Last Updated:
May 5, 2025

Click here to submit your article
શિક્ષાપત્રી
Per Page :

શિક્ષાપત્રી શ્લોક – ર૦૯

અને આ શિક્ષાપત્રીને વાંચી સંભળાવે એવો કોઇ ન હોય ત્યારે તો નિત્ય પ્રત્યે આશિક્ષાપત્રીની પૂજા કરવી અને આ જે અમારી વાણી તે અમારું સ્વરુપ છે એ રીતે પરમ આદર થકી માનવી. ।।૨૦૯।। read more
0 Views : 1236

શિક્ષાપત્રી શ્લોક – ર૧૦

અને આ જે અમારી શિક્ષાપત્રી તે જે તે દૈવી સંપદાએ કરીને યુકત જે જન હોય તેને આપવી અને જે જન આસુરી સંપદાએે કરીને યુકત હોય તેને તો કયારેય ન આપવી. ।।૨૧૦।। read more
0 Views : 1243

શિક્ષાપત્રી શ્લોક – ર૧૧

સંવત્ ૧૮૮૨ અઢારસો બ્યાસીના મહા સુદી પંચમીને દિવસે આ શિક્ષાપત્રી અમેલખી છે તે પરમ કલ્યાણકારી છે. ।।૨૧૧।। read more
0 Views : 1288

શિક્ષાપત્રી શ્લોક – ર૧ર

નિજાશ્રિતાનાં સકલાર્તિહન્તા સધર્મભકતેરવનં વિધાતા। દાતા સુખાનાં મનસેપ્સિતાનાંતનોતુ કૃષ્ણોઽખિલમંગલં નઃ ।। અને પોતાના આશ્રિત જે ભકતજન તેમની જે સમગ્ર પીડા તેના નાશ કરનારા એવા ને ધર્મે સહિત જે ભકિત તેની રક્ષાનાં કરનારા એવા ને પોતાના ભકતજનને મનવાંછિત સુખના આપનારા એવા જે શ્રીકૃષ્ણ ભગવાનતે જે તે અમારા સમગ્ર મંગળને વિસ્તારો.।।૨૧૨।। ઇતિ શ્રીસહજાનંદ સ્વામી શિષ્ય નિત્યાનંદમુનિ લિખિતા શિક્ષાપત્રી ટીકા સમાપ્તા ।। read more
0 Views : 1349
Powered By Indic IME