અને ધર્મવંશી ગુરુ થકી શ્રીકૃષ્ણની દીક્ષાને પામ્યા એવા જે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ ત્રણ વર્ણના અમારા સત્સંગી તેમણે કંઠને વિષે તુલસીની બેવડી માળા નિત્યે ધારવી અને લલાટ, હૃદય અને બે હાથ એ ચારે ઠેકાણે ઊર્ધ્વપુંડ્ર તિલક કરવું. ।।૪૧।। read more
અને તે તિલક જે તે ગોપીચંદને કરીને કરવું અથવા ભગવાનની પૂજા કરતા બાકી રહ્યું અને કેસર કુંકુમાદિકે યુકત એવું જે પ્રસાદિનું ચંદન તેણે કરીને તિલક કરવું.।।૪૨।। read more
અને તે તિલકના મધ્યને વિષે જ ગોળ એવો જે ચાંદલો તે જે તે ગોપીચંદને કરીને કરવો અથવા રાધિકાજી અને લક્ષ્મીજી તેનું પ્રસાદિ એવું જે કુંકુમ તેણે કરીને તે ચાંદલો કરવો. ।।૪૩।। read more
અને પોતાના ધર્મને વિષે રહ્યા અને શ્રીકૃષ્ણનાં ભકત એવા જે સચ્છૂદ્ર તેમણે તો તુલસીની માળા અને ઊર્ધ્વપુંડ્ર તિલક તે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યની પેઠે ધારવાં. ।।૪૪।। read more
અને તે સચ્છૂદ્ર થકી બીજા જે જાતીયે કરીને ઉતરતા એવા ભકતજન તેમણે તો ચંદનાદિક કાષ્ઠની જે બેવડી માળા તે ભગવાનની પ્રસાદિ કરાવીને કંઠને વિષે ધારવી અને લલાટને વિષે કેવળ ચાંદલો કરવો પણ તિલક ન કરવું. ।।૪૫।। read more
અને જે બ્રાહ્મણાદિકને ત્રિપુંડ્ર જે આડુ તિલક કરવું તથા રૂદ્રાક્ષની માળા ધારવી એ બે વાનાં પોતાની કુળપરંપરાએ કરીને ચાલ્યા આવ્યાં હોય અને તે બ્રાહ્મણાદિક અમારા આશ્રિત થયા હોય તો પણ તેમણે તે ત્રિપુંડ્ર અને રૂદ્રાક્ષનો કયારેય ત્યાગ ન કરવો. ।।૪૬।। read more