્ણ પુરુષોત્તમ તે અક્ષર થકી અન્ય છે;ને અતિશે સ્વરાટ છે; ને અતિશે શેષના શેષી છે; ને અતિશેકર્તુમકર્તુમન્યથાકર્તું સમર્થ છે; ને અનંત દિવ્ય કલ્યાણકારીગુણના સમુદ્ર છે; ને અતિશે મહામનોહર મૂર્તિ છે; ને સદાસાકાર મૂર્તિ છે; ને અતિશે પ્રકાશક છે; ને અનાદિ, અપરિમિત,નિરંકુશ, દિવ્ય ઐશ્વર્યસંપન્ન છે; ને અનંત દિવ્ય સુખના સમુદ્રછે; ને અતિશે મહાજ્ઞાન મૂર્તિ છે; ને સર્વના નિયંતા છે, નેઅદ્વિતીય મૂર્તિ છે; ને સદા અખંડિત છે; ને વિજ્ઞાન, જ્ઞાન,ઐશ્વર્યમય છે મૂર્તિ જેમની એવા છે; ને અનેક વિભૂતિઓ નેઅનેક અક્ષરાદિક મુકત ને અનેક કાળ, માયા, પુરુષાદિકશકિતઓ એ સર્વેના કારણ છે ને વાસુદેવાદિક ચતુર્વ્યુહ તથાકેશવાદિક ચોવીસ મૂર્તિઓ તથા રામકૃષ્ણાદિક અવતાર એસર્વેના ધરનાર છે, ને ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય એ સર્વ કાળનેવિષે સદાય દિવ્યવિગ્રહ ને અજિત મૂર્તિ છે; ને એક થકા અનેકરૂપે છે, ને અનેકરૂપ થકા એક છે ને અનેકના અગ્રજ છે,પરમાત્મા છે, પરમેશ્વર છે, પરમ કારુણિક છે, પુરુષોત્તમ છે,પૂર્ણકામ છે, પરાત્પર છે, પરબ્રહ્મ છે, ને સ્વરૂપ, સ્વભાવ, ગુણ,ઐશ્વર્ય તેણે કરીને જેની કોઇને ઉપમા દેવાતી નથી એવા સર્વોપરીપ્રસિદ્ધ છે; ને અત્યંત નિર્વિશેષ જ્ઞાન, બળ, તેજ, ઐશ્વર્યઇત્યાદિક પ્રત્યક્ષ હરિકૃષ્ણ પુરુષોત્તમનો અપરિમિત મહિમા છે.તેને યથાર્થ કહેવા, જાણવા, દેખવા, સાંભળવા ને પામવાને કોણસમર્થ છે ? કોઇ નથી. ।।૩૬।।
read more