Last Updated:
May 5, 2025

Click here to submit your article
શિક્ષાપત્રી
Per Page :

શિક્ષાપત્રી શ્લોક – ર૦૧

અને તે સાધુ ને બ્રહ્મચારી તેમણે કોઇક કુમતિવાળા દુષ્ટ જન હોય ને તે પોતાને ગાળ દે અથવા મારે તો તે સહન જ કરવું પણ તેને સામી ગાળ ન દેવી ને મારવો નહિ અને તેનું જેમ હિત થાય તેમજ મનમાં ચિંતવન કરવું પણ તેનું ભૂંડું થાય એવો તો સંકલ્પ પણ ન કરવો.।।૨૦૧।। read more
0 Views : 1219

શિક્ષાપત્રી શ્લોક – ર૦ર

અને કોઇનું દૂતપણું ન કરવું તથા ચાડિયાપણું ન કરવું ને કોઇનાં ચારચક્ષુ ન થવું અને દેહને વિષે અહંબુદ્ધિ ન કરવી ને સ્વજનાદિકને વિષે મમતા ન કરવી. (એવી રીતે સાધુના વિશેષ ધર્મ કહ્યાં.) ।।૨૦૨।। read more
0 Views : 1231

શિક્ષાપત્રી શ્લોક – ર૦૩

અને અમારે આશ્રિત એવા જે સત્સંગી બાઇ ભાઇ સર્વે તેમના જે સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ તે જે તે સંક્ષેપે કરીને આવી રીતે અમે લખ્યા છે અને આ ધર્મનો જે વિસ્તાર તે તો અમારા સંપ્રદાયનાં જે ગ્રંથ તે થકી જાણવો. ।।૨૦૩।। read more
0 Views : 1235

શિક્ષાપત્રી શ્લોક – ર૦૪

અને સર્વે જે સચ્છાસ્ત્ર તેનો જે સાર તેને અમે અમારી બુદ્ધિએ કરીને ઉદ્ધારીને આ શિક્ષાપત્રી જે તે લખી છે, તે કેવી છે તો, સર્વે મનુષ્યમાત્રને મનવાંછિત ફળની  દેનારી છે. ।।૨૦૪।। read more
0 Views : 1212

શિક્ષાપત્રી શ્લોક – ર૦પ

એ હેતુ માટે અમારા આશ્રિત જે સર્વે સત્સંગી તેમણે સાવધાનપણે કરીને નિત્ય પ્રત્યે આ શિક્ષાપત્રીને અનુસરીને જ વર્તવું પણ પોતાના મનને જાણે તો કયારેય ન વર્તવું. ।।૨૦૫।। read more
0 Views : 1221

શિક્ષાપત્રી શ્લોક – ર૦૬

અને જે અમારા આશ્રિત પુરુષ ને સ્ત્રીઓ તે જે તે આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે તો તે ધર્મ, અર્થ, કામ ને મોક્ષ એ ચાર પુરુષાર્થની સિદ્ધિને નિશ્ચય પામશે. ।।૨૦૬।। read more
0 Views : 1260

શિક્ષાપત્રી શ્લોક – ર૦૭

અને જે બાઇ ભાઇ આ શિક્ષાપત્રી પ્રમાણે નહિ વર્તે તે તો અમારા સંપ્રદાય થકી બાહેર છે એમ અમારા સંપ્રદાયવાળા  સ્ત્રી પુરુષ તેમણે જાણવું. ।।૨૦૭।। read more
0 Views : 1251

શિક્ષાપત્રી શ્લોક – ર૦૮

અને અમારા જે આશ્રિત સત્સંગી તેમણે આ શિક્ષાપત્રીનો નિત્ય પ્રત્યે પાઠ કરવો અને જેને ભણતા આવડતું ન હોય તેમણે તો આદર થકી આ શિક્ષાપત્રીનું શ્રવણ કરવું.।।૨૦૮।। read more
0 Views : 1241
Powered By Indic IME