Last Updated:
May 5, 2025

Click here to submit your article
શિક્ષાપત્રી
Per Page :

શિક્ષાપત્રી શ્લોક – ૪૧

અને ધર્મવંશી ગુરુ થકી શ્રીકૃષ્ણની દીક્ષાને પામ્યા એવા જે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ ત્રણ વર્ણના અમારા સત્સંગી તેમણે કંઠને વિષે તુલસીની બેવડી માળા નિત્યે ધારવી અને લલાટ, હૃદય અને બે હાથ એ ચારે ઠેકાણે ઊર્ધ્વપુંડ્ર તિલક કરવું. ।।૪૧।। read more
0 Views : 118

શિક્ષાપત્રી શ્લોક – ૪૨

અને તે તિલક જે તે ગોપીચંદને કરીને કરવું અથવા ભગવાનની પૂજા કરતા બાકી રહ્યું અને કેસર કુંકુમાદિકે યુકત એવું જે પ્રસાદિનું ચંદન તેણે કરીને તિલક કરવું.।।૪૨।। read more
0 Views : 119

શિક્ષાપત્રી શ્લોક – ૪૩

અને તે તિલકના મધ્યને વિષે જ ગોળ એવો જે ચાંદલો તે જે તે ગોપીચંદને કરીને કરવો અથવા રાધિકાજી અને લક્ષ્મીજી તેનું પ્રસાદિ એવું જે કુંકુમ તેણે કરીને તે ચાંદલો કરવો. ।।૪૩।। read more
0 Views : 96

શિક્ષાપત્રી શ્લોક – ૪૪

અને પોતાના ધર્મને વિષે રહ્યા અને શ્રીકૃષ્ણનાં ભકત એવા જે સચ્છૂદ્ર તેમણે તો તુલસીની માળા અને ઊર્ધ્વપુંડ્ર તિલક  તે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યની પેઠે ધારવાં. ।।૪૪।। read more
0 Views : 115

શિક્ષાપત્રી શ્લોક – ૪૫

અને તે સચ્છૂદ્ર થકી બીજા જે જાતીયે કરીને ઉતરતા એવા ભકતજન તેમણે તો ચંદનાદિક કાષ્ઠની જે બેવડી માળા તે ભગવાનની પ્રસાદિ કરાવીને કંઠને વિષે ધારવી અને લલાટને વિષે કેવળ ચાંદલો કરવો પણ તિલક ન કરવું. ।।૪૫।। read more
0 Views : 103

શિક્ષાપત્રી શ્લોક – ૪૬

અને જે બ્રાહ્મણાદિકને ત્રિપુંડ્ર જે આડુ તિલક કરવું તથા રૂદ્રાક્ષની માળા ધારવી એ બે વાનાં પોતાની કુળપરંપરાએ કરીને ચાલ્યા આવ્યાં હોય અને તે બ્રાહ્મણાદિક અમારા આશ્રિત થયા હોય તો પણ તેમણે તે ત્રિપુંડ્ર અને રૂદ્રાક્ષનો કયારેય ત્યાગ ન કરવો. ।।૪૬।। read more
0 Views : 112

શિક્ષાપત્રી શ્લોક – ૪૭

અને નારાયણ અને શિવજી એ બેનું એકાત્મપણું જ જાણવું, કેમ જે વેદને વિષે એ બેનું બ્રહ્મરૂપે કરીને પ્રતિપાદન કર્યું છે. ।।૪૭।। read more
0 Views : 131

શિક્ષાપત્રી શ્લોક – ૪૮

અને અમારા આશ્રિત જે મનુષ્ય તેમણે શાસ્ત્રે કહ્યો જે આપદ્ધર્મ તે અલ્પ આપત્કાળને વિષે મુખ્યપણે કરીને કયારેય ગ્રહણ ન કરવો. ।।૪૮।। read more
0 Views : 93
Powered By Indic IME