Last Updated:
May 5, 2025

Click here to submit your article
શિક્ષાપત્રી
Per Page :

શિક્ષાપત્રી શ્લોક – ૩૩

અને ચોરમાર્ગે કરીને પેસવું નહિ અને નીસરવું નહિ અને જે સ્થાનક ધણિયાતું હોય તે સ્થાનકને વિષે તેના ધણીને પૂછ્યા વિના ઉતારો ન કરવો. ।।૩૩।। read more
0 Views : 136

શિક્ષાપત્રી શ્લોક – ૩૪

અને અમારા સત્સંગી જે પુરુષમાત્ર તેમણે બાઇમાણસના મુખ થકી જ્ઞાનવાર્તા ન સાંભળવી અને સ્ત્રીઓ સાથે વિવાદ ન કરવો તથા રાજા સંગાથે તથા રાજાના માણસ સંગાથે વિવાદ ન કરવો. ।।૩૪।। read more
0 Views : 117

શિક્ષાપત્રી શ્લોક – ૩૫

અને ગુરુનું અપમાન ન કરવું તથા જે અતિશય શ્રેષ્ઠ મનુષ્ય હોય તથા જે લોકને વિષે પ્રતિષ્ઠિત મનુષ્ય હોય તથા જે વિદ્વાન મનુષ્ય હોય તથા જે શસ્ત્રધારી મનુષ્ય હોય તે સર્વેનું અપમાન ન કરવું. ।।૩૫।। read more
0 Views : 130

શિક્ષાપત્રી શ્લોક – ૩૬

અને વિચાર્યા વિના તત્કાળ કાંઇ કાર્ય  ન કરવું અને ધર્મ સંબંધિ જે કાર્ય તે તો તત્કાળ કરવું અને પોતે જે વિદ્યા ભણ્યા હોયએ તે બીજાને ભણાવવી અને નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો. ।।૩૬।। read more
0 Views : 123

શિક્ષાપત્રી શ્લોક – ૩૭

અને ગુરુ, દેવ અને રાજા એ ત્રણનાં દર્શનને અર્થે જયારે જવું ત્યારે ઠાલે હાથે ન જવું અને કોઇનો વિશ્વાસઘાત ન કરવો અને પોતાને મુખે કરીને પોતાનાં વખાણ ન કરવાં. ।।૩૭।। read more
0 Views : 128

શિક્ષાપત્રી શ્લોક – ૩૮

અને જે વસ્ત્ર પહેર્યે થકે પણ પોતાનાં અંગ દેખાય તેવું જે ભૂંડું વસ્ત્ર તે અમારા સત્સંગી તેમણે ન પહેરવું. ।।૩૮।। read more
0 Views : 122

શિક્ષાપત્રી શ્લોક – ૩૯

અને શ્રીકૃષ્ણ ભગવાનની જે ભકિત તે ધર્મે રહિત એવી કોઇ પ્રકારે ન કરવી અને અજ્ઞાની એવાં જે મનુષ્ય તેમની નિંદાના ભય થકી શ્રીકૃષ્ણ ભગવાનની સેવાનો ત્યાગ કરવો જ નહિ. ।।૩૯।। read more
0 Views : 120

શિક્ષાપત્રી શ્લોક – ૪૦

અને ઉત્સવના દિવસને વિષે તથા નિત્ય પ્રત્યે શ્રીકૃષ્ણના મંદિરમાં આવ્યા એવા જે સત્સંગી પુરુષ તેમણે તે મંદિરને વિષે સ્ત્રીઓનો સ્પર્શ ન કરવો તથા સ્ત્રીઓ તેમણે પુરુષનો સ્પર્શ ન કરવો અને મંદિરમાંથી નિસર્યા પછી પોતપોતાની રીતે વર્તવું. ।।૪૦।। read more
0 Views : 153
Powered By Indic IME