Last Updated:
May 5, 2025

Click here to submit your article
શિક્ષાપત્રી
Per Page :

શિક્ષાપત્રી શ્લોક – ૨૫

અને જેના વચનને સાંભળવે કરીને શ્રીકૃષ્ણ ભગવાનની ભકિત ને પોતાનો ધર્મ એ બે થકી પડી જવાય તેના મુખ થકી ભગવાનની કથા-વાર્તા ન સાંભળવી. ।।૨૫।। read more
0 Views : 154

શિક્ષાપત્રી શ્લોક – ૨૬

અને જે સત્ય વચન બોલવે કરીને પોતાનો દ્રોહ થાય તથા પારકો દ્રોહ થાય એવું જે સત્ય વચન તે કયારેય ન બોલવું અને જે કૃતઘ્ની હોય તેના સંગનો ત્યાગ કરવો અને વ્યવહાર કાર્યને વિષે કોઇની લાંચ ન લેવી. ।।૨૬।। read more
0 Views : 139

શિક્ષાપત્રી શ્લોક – ૨૭

અને ચોર, પાપી, વ્યસની, પાખંડી, કામી તથા કિમિયા આદિક ક્રિયાએ કરીને જનનો ઠગનારો એ છ પ્રકારનાં જે મનુષ્ય તેમનો સંગ ન કરવો. ।।૨૭।। read more
0 Views : 147

શિક્ષાપત્રી શ્લોક – ૨૮

અને જે મનુષ્ય ભકિતનું અથવા જ્ઞાનનું આલંબન કરીને સ્ત્રી, દ્રવ્ય અને રસાસ્વાદ તેને વિષે અતિશય લોલુપ થકા પાપને વિષે પ્રવર્તતા હોય તે મનુષ્યનો સમાગમ ન કરવો. ।।૨૮।। read more
0 Views : 134

શિક્ષાપત્રી શ્લોક – ૨૯

અને જે શાસ્ત્રને વિષે શ્રીકૃષ્ણ ભગવાન તથા શ્રીકૃષ્ણ ભગવાનના જે વરાહાદિક અવતાર તેમનું યુકિતએ કરીને ખંડન કર્યું હોય એવા જે શાસ્ત્ર તે કયારેય ન માનવા અને ન સાંભળવા. ।।૨૯।। read more
0 Views : 162

શિક્ષાપત્રી શ્લોક – ૩૦

અને ગાળ્યા વિનાનું જે જળ તથા દૂધ તે ન પીવું અને જે જળને વિષે ઝીણાં જીવ ઘણાક હોય તે જળે કરીને સ્નાનાદિક ક્રિયા ન કરવી. ।।૩૦।। read more
0 Views : 145

શિક્ષાપત્રી શ્લોક – ૩૧

અને જે ઔષધ દારૂ તથા માંસ તેણે યુકત હોય તે ઔષધ કયારેય ન ખાવું અને વળી જે વૈદ્યના આચરણને જાણતા ન હોઇએ તે વૈદ્યે આપ્યું જે ઔષધ તે પણ કયારેય ન ખાવું. ।।૩૧।। read more
0 Views : 135

શિક્ષાપત્રી શ્લોક – ૩૨

અને લોક ને શાસ્ત્ર તેમણે મળમૂત્ર કરવાને અર્થે વજર્યા એવાં સ્થાનક જે જીર્ણ દેવાલય તથા નદી, તળાવના આરા તથા માર્ગ તથા વાવેલું ખેતર તથા વૃક્ષની છાયા તથા ફૂલવાડી-બગીચા એ આદિક જે સ્થાનક તેમને વિષે કયારેય પણ મળમૂત્ર ન કરવું તથા થુંકવું પણ નહી. ।।૩૨।। read more
0 Views : 157
Powered By Indic IME