અને ઘણુંક છે ફળ જેને વિષે એવું પણ જે કર્મ તે જો ધર્મે રહિત હોય તો તેનું આચરણ ન જ કરવું. કેમ જે, ધર્મ છે તે જ સર્વ પુરૂષાર્થનો આપનારો છે. માટે કોઇક ફળના લોભે કરીને ધર્મનો ત્યાગ ન કરવો. ।।૭૩।। read more
અને પૂર્વે થયા જે મોટા પુરુષ તેમણે પણ જો કયારેક અધર્માચરણ કર્યું હોય તો તેનું ગ્રહણ ન કરવું અને તેમણે જે ધર્માચરણ કર્યું હોય તો તેનું ગ્રહણ કરવું. ।।૭૪।। read more
અને કોઇની પણ જે ગુહ્યવાર્તા તે તો કોઇ ઠેકાણે પણ પ્રકાશ કરવી જ નહિ અને જે જીવનું જેવી રીતે સન્માન કરવું ઘટતું હોય તેનું તેવી રીતે જ સન્માન કરવું પણ સમદષ્ટિએ કરીને એ મર્યાદાનું ઉલ્લંઘન કરવું નહિ. ।।૭૫।। read more
અને અમારા જે સર્વે સત્સંગી તેમણે ચાતુર્માસને વિષે વિશેષ નિયમ ધારવો અને જે મનુષ્ય અસમર્થ હોય તેમણે તો એક શ્રાવણ માસને વિષે વિશેષ નિયમ ધારવો. ।।૭૬।। read more
અને તે વિશેષ નિયમ તે કિયા, તો ભગવાનની કથાનું શ્રવણ કરવું તથા કથા વાંચવી તથા ભગવાનના ગુણનું કીર્તન કરવું તથા પંચામૃત સ્નાને કરીને ભગવાનની મહાપૂજા કરવી તથા ભગવાનના મંત્રનો જપ કરવો તથા સ્તોત્રનો પાઠ કરવો તથા ભગવાનને પ્રદક્ષિણાઓ કરવી. ।।૭૭।। read more
તથા ભગવાનને સાષ્ટાંગ નમસ્કાર કરવા એ જે આઠ પ્રકારના નિયમ તે અમે ઉત્તમ માન્યા છે. તે માટે એ નિયમમાંથી કોઇ એક નિયમ જે તે ચોમાસાને વિષે વિશેષપણે ભકિતએ કરીને ધારવો. ।।૭૮।। read more
અને સર્વ જે એકાદશીયો તેમનું વ્રત જે તે આદર થકી કરવું તથા શ્રીકૃષ્ણ ભગવાનના જે જન્માષ્ટમી આદિક જન્મદિવસ તેમનું વ્રત જે તે આદર થકી કરવું તથા શિવરાત્રિનું વ્રત જે તે આદર થકી કરવું અને તે વ્રતના દિવસને વિષે મોટા ઉત્સવ કરવા. ।।૭૯।। read more
અને જે દિવસે વ્રતનો ઉપવાસ કર્યો હોય તે દિવસે અતિશય યત્ને કરીને દિવસની નિદ્રાનો ત્યાગ કરવો. કેમ જે, જેમ મૈથુને કરીને મનુષ્યના ઉપવાસનો નાશ થાય છે, તેમજ દિવસની નિદ્રાએ કરીને મનુષ્યના ઉપવાસનો નાશ થઇ જાય છે. ।।૮૦।। read more