‘સ્વામી, જય સ્વામિનારાયણ.’ એમ કહી આગંતુકે વ્રજ્યાનંદ સ્વામીને દંડવત્ કરવા માંડયા. ‘રાખો, ભગત રાખો.’ એમ કહી સ્વામી ઊભા થયા ને ભગતને મહિમાથી મળ્યા. ‘સ્વામી, તમે તો આ મંદિર પૂરું કરી દીધું.’ ‘હા ભગત, મહારાજની દયાથી મંદિર તો પૂરું થઈ ગયું ને ઉપર નળિયાંય ચડી ગયાં હોત પણ ગામમાં નળિયાં ન મળ્યાં એટલે મંદિર નળિયાં વિના ઉઘાડું રહી ગયું છે.’ સંતે ચિંતિત સ્વરે કહ્યું. ‘ભગવાનનું ઘર કાંઈ ઉઘાડું રહેવા દેવાય ?’ ભગતે અંતરની તત્પરતા દાખવતાં કહ્યું. ‘ભગત, તમારા ગામમાં કે કયાંય આજુબાજુનાં ગામમાં નળિયાં મળે તો વેચાતાં લઈને ચોમાસા પહેલાં મંદિરને ઝટ વહેલી તકે ઢાંકી દેવું છે.’ સ્વામીએ પ્રતિભાવ આપતાં કહ્યું. ‘ભલે, સ્વામી, નળિયાંની વ્યવસ્થા કરી દઉં. મારી સાથે ગાડાં જોડાવીને સાધુને મોકલો.’ ભગતે સહર્ષ કહ્યું. પછી બે–ત્રણ ગાડાં જોડાવીને સંતો ભગત સાથે એમને ગામ ગયા ને ભગતે પોતાના ફળિયામાં ગાડાં છોડાવ્યાં. નિસરણી લાવીને પોતાના ઘરની પછીતે મૂકી. પાસે ઊભેલા યુવાનોને કહ્યું, ‘તમે બે જણ ઉપર ચઢી જાવને નળિયાંના ખડકલા કરીને નીચે ઉતારવા માંડો ને બીજા એ નળિયાંને સ્વામી કહે તેમ ગાડામાં ભરવા માંડો.’ ‘અરે ભગત, તમે આ શું આદરી બેઠા ! તમારા ખોરડા ઉપરથી કાંઈ નળિયાં લેવાય ! બીજે કયાંયથી મળતાં હોય તો વેચાતાં લઈ આવવાનું સ્વામીએ કહ્યું છે.’ સંતોએ નારાજગી દર્શાવતા કહ્યું. ‘અરે સ્વામી, એ શું બોલ્યા, ઠાકોરજીનું ઘર […]
read more