Last Updated:
May 5, 2025

Click here to submit your article
શાસ્ત્ર
Per Page :

ચોસઠપદી પદ:- ૪૩

કહેશો હરે ફરે નર આપ, મૂવા તેને કેમ કહિયે રે ।। તે તો પૂંછ હલાવે છે સાપ, ઘડીવાર જીવ ગયે રે ।। ૧ ।। પણ પિંડમાંયે નથી પ્રાણ, જરૂર જાણી લેજો રે ।। જોઈ એના અંગનાં એંધાણ, પછી ડરી દૂર રહેજો રે ।। ૨ ।। કાપ્યું તરુ કાઢે છે કૂંપળ, સરે  પણ સૂકી જાશે રે ।। તેમ નર કરે કોટિ કળ, અંતે તે ઉઘાડું થાશે રે ।। ૩ ।। કહો કપટ કેટલા દિન, નર એહ રાખી રહેશે રે ।। કહે નિષ્કુળાનંદ સહુ જન, જેમ હશે તેમ કહેશે રે ।। ૪ ।। read more
0 Views : 125

ચોસઠપદી પદ:- ૪૪

જેમ મહાજળમાં મગર, સાગર સહુને રાખે રે ।। નાનાં મોટાં કરી રહે ઘર, કોયને ન કાઢી નાખે રે ।। ૧ ।। પણ જયાં લગી જીવ હોય , ત્યાં લગી તેમાં રહે રે ।। વણ જીવે રહે નહિ કોય, લે’ર  દૂર નાખી દહે રે ।। ૨ ।। હરિજનનું જીવન છે ધર્મ, પોતે પોતાનો પાળે રે ।। તજે નહિ ભજે પરબ્રહ્મ, તો રહે તેમાં સદા કાળે રે ।। ૩ ।। વણ જીવે  હોય નહિ વાસ, સત્સંગ સિંધુમાંઈ રે ।। કરવો નિષ્કુળાનંદ તપાસ, કહ્યું નથી કૂડું  કાંઈ રે ।। ૪ ।। read more
0 Views : 105

ચોસઠપદી પદ:- ૪પ

જે કોઈ ડચકાં દિવસ રાત, ખાતો નર હોય ખરાં રે ।। તેની જીવવાની જૂઠી વાત, પાંપળાં  મેલો પરા રે ।। ૧ ।। જેની નાડી છાંડી ગઈ ઘર, જિહવા તો ટૂંકી પડી રે ।। દગ  દોય દઈ ગયાં દર, શ્વાસ આવ્યો સુધો  ચડી રે ।। ૨ ।। તેહ સમામાંહી સગપણ, કરે કોય કન્યા તણું રે ।। તેને રોકડું છે રંડાપણ, એવાતણ  ઉધારે ઘણું રે ।। ૩ ।। તેમ સત્સંગમાં કોય જન, ગડબડ ગોટા વાળે  રે ।। કહે નિષ્કુળાનંદ કોય દન, રખે  તે જીવિત બાળે  રે ।। ૪ ।। read more
0 Views : 109

ચોસઠપદી પદ:- ૪૬

ડોરી  દેખી મ ડગાવો દિલ, સમજીને સંગ કરો રે ।। સારા સંત ઓળખી અવલ,  મન કર્મ વચને વરો રે ।। ૧ ।। દેખી ઉપરનો આટાટોપ,  મને રખે મોટા માનો રે ।। એ તો ફોગટ ફૂલ્યો છે ફોપ, સમજો એ સંત શાનો રે ।। ૨ ।। જેને જાણજો જગ મોટાઈ,જડાણી જીવ સંગે રે ।। તેને મોટા માનો જગ માંઈ, ખોટા છે મોક્ષ મગે  રે ।। ૩ ।। જોને શુકજી ને જડભરત, કો’કેણે મોટા જાણ્યા રે ।। હતા નિષ્કુળાનંદ એ સમર્થ, પછી સહુએ પરમાણ્યા  રે ।। ૪ ।। read more
0 Views : 140

ચોસઠપદી પદ:- ૪૭

એહ વિના મોટાઈ જે અન્ય, ખરી તે પણ ખોટી નથી રે ।। તે તો સુણી લિયો સહુ જન, તે પણ કહું કથી રે ।। ૧ ।। જેમ પંખીમાં મોટેરો ઘૂડ, ઝાડમાં તાડ લૈયે રે ।। જેમ જળમાં મોટેરો ઝૂડ,  પશુમાં પાડો કૈયે રે ।। ૨ ।। સર્પમાં મોટેરો તક્ષક, વીંછીમાં ઠાકરિયો વળી રે ।। એ તો મોટપ્ય દુઃખદાયક, સમજો સહુ મળી રે ।। ૩ ।। એમ જાણ્યા વિના જગમાંય, ઉપાય નથી ઊગર્યાનો રે ।। કહે નિષ્કુળાનંદ તે ન્યાય,  માનો કે નવ માનો રે ।। ૪ ।। read more
0 Views : 127

ચોસઠપદી પદ:- ૪૮

ખોટી વાત સાંભળી આવી ખોટ, દોષ જે બીજાને દેશે રે ।। પોતે પેટે કપટ રાખી કોટ, બા’ર તો સાધુતા ગ્રહેશે  રે ।। ૧ ।। છળે કળે છપાડી છિદર, વાંકમાં નહિ આવે આપે રે ।। એમ કરતાં જાણશે કોય નર, તેને ડરાવશે શાપે રે ।। ૨ ।। આણી આખ્યાન તેની ઉપર, બોલવા નહિ દિયે રે ।। જેને નથી મહારાજનો ડર, તે કહો કેથી બીયે રે ।। ૩ ।। એવા પાપી જે પાપના પુંજ,  દેખીને દૂર રૈ’યે રે ।। કહે નિષ્કુળાનંદ તે શુંજ, કહી કહી કેટલું કૈ’યે રે ।। ૪ ।। read more
0 Views : 109

ચોસઠપદી પદ:- ૪૯

રાગ-ધોળ ‘ચાલ સખી જોવાને જઈએ, ખાંતીલો વનમાં ખેલે રે’ સુંદર સારી શિખામણ મારી, માનીલે મનવા મારા રે ।। ધારી વિચારી મેં વાત ઉચ્ચારી, તે જોઈ સ્વભાવ તારા રે ।। ૧ ।। પરને કહેવા પ્રવીણ છે પૂરો, પોતાનું તો તું ન પેખે રે ।। સામાને શીખ દેવામાં છે શૂરો, નિજ દોષને નવ દેખે રે ।। ૨ ।। કોય ન સમજે કારજ તારું, કહું છું કાંયે નહિ થાય રે ।। શીદને ઉતારુ  છે પરબારું,  કાંરે ન મનાય કાંય રે ।। ૩ ।। અવળી સમજણ અળગીએ કરી, સવળું સમજાય તો સારું રે ।। નિષ્કુળાનંદ કહે વિચારી, એટલું માની લે મારું રે ।। ૪ ।। read more
0 Views : 131

ચોસઠપદી પદ:- પ૦

મન તું ને સમજાવવા સારુ, કહ્યું મેં વારમવાર રે ।। તેં તો ગમતું ન તજિયું તારું, ગઈ શિખામણ ગમાર રે ।। ૧ ।। જે જે વાત કરી તુજ સાથે, તે તો તેં રતી ન રાખી રે ।। ખોટ્ય આવવા ન દીધી માથે, લઈ બીજા પર નાખી રે ।। ૨ ।। કહો ખોટ્ય ટળે કેમ તારી, નિજ દોષને ન દેખે રે ।। એથી ભૂલ્ય બીજી કઈ ભારી, સહુથી સરસ આપ લેખે રે ।। ૩ ।। કહેનારાને કહેવા ન રહ્યું, તેં ન ધર્યું જયારે કાન રે ।। નિષ્કુળાનંદ કહે તુંને શિયું, તારે તો બીજું છે તાન રે ।। ૪ ।। read more
0 Views : 101
Powered By Indic IME