જેતલપુરના મહોલમાં મુકતાનંદસ્વામી આદિક પરમહંસનેશ્રીજીમહારાજે પૂછ્યું જે,‘અમે જે જે ધામમાં જઇએ છઈએ તેતે ધામમાં તમારાં વખાણ થાય છે ને જે જે શાસ્ત્ર સાંભળીએછઈએ તે તે શાસ્ત્રમાં પણ તમારાં વખાણ થાય છે, તે તમારામાંએવી શી મોટપ છે જે સર્વે ઠેકાણે તમારાં વખાણ કરે છે ?’એમ કહીને શ્રીજીમહારાજ બોલ્યા જે,‘તૂંબડી ફૂટી જાય, તોતમને સાજી કરતાં આવડે ?’ ત્યારે મુકતાનંદસ્વામીએ કહ્યુંજે,‘ના મહારાજ.’ પછી મહારાજે કહ્યું જે,‘તમે તમારી મોટપનેજાણતા નથી.’એમ કહીને બોલ્યા જે, લ્યો અમે તમારી મોટપને કહીએછઈએ જે,”આ પચાસ કોટિ યોજન પૃથ્વી છે, તેથી દસગણુંજળ છે, તેથી દસગણું તેજ છે, તેથી દસગણો વાયુ છે, તેથીદસગણો આકાશ છે, તેથી દસગણો અહંકાર છે, તેથી દસગણુંમહત્તત્ત્વ છે, તેથી અનંતગણી પ્રકૃતિ ને પુરુષ છે ને તેથીઅનંતગણું અક્ષરધામ છે. તે ધામમાંથી લાખ મણ લોઢાનો ગોળોપડતો મૂકીએ, તે વાયુને લેરખે ઘસાતો ઘસાતો પૃથ્વી ઉપર આવે,ત્યારે રજ ભેળો રજ થઇ જાય, એટલે છેટે અક્ષરધામ છે; પણજો આંહીં અલ્પ જેવો જીવ હોય ને તમે એમ ધારો જે, ‘આજીવ અષ્ટ આવરણ પાર જે અક્ષરધામ તેમાં જાય’ તો તત્કાળજાય ! એવું તમારા સંકલ્પમાં બળ છે. જેમ જતરડામાં ઘાલીનેપાણો ફગાવી નાખે, તેમ તમે પણ જે જીવને આંહીંથીઅક્ષરધામમાં ફગાવો, તેને ત્યાં જાતાં વચમાં કાળ, માયાદિકકોઇ આડું આવી શકે નહીં, એવું તમારા કાંડામાં બળ છે. પણતમે તમારી મોટપને જાણતા નથી.વળી, તમ જેવા જે સંત તેને કોઇ […]
read more