Last Updated:
May 5, 2025

Click here to submit your article
સત્સંગ સૌરભ: ભાગ-૧
Per Page :

પ્રસંગ ૧૭: સત્યના સૂક્ષ્મ મર્મજ્ઞ

‘તમારી શિક્ષાપત્રીમાં એવું લખ્યું છેને ? પોતાનો કે પારકો દ્રોહ થાય એવું સત્ય વચન ન બોલવું. ભણે એનો અર્થ તો એ થયો કે તમને દ્રોહના ઓથે ખોટું બોલવાનો પીળો પરવાનો મળી ગયો, ખરુને ?’ વાંકિયા ગામના એક કાઠી દરબારે સ્વામિનારાયણના એક ચૂસ્ત સત્સંગી પ્રત્યે ટીકાનું તીર છોડતાં કહ્યું. ‘અરે ! બાપુ, એવું તે કાંઈ હોતું હશે !! પ્રભુ કોઈ દિવસ અસત્યને ઉત્તેજન આપે ખરા ? એની પાછળ રહેલું ખરું રહસ્ય તેમજ વિવેક આપના સમજ્યામાં આવેલ નથી એટલે આપ એનો આવો અર્થ ઘટાવો છો.’ વિપ્રે વિનયથી વાત કરતાં કહ્યું. ‘ભણે, તમે વિવેકની વાત વળી કયાં માંડો છો ? આમાં તો સત્યને ગળેટૂંપો દેવાતો હોય એવું જ ચોખ્ખું લાગે છે.’ દરબારે કહ્યું. ‘જુઓ દરબાર, આમાં તમે કહો છો એમ સત્યને ગળે ટૂંપો દેવાની કે ખોટું બોલવાના પીળા પરવાના જેવી કોઈ વાત છે જ નહિ પણ આમાં તો સત્ય સાથે વિવેક વણવાની સનાતન શાસ્ત્રીય વાત છે. શાસ્ત્રને મતે સત્ય હમેશાં પ્રિય અને હિતભર્યું હોવું જોઈએ. જે સત્ય બોલવા જતાં કોઈનું દિલ દુભાય, મનમાં સંતાપ ઊપજે ને હિંસાને પ્રોત્સાહન મળે એવું સત્ય વચન ઉચ્ચારવા કરતાં મૌન રહેવું શું ખોટું ? એથી કજિયો કંકાસ કે વેરઝેર તો ન વધે ?’ નીડર વિપ્રવર્યે સત્યની સ્પષ્ટતા કરતાં કહી સંભળાવ્યું. ‘ભણે એ શું બોલ્યા ? સાચું ભણવાથી શું […] read more
0 Views : 412

પ્રસંગ ૧૮: નમૂનેદાર નિર્બંધનતા

વડતાલના પ્રેમીભક્તરાજ જોબન ભાયા પગીપરિવાર, ઉદારદિલ બાવા નારાયણગરજી, વાસણ સુતાર આદિક ભાવિક ભક્તજનોના ભારે આગ્રહથી ઈષ્ટદેવ શ્રીહરિએ વડતાલમાં શિખરબંધ મંદિર કરવાનો નિર્ણય કર્યો ને એ કઠિન કાર્યની જટિલ જવાબદારી સ્થાપત્ય કલાના કસબી સદ્. બ્રહ્માનંદ સ્વામીને સોંપવામાં આવી. સદ્. બ્રહ્માનંદ સ્વામીએ પણ ઈષ્ટદેવ શ્રીહરિની આ આજ્ઞા સહર્ષ શિરધરી, પોતાની સઘળી નિપુણતા ને શ્રીજીદત્ત સૂઝને સહારે રાત્રિ દિવસ સતત પરિશ્રમ કરી સત્સંગના ભાવિ વિકાસને ધ્યાનમાં રાખી નવ શિખરનું નમૂનેદાર સુંદર સોહામણું નવ્ય ભવ્ય મંદિર તૈયાર કર્યું અને એમાં સં. ૧૮૮૧ના કાર્તિક સુદ–૧રના શુભદિને શ્રીહરિના શ્રીલક્ષ્મીનારાયણ દેવ તેમજ શ્રીહરિકૃષ્ણ મહારાજ, શ્રી રાધાકૃષ્ણ દેવ આદિ સ્વરૂપોની વેદોક્ત વિધિએ પ્રતિષ્ઠા પણ થઈ. પ્રબોધનીનો સમૈયો ને દેવની પ્રતિષ્ઠાનો પુનિત પ્રસંગ એટલે વડતાલમાં દર્શનકરવા માનવમહેરામણ ઉમટયો હતો. આ ધન્ય અવસરે સજાગ અને દીર્ઘદર્શી બ્રહ્મમુનિએ શ્રીહરિને મંદિરના મમત્વથી વિનતી કરીને કહ્યું, ‘પ્રભુ, આજે આપનું પૂજન કરવાની રજા આપો. હરિભક્તોના મનોરથ પૂરા થાય ને મંદિરની સેવાય થાય. એવી સહુની ઈચ્છા છે.’ મંદિરની મમત્વભરી બ્રહ્મમુનિની અરજ ધ્યાનમાં લઈ પ્રભુએ પ્રસન્નતાપૂર્વક પોતાની સંમતિ આપી. આથી બ્રહ્મમુનિએ સભામાં આ બાબતની જાણ કરી પરિણામે ભક્તોએ મંદિરની સેવા નિમિત્તે અનેરા ભાવથી પ્રભુની પૂજા કરી અને મન મૂકીને ભારે ભારે ભેટો અર્પણ કરી. તે એક દિવસે એ સમયમાં રૂા. પચ્ચીસ હજાર ઉપરાંત ભેટ આવેલી જેમાંથી મંદિરનો સઘળો ખર્ચ નીકળી ગયો. મમત્વ વિના તો કોઈ સ્થાન […] read more
0 Views : 352

પ્રસંગ ૧૯: પાછા વળો આગળ ન જશો

ઢોલ ઢબૂકયા શરણાયુંના તીવ્ર તીણા સૂરો વાતાવરણમાં રેલાયા ને વરપક્ષની તેમજ કન્યાપક્ષની મહિલાઓના કંઠે જોરજોરથી ગવાતાં સુરિલાં ગીતોથી તો જાણે ગગન ગૂંજી ઉઠયું ! મેમકાથી પરણવા આવેલ રામજી શેઠના દીકરા અમરશીની જાન વિદાય થઈ રહી હતી. જાન ઊઘલીને જ્યારે મેમકાના માર્ગે ચડી ત્યારે શેઠે હૈયામાં ભારે હળવાશ અનુભવી અને પોતાના મનમાં શ્રીહરિનો ભારે પાડ માન્યો. લાડેકોડે દીકરાને પરણાવી ઘર તરફ જઈ રહેલા રામજી શેઠ અને જાનૈયાના અંતરમાં જેમ ભારે ઉમંગ હતો તેમ ઘર તરફ જવામાં અધિરા બનેલા જાનના ધોરી પણ ઘૂઘરમાળ રણકાવતા ઉતાવળી ચાલે વેગથી ચાલી રહ્યા હતા એટલે શેઠની ગણતરી એવી હતી કે નહિ નહિ તોય ઝાલર ટાણે તો મેમકાના પાદરમાં જરૂર પહોંચી જવાશે. અહૂર થઈ જાય ને અંતરિયાળ કયાંક જાન ઉપર જતવાડના જતોની લૂંટારું ટોળી ત્રાટકે તો તો આપણી આબરુને બટ્ટો જ લાગી જાયને? શેઠની ભીતિ પણ સાવ ખોટી નહોતી. જતવાડના આ ઝેરિલા જતો જાનને લૂંટતા ને ગજબનો આંતક ફેલાવતા. વળી આવા ધનવાન શેઠની જાનમાં દરદાગીના તેમજ માલ મિલકતનો સારો દલ્લો મળે એવી ગણતરીથી જો કાંઈક લાગ મળે તો જતની ટોળી જરૂર જોર કરે એવી સંભાવના કાંઈ નકારી શકાય એમતો જરાય નહોતી. કોઠારિયા ગામ નજીકમાં આવતા જાનડિયુંએ જોર જોરથી ગીતો ઉપાડયાં. જાનની વાટ જોઈને ઊભેલા સંબંધીઓ ગીતો સાંભળીને જાન જોવા દોડી આવ્યા. હા ના હા ના કરતા શેઠની […] read more
0 Views : 385

પ્રસંગ ર૦: અપરાધીનો અંજામ

સત્સંગ વિચરણ કરતી વેળાએ શ્રીજી મહારાજ ગામ લીંબલી પધાર્યા. અત્રેના ભાવિક ભક્ત મુળજી શેઠ આદિક ભક્તજનોએ પ્રભુનું ભાવભીનું સ્વાગત કર્યું. સ્વામિનારાયણનું આવું સ્વાગત થતું જોઈને ગામના કેટલાક દ્વેષી લોકોના પેટમાં તેલ રેડાયું. સત્સંગના દ્વેષીલા કારભારી મોદીએ ગામના નિર્દોષ નાના છોકરાઓને પોતાનાં કાળાં કામના હાથા બનાવ્યા. કારભારીએ સિસકારેલા નાદાન અને અબૂજ બાળકોએ સભા સ્થાને આવી દેકારો મચાવી દૂર ઊભા રહી કાંકરા ને ઢેખારા ફેંકવાની પ્રેરવી કરવા માંડી. કોઈએ ધૂળ પણ ઉડાડવા માંડી. આવા અણધાર્યા વિક્ષેપથી ચોંકી જઈ મૂળજી શેઠ તેમજ ગામના અન્ય સજ્જનોએ ઊભા થઈ બાળકોને આમ કરતા રોકી લીધા એટલું જ નહિ આમ કરવા પાછળનું કારણ પણ ભલા ભોળા બાળકો પાસેથી જાણી લીધું. આવી ધાંધલ ને ધમાલ જોઈ મહાપ્રભુએ હળવા હાસ્ય સાથ શેઠને પૂછયું, ‘ગામમાં આજે ધૂળેટી જેવું કોઈ પર્વ છે કે પછી અમે આવ્યા એના વિશેષ સન્માનમાં કોઈએ આ કારસ્થાન ગોઠવ્યું છે ?’ ‘ના મહારાજ, ધૂળેટી જેવું તો કાંઈ નથી પણ આ નાના બાળકોને હોળીના નાળિયેર બનાવવામાં આવ્યા છે. એની પાછળ ગામના કારભારી મોદીનો દોરી સંચાર હોય એમ લાગે છે. એ પહેલેથી જ આપણા સત્સંગનો ભારે દ્વેષ કરતો આવે છે.’ શેઠે સ્પષ્ટતા કરતાં કહ્યું. ‘જુઓ શેઠ, અહીં આવીને અમે એ કારભારીનું કે ગામના બીજા કોઈનું કાંઈ પણ બગાડયું નથી તો પછી એને આવું નિર્લજ કામ કરવાનું કેમ મન થયું […] read more
0 Views : 376

પ્રસંગ ર૧: સૂર્ય ફરે પણ હું ન ફરુ

‘અભેસિંહજી દર્શન કરવા જૂનાગઢ જાય છે તો મારેય એમની સાથે દર્શને જવા વિચાર છે.’ ઉત્સાહી રાજકુંવરે પોતાના માતુશ્રી પાસે રજા માગતાં કહ્યું. ‘જો ભાઈ, અભેસિંહજી ભલે જાય પણ આપણે જૂનાગઢ જવું નથી. સ્વામીના સાધુ તો ભારે કામણગારા હોય ! એ વળી કયાંક તમારી ઉપર ભૂરકી નાખીને એની કંઠી તમને પહેરાવી દીએ.’ માતા માકુબાએ યુવાન કુંવરને સંભવિત ભયનું કારણ દેખાડતાં કહ્યું. પરંતુ આ યુવાન કુંવરને તો પોતાના સગા માસિયાઈ ભાઈ લોધિકા દરબાર ધ્યાનિ અભેસિંહજી સાથે દર્શન કરવા જૂનાગઢ જવાની ભારે લગની લાગી હતી એટલે એણે માતુશ્રીને કહ્યું, ‘હું કાંઈ નાનો બાળક નથી તે સ્વામીના સંતોની વાતોમાં ભરમાઈ જાવ. આપ મારી કાંઈ ચિંતા કરશો નહિ. કેદિક સૂર્ય ફરે પણ હુંતો નહિ જ ફરું બસ.’ જગદંબાના ઉપાસક માતા માકુબા અને ઘરના અન્ય સંબંધીઓ હા ના કરતા રહ્યા ને કુંવર તો પોતાનો ઘોડો પલાણીને અભેસિંહજી સાથે જૂનાગઢ જવા ચાલી નીકળ્યા. જૂનાગઢ આવી બંને દરબારોએ મંદિરમાં ઠાકોરજીના દર્શન કર્યા. પછી ધર્મશાળામાં આવી પૂજ્ય ગુણાતીતાનંદ સ્વામી તથા સંતોનાં દર્શન કર્યા. પૂજ્ય સ્વામીએ આદર ભર્યો આવકાર આપી એમને ઉતારા કરાવ્યા. પૂજ્ય સ્વામીએ જાતે પ્રેમથી પીરસીને એમને ભાવથી જમાડયા. દિવાળીના મંગળ દિવસે સંતોએ ધૂન ભજન અને કીર્તનો ગાયાં. સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામી પાસે સંગીત શિખેલા ચકુભાઈ ગવૈયાએ ઠાકોરજી પાસે વાજિંત્રો વજાડીને સુંદર ગાવણું કર્યું. બાદમાં પૂજ્ય સ્વામીશ્રીએ પ્રગટ પ્રભુ […] read more
0 Views : 429

પ્રસંગ રર: મંદિરનું મમત્વ

‘સ્વામી, જય સ્વામિનારાયણ.’ એમ કહી આગંતુકે વ્રજ્યાનંદ સ્વામીને દંડવત્ કરવા માંડયા. ‘રાખો, ભગત રાખો.’ એમ કહી સ્વામી ઊભા થયા ને ભગતને મહિમાથી મળ્યા. ‘સ્વામી, તમે તો આ મંદિર પૂરું કરી દીધું.’ ‘હા ભગત, મહારાજની દયાથી મંદિર તો પૂરું થઈ ગયું ને ઉપર નળિયાંય ચડી ગયાં હોત પણ ગામમાં નળિયાં ન મળ્યાં એટલે મંદિર નળિયાં વિના ઉઘાડું રહી ગયું છે.’ સંતે ચિંતિત સ્વરે કહ્યું. ‘ભગવાનનું ઘર કાંઈ ઉઘાડું રહેવા દેવાય ?’ ભગતે અંતરની તત્પરતા દાખવતાં કહ્યું. ‘ભગત, તમારા ગામમાં કે કયાંય આજુબાજુનાં ગામમાં નળિયાં મળે તો વેચાતાં લઈને ચોમાસા પહેલાં મંદિરને ઝટ વહેલી તકે ઢાંકી દેવું છે.’ સ્વામીએ પ્રતિભાવ આપતાં કહ્યું. ‘ભલે, સ્વામી, નળિયાંની વ્યવસ્થા કરી દઉં. મારી સાથે ગાડાં જોડાવીને સાધુને મોકલો.’ ભગતે સહર્ષ કહ્યું. પછી બે–ત્રણ ગાડાં જોડાવીને સંતો ભગત સાથે એમને ગામ ગયા ને ભગતે પોતાના ફળિયામાં ગાડાં છોડાવ્યાં. નિસરણી લાવીને પોતાના ઘરની પછીતે મૂકી. પાસે ઊભેલા યુવાનોને કહ્યું, ‘તમે બે જણ ઉપર ચઢી જાવને નળિયાંના ખડકલા કરીને નીચે ઉતારવા માંડો ને બીજા એ નળિયાંને સ્વામી કહે તેમ ગાડામાં ભરવા માંડો.’ ‘અરે ભગત, તમે આ શું આદરી બેઠા ! તમારા ખોરડા ઉપરથી કાંઈ નળિયાં લેવાય ! બીજે કયાંયથી મળતાં હોય તો વેચાતાં લઈ આવવાનું સ્વામીએ કહ્યું છે.’ સંતોએ નારાજગી દર્શાવતા કહ્યું. ‘અરે સ્વામી, એ શું બોલ્યા, ઠાકોરજીનું ઘર […] read more
0 Views : 335

પ્રસંગ ર૩: એનો ખુલાસો અમે કરીશું

શ્રીજી મહારાજને કરમડ પધાર્યા જાણી ચાસકા ગામના દરબાર નારસિંહજી પોતાના મનમાં ઉદ્ભવેલ શંકાના સમાધાન માટે પ્રભુ પાસે બેસવા આવ્યા. શ્રીજી ઢોલિયા ઉપર આડે પડખે થઈને વિશ્રાંતિ લઈ રહ્યા હતા અને મૂળજી શેઠ પ્રભુ પાસે બેસીને માળા ફેરવતા હતા. દરબાર મહારાજને વંદન કરીને પાસે બેઠા એટલે મહારાજે મૂળજી શેઠને કહ્યું, ‘શેઠ, આ દરબાર બેસવા આવ્યા છે તો તમે એમને ભગવાનની થોડી ઘણી વાતો કરો.’ મહારાજની આજ્ઞા થતાં મૂળજી શેઠ એક બાજુ ખૂણામાં બેસી દરબારને ભગવાનના મહિમાની વાતો કરવા લાગ્યા. શેઠે આ શ્રીજી મહારાજ પ્રગટ ભગવાન છે એમ વાતનો વળાંક લઈ બે–ત્રણ પરચા વર્ણવ્યા. દરબારે એમાં તર્ક કરીને શેઠને પૂછયું, ‘મહારાજ ભગવાન છે એમ તમે વારે વારે ભાર દઈને કહો છો તો પછી હમણાં જ જેતલપુરમાં એમણે જગનનો આરંભ કર્યો તે પડતો કેમ મૂકવો પડયો ? જો એ ભગવાન હોય તો તો એમને આવનાર વિધ્નનો અગાઉથી જ અણસાર ન આવી જાય કે આ જગન પેશ્વા સરકાર પૂરો નહિ થવા દીએ એટલે યજ્ઞનો પોતે આરંભ જ ન કરે. તેમ છતાં સંતો ને હરિભક્તો પાસે મહારાજે યજ્ઞનો સરસમાન શા સારુ એકઠો કરાવ્યો ?’ નારસિંહજીનો આવો પ્રશ્ન સાંભળી મૂળજી શેઠે એનો ખુલાસો કરવા પ્રયાસ તો કર્યો પણ આ નારસિંહજીએ તો એમાંય તર્કકુતર્કો કરી શેઠના ખુલાસાને હસી કાઢયો. પ્રભુ શ્રીહરિ સૂતાં સૂતાં આ બધુંય સાંભળતા હતા. […] read more
0 Views : 281

પ્રસંગ ર૪: કસોટી અને કયાસ

શ્રીજી અને સંતોના યોગમાં આવતા ગોંડલના શેખમિયાંને શ્રીજી મહારાજમાં અનન્ય આસ્થા અને અચળ નિષ્ઠા બંધાઈ ગઈ હતી. મુસ્લિમ બિરાદર હોવા છતાંય એ રહેણીકરણી અને સત્સંગના નિયમપાલનમાં હિન્દુથીય સવાયા બની રહ્યા હતા. શેખમિયાં જ્યારે શ્રીહરિના દર્શને આવે ત્યારે પ્રભુ એમને ફૂલહાર આપી આદર સત્કાર કરે ને સભામાંય આગળ બેસારે પણ કેટલાક કાઠીઓને મન તો એ મુસ્લિમ. એનો આવો આદર સત્કાર એમને તો આંખના કણાની જેમ ખૂંચે. એકવાર શેખમિયાં ગઢપુર દર્શને આવ્યા. પ્રભુએ એમને ફૂલહાર અર્પણ કરી સભામાં આગળ બેસાર્યા આથી ડંખિલા કાઠીઓ મનમાં સમસમી ગયા. કેટલાક તો સભામાંથી ઉઠી એક બાજુ ખૂણે ગુસપુસ વાતોએ વળગ્યા. ‘ભણે આ યવનનું માન સન્માન મહારાજ ભલેને કરે. એની કયાં ના છે પણ એ ગોલકુનો યવન આપણી આગળ બેસે એ તો બિલકુલ વ્યાજબી નથી લાગતું.’ અંતર્યામી શ્રીહરિએ કાઠી ભક્તોની આ અકળામણ ઓળખી લીધી. સમજ્યા વિના આવી ટીકા કરનારાઓ અને આ શેખમિયાંની સ્થિતિ વચ્ચેની આકાશપાતાળ જેવી વાસ્તવિકતાનું ભાન કરાવવા મહારાજે મનોમન નક્કી કરી લીધું. કથાવાર્તા પૂરી થતાં સહુ ભક્તો ઉઠીને ચાલતા થયા પછી પોતા પાસે બેસી રહેલા શેખમિયાંને શ્રીજીએ કહ્યું, અહીં ડોક ઉપર જરા રગતગ જેવું થઈ ગયું હોવાથી ‘તમે ઊભા થઈ જરા હળવે હાથે અમને ડોક ઉપર તમારા હાથથી કાંઈક થોડું મારો તો રાહત થાય.’ આ સાંભળી શેખ કહેવા લાગ્યા, ‘અરે મહારાજ ! આપ આ શું […] read more
0 Views : 262
Powered By Indic IME