Last Updated:
May 5, 2025

Click here to submit your article
શિક્ષાપત્રી
Per Page :

શિક્ષાપત્રી શ્લોક – ૮૯

અને જે બ્રાહ્મણ વર્ણ હોય તેમણે શમ, દમ, ક્ષમા અને સંતોષ એ આદિક જે ગુણ તેમણે યુકત થવું અને જે ક્ષત્રિય વર્ણ હોય તેમણે શૂરવીરપણંુ અને ધીરજ એ આદિક જે ગુણ તે તેણે યુકત થવું. ।।૮૯।। read more
0 Views : 121

શિક્ષાપત્રી શ્લોક – ૯૦

અને વૈશ્ય વર્ણ હોય તેમણે કૃષિકર્મ તથા વણજવ્યાપાર તથા વ્યાજવટો એ આદિક જે વૃત્તિઓ તેમણે કરીને વર્તવું અને જે શુદ્ર વર્ણ હોય તેમણે બ્રાહ્મણાદિક ત્રણ વર્ણની સેવા કરવી એ આદિક જે વૃત્તિઓ તેમણે કરીને વર્તવું. ।।૯૦।। read more
0 Views : 85

શિક્ષાપત્રી શ્લોક – ૯૧

અને જે દ્વિજ હોય તેમણે ગર્ભાધાનાદિક સંસ્કાર તથા આહ્નિક તથા શ્રાદ્ધ એ ત્રણ જે તે પોતાના ગૃહ્યસૂત્રને અનુસારે કરીને જેવો જેનો અવસર હોય અને જેવી ધનસંપત્તિ હોય તે પ્રમાણે કરવા. ।।૯૧।। read more
0 Views : 82

શિક્ષાપત્રી શ્લોક – ૯૨

અને કયારેક જાણે અથવા અજાણે જો નાનું મોટું પાપ થઇ જાય તો પોતાની શકિત પ્રમાણે તે પાપનું પ્રાયશ્ચિત્ત કરવું. ।।૯૨।। read more
0 Views : 92

શિક્ષાપત્રી શ્લોક – ૯૩

અને ચાર વેદ તથા વ્યાસસૂત્ર તથા શ્રીમદ્ભાગવત નામે પુરાણ તથા મહાભારતને વિષે તો શ્રીવિષ્ણુસહસ્ર નામ ।।૯૩।। read more
0 Views : 93

શિક્ષાપત્રી શ્લોક – ૯૪

તથા શ્રીભગવદ્ગીતા તથા વિદુરજીએ કહેલી જે નીતિ તથા સ્કંદ પુરાણનો જે વિષ્ણુખંડ તેને વિષે રહ્યું એવું જે શ્રી વાસુદેવમાહાત્મ્ય. ।।૯૪।। read more
0 Views : 94

શિક્ષાપત્રી શ્લોક – ૯પ

અને ધર્મશાસ્ત્રનાં મધ્યમા રહી એવી જે યાજ્ઞવલ્કયૠષિની સ્મૃતિ એ જે આઠ સચ્છાસ્ત્ર તે અમને ઇષ્ટ છે. ।।૯૫।। read more
0 Views : 91

શિક્ષાપત્રી શ્લોક – ૯૬

અને પોતાનાં હિતને ઇચ્છતા એવા જે અમારા સર્વે શિષ્ય તેમણે એ આઠ સચ્છાસ્ત્ર જે તે સાંભળવાં અને અમારા આશ્રિત જે દ્વિજ તેમણે એ સચ્છાસ્ત્ર જે તે ભણવાં તથા ભણાવવાં તથા એમની કથા કરવી. ।।૯૬।। read more
0 Views : 86
Powered By Indic IME