જાળિયામાં હીરાભાઇને ઘેર શ્રીજીમહારાજે શરીરે મંદવાડજણાવ્યો ને પછી મુકતાનંદસ્વામી આદિક પરમહંસ ત્યાં આવ્યા;પછી મુકતાનંદસ્વામીએ પૂછ્યું જે,‘હે મહારાજ તમારે શરીરે કસરથઇ હતી ?’ ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે,‘અમારે શરીરે કસરનહોતી થઇ, પણ અમો તો તમોએ બહુ તપ કર્યું તે તમારાસારુ ધામ જોવા ગયા હતા; એટલે આ લોકની વિસ્મૃતિ થઇહતી, તેણે કરીને શરીરે કસર જેવું જણાણું, તે પ્રથમ તો અમેબદરિકાશ્રમમાં ગયા, ત્યારે તે આશ્રમના વાસી નરનારાયણબોલ્યા જે,‘હે મહારાજ ! તમે દયા કરીને ભલે અમારા આશ્રમમાંપધાર્યા.’ પછી તે સર્વેએ અમારી પૂજા, આરતી, સ્તુતિ કરીને બેઠા, પછી તેને અમે કહ્યું જે,‘અમારા સાધુએ બહુ તપ કર્યુતે સારુ ધામ જોવા આવ્યા છઈએ.’ ત્યારે તેમણે કહ્યું જે, ‘હેમહારાજ ! આ ધામ તમારું છે માટે આંહીં સાધુને રાખો.’પછી અમને એમ વિચાર થયો જે, આંહીંના જેવું તો ત્યાં પણતપ કરે છે.પછી ત્યાંથી શ્વેતદ્વીપમાં ગયા, ત્યારે ત્યાંના વાસી જેવાસુદેવ તેણે અમને પધરાવીને પૂજા, આરતી, સ્તુતિ કરી નેબેઠા. પછી તે બોલ્યા જે, ‘હે મહારાજ ! બહુ દયા કરીને અમનેદર્શન દીધાં.’ ત્યારે તેને અમે કહ્યું જે, ‘અમે તો અમારા સાધુએબહુ જ તપ કર્યું તેના સારુ ધામ જોવા આવ્યા છઈએ.’ પછીતેણે કહ્યું જે, ‘હે મહારાજ આ ધામ તમારું જ છે માટે આંહીંસાધુને રાખો.’ પણ અમને એમ જણાણું જે, આ સ્થાન તોતપ કરવાને બહુ સારું છે, પણ પ્રભુ ભજવાનું સુખ બરાબરજણાણું નહીં. શા માટે જે, […]
read more