Last Updated:
May 5, 2025

Click here to submit your article
શિક્ષાપત્રી
Per Page :

શિક્ષાપત્રી શ્લોક – ૧૭

અને ધર્મ કરવાને અર્થે પણ અમારા સત્સંગી કોઇએ ચોરનું કર્મ ન કરવું અને ધણિયાતું જે કાષ્ટ, પુષ્પ આદિક વસ્તુ તે તેના ધણીની આજ્ઞા વિના ન લેવું. ।।૧૭।। read more
0 Views : 1301

શિક્ષાપત્રી શ્લોક – ૧૮

અને અમારા આશ્રિત જે પુરુષ તથા સ્ત્રીઓ તેમણે વ્યભિચાર ન કરવો અને જુગટું આદિક જે વ્યસન તેનો ત્યાગ કરવો અને ભાંગ્ય, મફર,માજમ ગાંજો એ આદિક જે કેફ કરનારી વસ્તુ તે ખાવી નહિ અને પીવી પણ નહિ.।।૧૮।। read more
0 Views : 1293

શિક્ષાપત્રી શ્લોક – ૧૯

અને જેના હાથનું રાંધેલ અન્ન તથા જેના પાત્રનું જળ તે ખપતું ન હોય તેણે રાંધેલ અન્ન તથા તેના પાત્રનું જળ તે શ્રીકૃષ્ણ ભગવાનની પ્રસાદિ ચરણામૃતના માહાત્મ્યે કરીને પણ જગન્નાથપુરી વિના અન્ય સ્થાનકને વિષે ગ્રહણ ન કરવું અને જગન્નાથપુરીને વિષે જગન્નાથજીનો પ્રસાદ લેવાય તેનો દોષ નહિ. ।।૧૯।। read more
0 Views : 154

શિક્ષાપત્રી શ્લોક – ૨૦

અને પોતાના સ્વાર્થની સિદ્ધિને અર્થે પણ કોઇને વિષે મિથ્યા અપવાદ આરોપણ ન કરવો અને કોઇને ગાળ તો કયારેય ન દેવી. ।।૨૦।। read more
0 Views : 161

શિક્ષાપત્રી શ્લોક – ૨૧

અને દેવતા, તીર્થ, બ્રાહ્મણ, પતિવ્રતા, સાધુ અને વેદ એમની નિંદા કયારેય ન કરવી અને ન સાંભળવી. ।।૨૧।। read more
1 Views : 180

શિક્ષાપત્રી શ્લોક – ૨૨

અને જે દેવતાને સુરા અને માંસનું નૈવેદ્ય થતું હોય અને વળી જે દેવતાની આગળ બકરા આદિક જીવની હિંસા થતી હોય તે દેવતાનું નૈવેદ્ય ન ખાવું. ।।૨૨।। read more
0 Views : 150

શિક્ષાપત્રી શ્લોક – ૨૩

અને માર્ગને વિષે ચાલતે શિવાલયાદિક જે દેવમંદિર આવે તેને જોઇને તેને નમસ્કાર કરવા અને આદર થકી તે દેવનું દર્શન કરવું. ।।૨૩।। read more
0 Views : 137

શિક્ષાપત્રી શ્લોક – ૨૪

અને પોતપોતાના વર્ણાશ્રમનો જે ધર્મ તે કોઇ સત્સંગીએ ત્યાગ ન કરવો અને પરધર્મનું આચરણ ન કરવું તથા પાખંડ ધર્મનું આચરણ ન કરવું તથા કલ્પિત ધર્મનું આચરણ ન કરવું. ।।૨૪।। read more
1 Views : 128
Powered By Indic IME